અદાણી મુદ્દે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સાધ્યું ભાજપ પર નિશાન, ટ્વિટ કરી કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-02-04 11:27:56

હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અદાણીને લઈ વિપક્ષી દળો દ્વારા સંસદમાં હંગામો કરવામાં આવ્યો છે. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભાજપ તેમજ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી જયરામે કહ્યું કે જ્યારે સરકારી અધિકારી કહી રહ્યા હતા કે અદાણી ગ્રુપથી જોડાયેલા મામલા સરકાર માટે ચાના કપમાં આવેલા તુફાન જેવું છે, તો સરકારમાં આ કપ પીએમ મોદીનો છે.

   

અદાણી મામલે સંસદમાં થયો હંગામો 

થોડા સમય પહેલા અદાણીને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો. આ રિપોર્ટની સીધી અસર અદાણીની સંપત્તિ પર પડી રહી છે. દિવસેને દિવસે તેમની સંપત્તિનું ધોવાણ થઈ રહ્યું છે. અદાણી મુદ્દે સંસદમાં પણ વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો છે જેને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કેન્દ્રની ભાજપ સરકાર પર તેમજ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. 


ટ્વિટ કરી કોંગ્રેસના નેતાએ સાધ્યું ભાજપ પર નિશાન 

જયરામ રમેશે ટ્વિટ કરી જેમાં તેમણે કહ્યું કે એક વરિષ્ઠ અધિકારીએ અદાણી મામલાને ચાના કપમાં આવેલા તૂફાન કહી નકારી દીધો હતો. ખેર હવે તૂફાનના રૂપમાં સ્વીકારી રહ્યા છે. તો ફિર આ કપ કોઈ બીજાનો નહીં પણ પીએમ મોદીનો છે. આ કોઈ સાધારણ ચાનો કપ નથી.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.