કોંગ્રેસના નેતા ભૂલ્યા ભાન! રાહુલ ગાંધીને સજા ફટકારનાર જજને લઈ નેતાએ આપ્યું નિવેદન કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-04-08 10:00:55

2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જે બાદ તેમની વિરૂદ્ધ કેસ થયો. થોડા દિવસો પહેલા સુરતની કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવી. રાહુલ ગાંધીની સદસ્યતા પણ રદ્દ કરવામાં આવી હતી અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે તમિલનાડુના એક કોંગ્રેસના નેતાએ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવવા પર રાહુલ ગાંધીને સજા આપનાર જજની જીભ કાપી નાખવામાં આવશે. 


કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમો 

રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા હતો. મોદી સરનેમને લઈ આપેલા નિવેદન બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટ ખાતે આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. સજાના ભાગ રૂપે તેમની બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને દંડ પણ કરાયો હતો. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ કરી દેવાઈ હતી ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. આ મામલે કોંગ્રેસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરાઈ રહ્યા છે.


તમિલનાડુના એક નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન! 

વિવિધ કાર્યક્રમો કરી કોંગ્રેસ આ વાતનો વિરોધ કરી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસના એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તમિલનાડુના એક કોંગ્રેસના નેતાએ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવવા પર રાહુલ ગાંધીને સજા આપનાર જજની જીભ કાપી નાખવામાં આવશે. આ નિવેદન બાદ કોંગ્રેસના નેતા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


રાહુલ ગાંધીને સજા આપનાર જજ વિરૂદ્ધ આપ્યું નિવેદન! 

કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ વાતનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યો છે. ત્યારે આ મામલે 7 એપ્રિલના રોજ કોંગ્રેસ દ્વારા તમિલનાડુમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ડિંડીગુલના કોંગ્રેસના જિલ્લાધ્યક્ષ મનિકાનંદે કહ્યું કે 23 માર્ચે સુરત કોર્ટના જજે અમારા નેતાને બે વર્ષની સજા સંભળાવી છે. સાંભળો, જસ્ટિસ વર્મા, જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે તમારી જબાન કાપી લઈશું.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.