કોંગ્રેસના નેતા ભૂલ્યા ભાન! રાહુલ ગાંધીને સજા ફટકારનાર જજને લઈ નેતાએ આપ્યું નિવેદન કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-04-08 10:00:55

2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જે બાદ તેમની વિરૂદ્ધ કેસ થયો. થોડા દિવસો પહેલા સુરતની કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવી. રાહુલ ગાંધીની સદસ્યતા પણ રદ્દ કરવામાં આવી હતી અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે તમિલનાડુના એક કોંગ્રેસના નેતાએ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવવા પર રાહુલ ગાંધીને સજા આપનાર જજની જીભ કાપી નાખવામાં આવશે. 


કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમો 

રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા હતો. મોદી સરનેમને લઈ આપેલા નિવેદન બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટ ખાતે આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. સજાના ભાગ રૂપે તેમની બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને દંડ પણ કરાયો હતો. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ કરી દેવાઈ હતી ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. આ મામલે કોંગ્રેસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરાઈ રહ્યા છે.


તમિલનાડુના એક નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન! 

વિવિધ કાર્યક્રમો કરી કોંગ્રેસ આ વાતનો વિરોધ કરી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસના એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તમિલનાડુના એક કોંગ્રેસના નેતાએ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવવા પર રાહુલ ગાંધીને સજા આપનાર જજની જીભ કાપી નાખવામાં આવશે. આ નિવેદન બાદ કોંગ્રેસના નેતા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


રાહુલ ગાંધીને સજા આપનાર જજ વિરૂદ્ધ આપ્યું નિવેદન! 

કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ વાતનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યો છે. ત્યારે આ મામલે 7 એપ્રિલના રોજ કોંગ્રેસ દ્વારા તમિલનાડુમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ડિંડીગુલના કોંગ્રેસના જિલ્લાધ્યક્ષ મનિકાનંદે કહ્યું કે 23 માર્ચે સુરત કોર્ટના જજે અમારા નેતાને બે વર્ષની સજા સંભળાવી છે. સાંભળો, જસ્ટિસ વર્મા, જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે તમારી જબાન કાપી લઈશું.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.