અમર અક્બર એન્થની સોન્ગનો પ્રયોગ કરી કોંગ્રેસે સાધ્યું નિશાન, લખ્યું એક જગા જબ જમા હો તીનો, અમીત અરવિંદ ઓવૈસી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 16:36:05

ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામ્યો છે. દરેક પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે તો અનેક વખત પ્રહાર થતા રહે છે ત્યારે કોંગ્રેસે પણ વહેતી ગંગામાં હાથ ધોયો છે. આમ આદમી પાર્ટીએ એક મીડિયા રિપોર્ટનો ફોટો શેર કર્યો હતો જેમાં ભાજપના નેતાઓ અને AIMIM વચ્ચે બંધ બારણે બેઠક થઈ છે તેવું બતાવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસે પણ ટ્વિટ કરી છે જેમાં કોંગ્રેસે લખ્યું છે કે જ્યાં જ્યાં બીજેપીને હારનો ડર હોય ત્યાં આ ડાબો-જમણો પહોંચી જાય છે. 

લોકોના મનમાં કોમવાદી ઝેર નાખનાર ભાજપ અને AIMIM બંને પ્રજા વિરોધી પાર્ટી છે - કોંગ્રેસ

ગુજરાતમાં આ વખતે ચૂંટણીને લઈ અલગ રંગ જોવા મળી રહ્યો છે. શાબ્દિક પ્રહાર તો થઈ રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ પ્રહાર માટે કરાઈ  રહ્યો છે. થોડા સમય પહેલા આપે એક મીડિયા રિપોર્ટ શેર કર્યો હતો જેમાં બીજેપીના દિગ્ગજ નેતા AIMIMના નેતાઓ સાથે બેઠક યોજી હતી. જે બાદ ભાજપ પર આમ આદમી પાર્ટી વરસી પડી હતી. આ વાતને કોંગ્રેસે અલગ રીતે લીધી. આ વાતને લઈ કોંગ્રેસે ન માત્ર ભાજપ પર પ્રહાર કર્યા પરંતુ આપ અને ઓવૈસી પર પણ પ્રહાર કર્યા હતા. પોતાના ટ્વિટર અકાઉન્ટથી કોંગ્રેસે ટ્વિટ કરી હતી જેમાં પાર્ટીએ લખ્યું કે ડાબો જમણો ડાબો જમણો... બીજેપીને બાબો જન્મયો... અને લખ્યું એક જગા જબ જમા હો તીનો, અમીત અરવિંદ ઓવૈસી

            




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.