કોંગ્રેસના નેતાએ રાજીનામું આપી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-05 14:20:07

દાહોદના ફતેપુરા વિધાનસભાના કોંગ્રેસના નેતા ગોવિંદ પરમાર પોતાના કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. ગોવિંદ પરમારે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીનું મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેરાત બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. 


કોણ છે ગોવિંદ પરમાર?

ગોવિંદભાઈ પરમાર ફતેપુરા વિસ્તારમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં ગણવામાં આવે છે. ગોવિંદ પરમાર ફતેપુરા વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે કામ કરતા હતા. તેમના જણાવ્યા મુજબ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો અને આમ આદમી પાર્ટીની દિલ્લીની કામગીરીના કારણે તેઓ આપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. 


ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્રણેય પાર્ટીઓ પોતાની રીતે ગુજરાતની જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત રોજ જ આમ આદમી પાર્ટીમાંથી રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજીનામું આપ્યું હતું અને જ્યાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીએ આજે જ 21 ઉમેદવારોનું નવું લિસ્ટ જાહેર કરી દીધું છે ત્યારે ચૂંટણી કેવી રહેશે તે જોવાનું રહેશે.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"