અમર અક્બર એન્થની સોન્ગનો પ્રયોગ કરી કોંગ્રેસે સાધ્યું નિશાન, લખ્યું એક જગા જબ જમા હો તીનો, અમીત અરવિંદ ઓવૈસી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 16:36:05

ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામ્યો છે. દરેક પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે તો અનેક વખત પ્રહાર થતા રહે છે ત્યારે કોંગ્રેસે પણ વહેતી ગંગામાં હાથ ધોયો છે. આમ આદમી પાર્ટીએ એક મીડિયા રિપોર્ટનો ફોટો શેર કર્યો હતો જેમાં ભાજપના નેતાઓ અને AIMIM વચ્ચે બંધ બારણે બેઠક થઈ છે તેવું બતાવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસે પણ ટ્વિટ કરી છે જેમાં કોંગ્રેસે લખ્યું છે કે જ્યાં જ્યાં બીજેપીને હારનો ડર હોય ત્યાં આ ડાબો-જમણો પહોંચી જાય છે. 

લોકોના મનમાં કોમવાદી ઝેર નાખનાર ભાજપ અને AIMIM બંને પ્રજા વિરોધી પાર્ટી છે - કોંગ્રેસ

ગુજરાતમાં આ વખતે ચૂંટણીને લઈ અલગ રંગ જોવા મળી રહ્યો છે. શાબ્દિક પ્રહાર તો થઈ રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ પ્રહાર માટે કરાઈ  રહ્યો છે. થોડા સમય પહેલા આપે એક મીડિયા રિપોર્ટ શેર કર્યો હતો જેમાં બીજેપીના દિગ્ગજ નેતા AIMIMના નેતાઓ સાથે બેઠક યોજી હતી. જે બાદ ભાજપ પર આમ આદમી પાર્ટી વરસી પડી હતી. આ વાતને કોંગ્રેસે અલગ રીતે લીધી. આ વાતને લઈ કોંગ્રેસે ન માત્ર ભાજપ પર પ્રહાર કર્યા પરંતુ આપ અને ઓવૈસી પર પણ પ્રહાર કર્યા હતા. પોતાના ટ્વિટર અકાઉન્ટથી કોંગ્રેસે ટ્વિટ કરી હતી જેમાં પાર્ટીએ લખ્યું કે ડાબો જમણો ડાબો જમણો... બીજેપીને બાબો જન્મયો... અને લખ્યું એક જગા જબ જમા હો તીનો, અમીત અરવિંદ ઓવૈસી

            




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.