કોંગ્રેસે વધતી મોંઘવારીને કારણે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન


  • Published By :
  • Published Date : 2022-12-31 16:22:50

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. વધતી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, દૂધ સહિતની વસ્તુઓમાં ભારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. ગેસ સિલીન્ડરનો ભાવ પહેલી વખત 1000 રુપિયાને પાર પહોંચી ગયો છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.  

મોંઘવારીને લઈ કોંગ્રેસે કર્યો કટાક્ષ

જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ, દૂધ,શાકભાજીના ભાવ વધતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભાવ વધારાની સીધી અસર ગૃહિણીના બજેટ પર પડે છે. જેને કારણે ઘર ચલાવવું કઠિન થાય છે. અનેક વખત દૂધના ભાવમાં વધારો થાય છે તો અનેક વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થાય છે. ત્યારે મોંઘવારીને નિશાન બનાવી કોંગ્રેસે ભાજપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી લખ્યું કે આ વર્ષે મોદી સરકાર દ્વારા મળેલી ગિફ્ટ- ગેસ સિલિન્ડરમાં 200 રુપિયાનો ભાવ વધારો, ખાદ્ય તેલમાં પણ 20 રુપિયાનો ભાવ વધારો.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.