Copyright Case: કોંગ્રેસની મુશ્કેલી વધી, ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો હુકમ


  • Published By :
  • Published Date : 2022-11-07 21:02:42


બેંગલુરુની એક કોર્ટે કોંગ્રેસ પાર્ટી અને ભારત જોડો યાત્રાના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રૂપે બ્લોક કરવાનો આદેશ  આપ્યો છે. KGF ચેપ્ટર 2 ફેમ MRT મ્યુઝિક કોપીરાઈટ ઉલ્લંઘનને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે બાદ કોર્ટે આ આદેશ આપ્યો હતો. કોંગ્રેસે ભારત જોડો યાત્રાને લગતો એક વીડિયો તૈયાર કર્યો હતો. મ્યુઝિક લેબલ દાવો કરે છે કે આ વીડિયો માટે તેમની ફિલ્મના ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે રાઇટ્સ તેમની પાસે છે. કોંગ્રેસે તેના અભિયાનના પ્રચાર માટે આ વિડીયો તૈયાર કર્યા હતા અને તેમાં આ ફિલ્મના ગીતો અને મ્યુઝિકનો ઉપયોગ કર્યો હતો. વળી આ માટે કોંગ્રેસે એમ આર ટી મ્યૂઝિકની મંજુરી કે લાયસન્સ પણ લીધું ન હતું.


આ કલમો હેઠળ FIR નોંધાઈ હતી 


કલમ 403 (સંપત્તિની અપ્રમાણિક હેરાફેરી), 465 (બનાવટી માટે સજા), 120 કલમ 403, 465 અને 120B r/w કલમ 34 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 66 હેઠળ પક્ષ અને કોંગ્રેસના ત્રણ નેતાઓ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ, 1957ની કલમ 63 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.


કોર્ટે તેના ચુકાદામાં શું કહ્યું?


બેંગલુરુની એક કોર્ટે મ્યુઝિક કોપીરાઈટ કેસમાં કામ કરતા કોંગ્રેસઅને તેના અભિયાન 'ભારત જોડો યાત્રા'ના ના ટ્વિટર હેન્ડલને હંગામી ધોરણે બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ એમઆરટી મ્યુઝિક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો છે. આદેશ પસાર કરતાં, કોર્ટે કહ્યું કે જો પ્રથમદર્શી પુરાવા રજૂ કર્યા પછી પણ સાઉન્ડ રેકોર્ડ્સના કથિત ગેરકાયદેસર ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે તો વાદીને ભોગવવું પડશે. આ મોટા પાયે કોપીરાઈટ ઉલ્લંઘન તરફ દોરી જશે.


સમગ્ર મામલો શું હતો ?


રાહુલ ગાંધી આજકાલ તેમની ભારત જોડો યાત્રા પર છે,  તેમના આ અભિયાનને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કરવામાં આવ્યા હતા. આમાં કોંગ્રેસે સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF'ના સંગીતનો ઉપયોગ કર્યો હતો.જેના કારણે KGF ચેપ્ટર 2 ફેમ MRT મ્યુઝિકે કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. એમઆરટી મ્યુઝિકની ફરિયાદના આધારે યશવંતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ એફઆઈઆરમાં રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનેતનું નામ લેવામાં આવ્યું હતું. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.