Banaskanthaમાં કોંગ્રેસના ઉમેદવાર Geniben Thakorએ પોલીસ અને અધિકારીઓ પર લગાવ્યા આ ગંભીર આરોપ! સાંભળો શું કહ્યું ?


  • Published By :
  • Published Date : 2024-04-08 16:25:59

લોકસભા ચૂંટણીને લઈ ભાજપે 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. અનેક બેઠકો પર ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે. પરંતુ બનાસકાંઠા બેઠક એવી છે જેની ચર્ચા અવાર નવાર થતી હોય છે.. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ તેમજ કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. ભાજપના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેનને લોકસભા ઉમેદવાર બનાવ્યા છે. પ્રચારની શરૂઆત તો કરવામાં આવી પરંતુ ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતા નિવેદનની ચર્ચા થતી હોય છે. ગેનીબેન ઠાકોરે પોલીસ પર નિશાન સાધ્યું છે. પોલીસને લઈ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે જેની ચર્ચા થઈ રહી છે..


પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

બનાસકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અનેક મુદ્દાઓ પર તે નિવેદન આપતા હોય છે ત્યારે ફરી એક વખત તેમનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે. ના માત્ર પોલીસ પર પણ પરંતુ અધિકારીઓ પર પણ તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે. ગેનીબેન ઠાકોરે પોલીસ પર હપ્તાખોરીનો ગંભીર આરોપ લગાવ્યો છે. એક સભા દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કહ્યું કે, વહીવટી રીતે અધિકારીઓને સરકારે છુટો દોર આપી દીધો છે. શાકભાજીવાળા અને નાના વેપારી પાસેથી પોલીસ હપ્તા માંગે છે. વળી, મોટા વેપારી અને જ્વેલર્સ પાસેથી GSTના અધિકારી હપ્તા માંગે છે, ઠેર ઠેર હપ્તાખોરી વધી છે.


આ નિવેદન બાદ ગરમાઈ શકે છે ગુજરાતની રાજનીતિ!

મહત્વનું છે કે ઉમેદવાર તરીકે જ્યારથી ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી તેઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. અનેક વખત પ્રચાર દરમિયાન એવા નિવેદન લાવતા હોય છે જેને લઈ ચર્ચા થતી હોય છે અથવા તો રાજનીતિ ગરમાઈ જતી હોય છે.. ત્યારે ગેનીબેન ઠાકોરના આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ શકે છે...    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે