અમર અક્બર એન્થની સોન્ગનો પ્રયોગ કરી કોંગ્રેસે સાધ્યું નિશાન, લખ્યું એક જગા જબ જમા હો તીનો, અમીત અરવિંદ ઓવૈસી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 16:36:05

ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામ્યો છે. દરેક પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે તો અનેક વખત પ્રહાર થતા રહે છે ત્યારે કોંગ્રેસે પણ વહેતી ગંગામાં હાથ ધોયો છે. આમ આદમી પાર્ટીએ એક મીડિયા રિપોર્ટનો ફોટો શેર કર્યો હતો જેમાં ભાજપના નેતાઓ અને AIMIM વચ્ચે બંધ બારણે બેઠક થઈ છે તેવું બતાવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસે પણ ટ્વિટ કરી છે જેમાં કોંગ્રેસે લખ્યું છે કે જ્યાં જ્યાં બીજેપીને હારનો ડર હોય ત્યાં આ ડાબો-જમણો પહોંચી જાય છે. 

લોકોના મનમાં કોમવાદી ઝેર નાખનાર ભાજપ અને AIMIM બંને પ્રજા વિરોધી પાર્ટી છે - કોંગ્રેસ

ગુજરાતમાં આ વખતે ચૂંટણીને લઈ અલગ રંગ જોવા મળી રહ્યો છે. શાબ્દિક પ્રહાર તો થઈ રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ પ્રહાર માટે કરાઈ  રહ્યો છે. થોડા સમય પહેલા આપે એક મીડિયા રિપોર્ટ શેર કર્યો હતો જેમાં બીજેપીના દિગ્ગજ નેતા AIMIMના નેતાઓ સાથે બેઠક યોજી હતી. જે બાદ ભાજપ પર આમ આદમી પાર્ટી વરસી પડી હતી. આ વાતને કોંગ્રેસે અલગ રીતે લીધી. આ વાતને લઈ કોંગ્રેસે ન માત્ર ભાજપ પર પ્રહાર કર્યા પરંતુ આપ અને ઓવૈસી પર પણ પ્રહાર કર્યા હતા. પોતાના ટ્વિટર અકાઉન્ટથી કોંગ્રેસે ટ્વિટ કરી હતી જેમાં પાર્ટીએ લખ્યું કે ડાબો જમણો ડાબો જમણો... બીજેપીને બાબો જન્મયો... અને લખ્યું એક જગા જબ જમા હો તીનો, અમીત અરવિંદ ઓવૈસી

            




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.