કોંગ્રેસે તૈયાર કર્યો પ્લાન, 15 જ દિવસમાં 25 રેલી, ગાંધી ફેમિલી પ્રચાર કરશે !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-13 16:18:05



હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી કોંગ્રેસે પોતાનું સંપૂર્ણ ધ્યાન ગુજરાત મિશન ગુજરાત પર કેન્દ્રિત કર્યું છે.કોંગ્રેસ 15 દિવસમાં કુલ 25 મેગા રેલીઓ કરશે જેમાં ગુજરાતના 125 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.કોંગ્રેસની આ રેલીઓ આક્રમક ચૂંટણી વ્યૂહરચના હેઠળ થશે અને તેમાં પાર્ટીના દરેક મોટા નેતા પણ ભાગ લેશે. 


એક કોંગ્રેસ નેતાના જણાવ્યા મુજબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરવા આવશે.રાહુલ ગાંધી વિશે વાત કરી તો આ દિવસોમાં તેઓ ભારત જોડો યાત્રા માટે  મહારાષ્ટ્રમાં છે. એટલા માટે જ તેઓ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર કરવા પણ નહતા ગયા. જો કે હાલ એવી ચર્ચા એ જોર પકડ્યો છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે આવી શકે છે. 


કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ પર વધુ ભરોસો

જો કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ પર વધુ ભરોસો રાખીને પોતાની રણનીતિ બદલી છે. રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી 2022માં દ્વારકામાં રાજ્ય કક્ષાના ચિંતન શિબિરમાં પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી અને એ પછી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે "મૌન અભિયાન" યોજના પણ લાગુ કરી હતી. આ સિવાય કોંગ્રેસે આ વખતે મોટા પાયે ઘર-ઘર પ્રચાર અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો વવિકપલ પસંદ કર્યો છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.