શંકર ચૌધરી વિરૂદ્ધ કોંગ્રેસે કરી આચાર સંહિતા ભંગની ફરિયાદ, શંકર ચૌધરીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-15 18:52:20

લોકસભા ઈલેકશન્સ માટે ભાજપે અને કોંગ્રેંસે બધા એ જ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની ૨૬એ ૨૬ બેઠકો માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ઉમેદવારો જાહેર થયા બાદ કાર્યકરો અને સંગઠન બરાબર પ્રચારમાં લાગી ગયા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ બનાસકાંઠામાં પ્રચાર કરતા તેમની વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થોડા દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અને હવે આ બાબતને લઈને શંકર ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ધ કરાઈ ફરિયાદ  

ગુજરાતની લોકસભા બેઠક માટે પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક વીડિયો આપણી સામે છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયામાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે શંકર ચૌધરી એક બંધારણીય પદ પર છે એટલે કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ પર છે. અને આ પદ એ તટસ્થાનું પ્રતીક છે એટલે તેઓ પોતે પ્રચાર કરીને આચારસંહિતાનું ભંગ કરે છે  . 


આચારસંહિતાના ભંગની ફરિયાદ બાદ શંકર ચૌધરીએ આપી પ્રતિક્રિયા  

આ બાદ રાજનીતિ ગરમાઈ. અને આ બધા વચ્ચે શંકર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, હું  એક બંધારણીય પદ પર છું , અને મને કોઈ પણ રીતનું કાયદાકીય બંધન નથી. એટલે કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો ચૂંટણીનો પ્રચાર ના કરી શકે, કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ના લઈ શકે . એવું બંધારણમાં ક્યાંય લખેલું નથી. પરંતુ હું બંધારણનું સન્માન કરવામાં માનું છું . એની પરંપરાઓનું માન રાખું છું એટલે જ  આ લોકસભાની ચૂંટણી દરમ્યાન કોઈ પણ રાજકીય પક્ષનો સીધી રીતે પ્રચાર નથી કર્યો. 

  


સાત મેના રોજ ગુજરાતમાં થશે મતદાન 

મહત્વનું છે હાલ ચૂંટણીનો સમય છે, એટલે સામસામા નિવેદનો, ભાષણો તો થતા જ રહેવાના પણ એ વાત દરેક રાજકીય પક્ષ માટે જરૂરી છે કે તેઓ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન કરે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. એક જ દિવસે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન થશે અને એ છે 7 તારીખે... 



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..