દિવાળી બાદ કોગ્રેસના ઉમેદવારની લિસ્ટ જાહેર કરાશે !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:43:50

ગુજરાત વિધાસભાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે ત્યારે કોગ્રેસ ચૂંટણી જીતવા તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે હવે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે અમદાવાદની મુલાકાતે હતા અને અને NCPના નેતા સાથે ગઢબંધનને લઇને બેઠક યોજી હતી. ત્યારબાદ અશોક ગહેલોતે પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. 


શું કહ્યું અશોક ગેહલોતે ? 

અશોક ગહેલોતે પીએમના વારંવાર ગુજરાત પ્રવાસ પર સવાલો કર્યા અને તેમણે કહ્યું હતું કે, પીએમ વારંવાર ગુજરાત આવી રહ્યા છે તો દિલ્હીના કામ કેમ થશે? અને ટિપ્પણી કરતા કહ્યું કે, ગુજરાતમાં પીએમઓ ઓફિસ શરૂ કરી દેવી જોઈએ. અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે, આ તમામ કાર્યક્રમો સરકારી ખર્ચ પર કરવામાં આવે છે. તેમને કહ્યું રાહુલ ગાંધી પણ યાત્રા કરી રહ્યા છે પરંતુ તે દેશ જોડવા માટે છે... 


કેજરીવાલ પર કર્યા પ્રહાર.... 

કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું કેજરીવાલ પણ ભાઈ જેવા જ છે. પંજાબ જીત્યા એટલે હવે ગુજરાતમાં ફ્રી આપવાની વાત કરે છે. કેજરીવાલ પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે? અશોક ગેહલોતે ગુજરાતને વાયદો કર્યો હતો કે, જો ગુજરાતમાં જીત મળશે તો રાજસ્થાન જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. 


ગુજરાત CM માટે શું કહ્યું ? 

અશોક ગેહલોતે કહ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભલા માણસ છે. પરંતુ આટલા ભલા માણસનું રાજકારણમાં કામ નથી. વધુમાં તેમને ચૂંટણી વિશે કહ્યું, આ વખતે ટકરો મારી સીટ આપવાની છે. એનસીપી સાથે ગઠબંધનની વાત ચાલી રહી છે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની એક યાદી જાહેર કરવામાં આવશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.