Copyright Case: કોંગ્રેસની મુશ્કેલી વધી, ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો હુકમ


  • Published By :
  • Published Date : 2022-11-07 21:02:42


બેંગલુરુની એક કોર્ટે કોંગ્રેસ પાર્ટી અને ભારત જોડો યાત્રાના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રૂપે બ્લોક કરવાનો આદેશ  આપ્યો છે. KGF ચેપ્ટર 2 ફેમ MRT મ્યુઝિક કોપીરાઈટ ઉલ્લંઘનને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે બાદ કોર્ટે આ આદેશ આપ્યો હતો. કોંગ્રેસે ભારત જોડો યાત્રાને લગતો એક વીડિયો તૈયાર કર્યો હતો. મ્યુઝિક લેબલ દાવો કરે છે કે આ વીડિયો માટે તેમની ફિલ્મના ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે રાઇટ્સ તેમની પાસે છે. કોંગ્રેસે તેના અભિયાનના પ્રચાર માટે આ વિડીયો તૈયાર કર્યા હતા અને તેમાં આ ફિલ્મના ગીતો અને મ્યુઝિકનો ઉપયોગ કર્યો હતો. વળી આ માટે કોંગ્રેસે એમ આર ટી મ્યૂઝિકની મંજુરી કે લાયસન્સ પણ લીધું ન હતું.


આ કલમો હેઠળ FIR નોંધાઈ હતી 


કલમ 403 (સંપત્તિની અપ્રમાણિક હેરાફેરી), 465 (બનાવટી માટે સજા), 120 કલમ 403, 465 અને 120B r/w કલમ 34 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 66 હેઠળ પક્ષ અને કોંગ્રેસના ત્રણ નેતાઓ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ, 1957ની કલમ 63 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.


કોર્ટે તેના ચુકાદામાં શું કહ્યું?


બેંગલુરુની એક કોર્ટે મ્યુઝિક કોપીરાઈટ કેસમાં કામ કરતા કોંગ્રેસઅને તેના અભિયાન 'ભારત જોડો યાત્રા'ના ના ટ્વિટર હેન્ડલને હંગામી ધોરણે બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ એમઆરટી મ્યુઝિક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો છે. આદેશ પસાર કરતાં, કોર્ટે કહ્યું કે જો પ્રથમદર્શી પુરાવા રજૂ કર્યા પછી પણ સાઉન્ડ રેકોર્ડ્સના કથિત ગેરકાયદેસર ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે તો વાદીને ભોગવવું પડશે. આ મોટા પાયે કોપીરાઈટ ઉલ્લંઘન તરફ દોરી જશે.


સમગ્ર મામલો શું હતો ?


રાહુલ ગાંધી આજકાલ તેમની ભારત જોડો યાત્રા પર છે,  તેમના આ અભિયાનને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કરવામાં આવ્યા હતા. આમાં કોંગ્રેસે સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF'ના સંગીતનો ઉપયોગ કર્યો હતો.જેના કારણે KGF ચેપ્ટર 2 ફેમ MRT મ્યુઝિકે કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. એમઆરટી મ્યુઝિકની ફરિયાદના આધારે યશવંતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ એફઆઈઆરમાં રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનેતનું નામ લેવામાં આવ્યું હતું. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.