Banaskanthaમાં કોંગ્રેસના ઉમેદવાર Geniben Thakorએ પોલીસ અને અધિકારીઓ પર લગાવ્યા આ ગંભીર આરોપ! સાંભળો શું કહ્યું ?


  • Published By :
  • Published Date : 2024-04-08 16:25:59

લોકસભા ચૂંટણીને લઈ ભાજપે 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. અનેક બેઠકો પર ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે. પરંતુ બનાસકાંઠા બેઠક એવી છે જેની ચર્ચા અવાર નવાર થતી હોય છે.. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ તેમજ કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. ભાજપના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેનને લોકસભા ઉમેદવાર બનાવ્યા છે. પ્રચારની શરૂઆત તો કરવામાં આવી પરંતુ ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતા નિવેદનની ચર્ચા થતી હોય છે. ગેનીબેન ઠાકોરે પોલીસ પર નિશાન સાધ્યું છે. પોલીસને લઈ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે જેની ચર્ચા થઈ રહી છે..


પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

બનાસકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અનેક મુદ્દાઓ પર તે નિવેદન આપતા હોય છે ત્યારે ફરી એક વખત તેમનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે. ના માત્ર પોલીસ પર પણ પરંતુ અધિકારીઓ પર પણ તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે. ગેનીબેન ઠાકોરે પોલીસ પર હપ્તાખોરીનો ગંભીર આરોપ લગાવ્યો છે. એક સભા દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કહ્યું કે, વહીવટી રીતે અધિકારીઓને સરકારે છુટો દોર આપી દીધો છે. શાકભાજીવાળા અને નાના વેપારી પાસેથી પોલીસ હપ્તા માંગે છે. વળી, મોટા વેપારી અને જ્વેલર્સ પાસેથી GSTના અધિકારી હપ્તા માંગે છે, ઠેર ઠેર હપ્તાખોરી વધી છે.


આ નિવેદન બાદ ગરમાઈ શકે છે ગુજરાતની રાજનીતિ!

મહત્વનું છે કે ઉમેદવાર તરીકે જ્યારથી ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી તેઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. અનેક વખત પ્રચાર દરમિયાન એવા નિવેદન લાવતા હોય છે જેને લઈ ચર્ચા થતી હોય છે અથવા તો રાજનીતિ ગરમાઈ જતી હોય છે.. ત્યારે ગેનીબેન ઠાકોરના આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ શકે છે...    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.