કોંગ્રેસના નેતા ભૂલ્યા ભાન! રાહુલ ગાંધીને સજા ફટકારનાર જજને લઈ નેતાએ આપ્યું નિવેદન કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-04-08 10:00:55

2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જે બાદ તેમની વિરૂદ્ધ કેસ થયો. થોડા દિવસો પહેલા સુરતની કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવી. રાહુલ ગાંધીની સદસ્યતા પણ રદ્દ કરવામાં આવી હતી અને સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે તમિલનાડુના એક કોંગ્રેસના નેતાએ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવવા પર રાહુલ ગાંધીને સજા આપનાર જજની જીભ કાપી નાખવામાં આવશે. 


કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમો 

રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા હતો. મોદી સરનેમને લઈ આપેલા નિવેદન બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટ ખાતે આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. સજાના ભાગ રૂપે તેમની બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને દંડ પણ કરાયો હતો. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ કરી દેવાઈ હતી ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. આ મામલે કોંગ્રેસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરાઈ રહ્યા છે.


તમિલનાડુના એક નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન! 

વિવિધ કાર્યક્રમો કરી કોંગ્રેસ આ વાતનો વિરોધ કરી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસના એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તમિલનાડુના એક કોંગ્રેસના નેતાએ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવવા પર રાહુલ ગાંધીને સજા આપનાર જજની જીભ કાપી નાખવામાં આવશે. આ નિવેદન બાદ કોંગ્રેસના નેતા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


રાહુલ ગાંધીને સજા આપનાર જજ વિરૂદ્ધ આપ્યું નિવેદન! 

કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ વાતનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યો છે. ત્યારે આ મામલે 7 એપ્રિલના રોજ કોંગ્રેસ દ્વારા તમિલનાડુમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ડિંડીગુલના કોંગ્રેસના જિલ્લાધ્યક્ષ મનિકાનંદે કહ્યું કે 23 માર્ચે સુરત કોર્ટના જજે અમારા નેતાને બે વર્ષની સજા સંભળાવી છે. સાંભળો, જસ્ટિસ વર્મા, જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે તમારી જબાન કાપી લઈશું.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.