Congressએ જિલ્લા તેમજ શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને ક્યાંની સોંપવામાં આવી જવાબદારી?


  • Published By :
  • Published Date : 2024-02-15 12:57:23

કોંગ્રેસે આજે જિલ્લા તેમજ શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા 13 પ્રમુખોની નિમણૂંક અલગ અલગ જિલ્લા તેમજ શહેર માટે કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી યાદીની વાત કરીએ તો જામનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી મનોજ કથેરિયાને સોંપવામાં આવી છે. મનોજ કથેરિયાને જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવાયા છે જ્યારે  મનોજ ભીખાભાઈ જોષીને જુનાગઢ શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

કોને ક્યાંની જવાબદારી સોંપવામાં આવી?

તે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી નૌશાદ સોલંકીને સોંપવામાં આવી છે, જ્યારે કિશોર ચીખલીયાને મોરબી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી હિતેશ મનુભાઈ વ્યાસને, મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી હસમુખ ચૌધરીને સોંપવામાં આવી છે. સુરત શહેરની જવાબદારી ધનસુખ ભગવતીપ્રસાદને જ્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે અશોક પટેલને સોંપવામાં આવી છે. અતુલ રસીકભાઈ રાજાણીને રાજકોટ શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.