શંકર ચૌધરી વિરૂદ્ધ કોંગ્રેસે કરી આચાર સંહિતા ભંગની ફરિયાદ, શંકર ચૌધરીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-04-15 18:52:20

લોકસભા ઈલેકશન્સ માટે ભાજપે અને કોંગ્રેંસે બધા એ જ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની ૨૬એ ૨૬ બેઠકો માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ઉમેદવારો જાહેર થયા બાદ કાર્યકરો અને સંગઠન બરાબર પ્રચારમાં લાગી ગયા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ બનાસકાંઠામાં પ્રચાર કરતા તેમની વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થોડા દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અને હવે આ બાબતને લઈને શંકર ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ધ કરાઈ ફરિયાદ  

ગુજરાતની લોકસભા બેઠક માટે પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક વીડિયો આપણી સામે છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયામાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે શંકર ચૌધરી એક બંધારણીય પદ પર છે એટલે કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ પર છે. અને આ પદ એ તટસ્થાનું પ્રતીક છે એટલે તેઓ પોતે પ્રચાર કરીને આચારસંહિતાનું ભંગ કરે છે  . 


આચારસંહિતાના ભંગની ફરિયાદ બાદ શંકર ચૌધરીએ આપી પ્રતિક્રિયા  

આ બાદ રાજનીતિ ગરમાઈ. અને આ બધા વચ્ચે શંકર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, હું  એક બંધારણીય પદ પર છું , અને મને કોઈ પણ રીતનું કાયદાકીય બંધન નથી. એટલે કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો ચૂંટણીનો પ્રચાર ના કરી શકે, કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ના લઈ શકે . એવું બંધારણમાં ક્યાંય લખેલું નથી. પરંતુ હું બંધારણનું સન્માન કરવામાં માનું છું . એની પરંપરાઓનું માન રાખું છું એટલે જ  આ લોકસભાની ચૂંટણી દરમ્યાન કોઈ પણ રાજકીય પક્ષનો સીધી રીતે પ્રચાર નથી કર્યો. 

  


સાત મેના રોજ ગુજરાતમાં થશે મતદાન 

મહત્વનું છે હાલ ચૂંટણીનો સમય છે, એટલે સામસામા નિવેદનો, ભાષણો તો થતા જ રહેવાના પણ એ વાત દરેક રાજકીય પક્ષ માટે જરૂરી છે કે તેઓ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન કરે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. એક જ દિવસે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન થશે અને એ છે 7 તારીખે... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.