કોંગ્રેસે વધતી મોંઘવારીને કારણે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2022-12-31 16:22:50

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. વધતી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, દૂધ સહિતની વસ્તુઓમાં ભારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. ગેસ સિલીન્ડરનો ભાવ પહેલી વખત 1000 રુપિયાને પાર પહોંચી ગયો છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.  

મોંઘવારીને લઈ કોંગ્રેસે કર્યો કટાક્ષ

જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ, દૂધ,શાકભાજીના ભાવ વધતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભાવ વધારાની સીધી અસર ગૃહિણીના બજેટ પર પડે છે. જેને કારણે ઘર ચલાવવું કઠિન થાય છે. અનેક વખત દૂધના ભાવમાં વધારો થાય છે તો અનેક વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થાય છે. ત્યારે મોંઘવારીને નિશાન બનાવી કોંગ્રેસે ભાજપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી લખ્યું કે આ વર્ષે મોદી સરકાર દ્વારા મળેલી ગિફ્ટ- ગેસ સિલિન્ડરમાં 200 રુપિયાનો ભાવ વધારો, ખાદ્ય તેલમાં પણ 20 રુપિયાનો ભાવ વધારો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.