કોંગ્રેસે તૈયાર કર્યો પ્લાન, 15 જ દિવસમાં 25 રેલી, ગાંધી ફેમિલી પ્રચાર કરશે !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-13 16:18:05



હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી કોંગ્રેસે પોતાનું સંપૂર્ણ ધ્યાન ગુજરાત મિશન ગુજરાત પર કેન્દ્રિત કર્યું છે.કોંગ્રેસ 15 દિવસમાં કુલ 25 મેગા રેલીઓ કરશે જેમાં ગુજરાતના 125 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.કોંગ્રેસની આ રેલીઓ આક્રમક ચૂંટણી વ્યૂહરચના હેઠળ થશે અને તેમાં પાર્ટીના દરેક મોટા નેતા પણ ભાગ લેશે. 


એક કોંગ્રેસ નેતાના જણાવ્યા મુજબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરવા આવશે.રાહુલ ગાંધી વિશે વાત કરી તો આ દિવસોમાં તેઓ ભારત જોડો યાત્રા માટે  મહારાષ્ટ્રમાં છે. એટલા માટે જ તેઓ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર કરવા પણ નહતા ગયા. જો કે હાલ એવી ચર્ચા એ જોર પકડ્યો છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે આવી શકે છે. 


કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ પર વધુ ભરોસો

જો કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ પર વધુ ભરોસો રાખીને પોતાની રણનીતિ બદલી છે. રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી 2022માં દ્વારકામાં રાજ્ય કક્ષાના ચિંતન શિબિરમાં પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી અને એ પછી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે "મૌન અભિયાન" યોજના પણ લાગુ કરી હતી. આ સિવાય કોંગ્રેસે આ વખતે મોટા પાયે ઘર-ઘર પ્રચાર અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો વવિકપલ પસંદ કર્યો છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.