Congressએ જિલ્લા તેમજ શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને ક્યાંની સોંપવામાં આવી જવાબદારી?


  • Published By :
  • Published Date : 2024-02-15 12:57:23

કોંગ્રેસે આજે જિલ્લા તેમજ શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા 13 પ્રમુખોની નિમણૂંક અલગ અલગ જિલ્લા તેમજ શહેર માટે કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી યાદીની વાત કરીએ તો જામનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી મનોજ કથેરિયાને સોંપવામાં આવી છે. મનોજ કથેરિયાને જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવાયા છે જ્યારે  મનોજ ભીખાભાઈ જોષીને જુનાગઢ શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

કોને ક્યાંની જવાબદારી સોંપવામાં આવી?

તે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી નૌશાદ સોલંકીને સોંપવામાં આવી છે, જ્યારે કિશોર ચીખલીયાને મોરબી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી હિતેશ મનુભાઈ વ્યાસને, મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી હસમુખ ચૌધરીને સોંપવામાં આવી છે. સુરત શહેરની જવાબદારી ધનસુખ ભગવતીપ્રસાદને જ્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે અશોક પટેલને સોંપવામાં આવી છે. અતુલ રસીકભાઈ રાજાણીને રાજકોટ શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે