શંકર ચૌધરી વિરૂદ્ધ કોંગ્રેસે કરી આચાર સંહિતા ભંગની ફરિયાદ, શંકર ચૌધરીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-04-15 18:52:20

લોકસભા ઈલેકશન્સ માટે ભાજપે અને કોંગ્રેંસે બધા એ જ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની ૨૬એ ૨૬ બેઠકો માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ઉમેદવારો જાહેર થયા બાદ કાર્યકરો અને સંગઠન બરાબર પ્રચારમાં લાગી ગયા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ બનાસકાંઠામાં પ્રચાર કરતા તેમની વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થોડા દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અને હવે આ બાબતને લઈને શંકર ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ધ કરાઈ ફરિયાદ  

ગુજરાતની લોકસભા બેઠક માટે પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક વીડિયો આપણી સામે છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયામાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે શંકર ચૌધરી એક બંધારણીય પદ પર છે એટલે કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ પર છે. અને આ પદ એ તટસ્થાનું પ્રતીક છે એટલે તેઓ પોતે પ્રચાર કરીને આચારસંહિતાનું ભંગ કરે છે  . 


આચારસંહિતાના ભંગની ફરિયાદ બાદ શંકર ચૌધરીએ આપી પ્રતિક્રિયા  

આ બાદ રાજનીતિ ગરમાઈ. અને આ બધા વચ્ચે શંકર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, હું  એક બંધારણીય પદ પર છું , અને મને કોઈ પણ રીતનું કાયદાકીય બંધન નથી. એટલે કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો ચૂંટણીનો પ્રચાર ના કરી શકે, કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ના લઈ શકે . એવું બંધારણમાં ક્યાંય લખેલું નથી. પરંતુ હું બંધારણનું સન્માન કરવામાં માનું છું . એની પરંપરાઓનું માન રાખું છું એટલે જ  આ લોકસભાની ચૂંટણી દરમ્યાન કોઈ પણ રાજકીય પક્ષનો સીધી રીતે પ્રચાર નથી કર્યો. 

  


સાત મેના રોજ ગુજરાતમાં થશે મતદાન 

મહત્વનું છે હાલ ચૂંટણીનો સમય છે, એટલે સામસામા નિવેદનો, ભાષણો તો થતા જ રહેવાના પણ એ વાત દરેક રાજકીય પક્ષ માટે જરૂરી છે કે તેઓ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન કરે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. એક જ દિવસે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન થશે અને એ છે 7 તારીખે... 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે