કોંગ્રેસે વધતી મોંઘવારીને કારણે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2022-12-31 16:22:50

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. વધતી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, દૂધ સહિતની વસ્તુઓમાં ભારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. ગેસ સિલીન્ડરનો ભાવ પહેલી વખત 1000 રુપિયાને પાર પહોંચી ગયો છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.  

મોંઘવારીને લઈ કોંગ્રેસે કર્યો કટાક્ષ

જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ, દૂધ,શાકભાજીના ભાવ વધતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભાવ વધારાની સીધી અસર ગૃહિણીના બજેટ પર પડે છે. જેને કારણે ઘર ચલાવવું કઠિન થાય છે. અનેક વખત દૂધના ભાવમાં વધારો થાય છે તો અનેક વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થાય છે. ત્યારે મોંઘવારીને નિશાન બનાવી કોંગ્રેસે ભાજપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી લખ્યું કે આ વર્ષે મોદી સરકાર દ્વારા મળેલી ગિફ્ટ- ગેસ સિલિન્ડરમાં 200 રુપિયાનો ભાવ વધારો, ખાદ્ય તેલમાં પણ 20 રુપિયાનો ભાવ વધારો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.