Congressએ જિલ્લા તેમજ શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને ક્યાંની સોંપવામાં આવી જવાબદારી?


  • Published By :
  • Published Date : 2024-02-15 12:57:23

કોંગ્રેસે આજે જિલ્લા તેમજ શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા 13 પ્રમુખોની નિમણૂંક અલગ અલગ જિલ્લા તેમજ શહેર માટે કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી યાદીની વાત કરીએ તો જામનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી મનોજ કથેરિયાને સોંપવામાં આવી છે. મનોજ કથેરિયાને જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવાયા છે જ્યારે  મનોજ ભીખાભાઈ જોષીને જુનાગઢ શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

કોને ક્યાંની જવાબદારી સોંપવામાં આવી?

તે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી નૌશાદ સોલંકીને સોંપવામાં આવી છે, જ્યારે કિશોર ચીખલીયાને મોરબી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી હિતેશ મનુભાઈ વ્યાસને, મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી હસમુખ ચૌધરીને સોંપવામાં આવી છે. સુરત શહેરની જવાબદારી ધનસુખ ભગવતીપ્રસાદને જ્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે અશોક પટેલને સોંપવામાં આવી છે. અતુલ રસીકભાઈ રાજાણીને રાજકોટ શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.