કોંગ્રેસના નેતાએ રાજીનામું આપી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-05 14:20:07

દાહોદના ફતેપુરા વિધાનસભાના કોંગ્રેસના નેતા ગોવિંદ પરમાર પોતાના કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. ગોવિંદ પરમારે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીનું મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેરાત બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. 


કોણ છે ગોવિંદ પરમાર?

ગોવિંદભાઈ પરમાર ફતેપુરા વિસ્તારમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં ગણવામાં આવે છે. ગોવિંદ પરમાર ફતેપુરા વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે કામ કરતા હતા. તેમના જણાવ્યા મુજબ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો અને આમ આદમી પાર્ટીની દિલ્લીની કામગીરીના કારણે તેઓ આપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. 


ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્રણેય પાર્ટીઓ પોતાની રીતે ગુજરાતની જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત રોજ જ આમ આદમી પાર્ટીમાંથી રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજીનામું આપ્યું હતું અને જ્યાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીએ આજે જ 21 ઉમેદવારોનું નવું લિસ્ટ જાહેર કરી દીધું છે ત્યારે ચૂંટણી કેવી રહેશે તે જોવાનું રહેશે.  



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.