અદાણી મુદ્દે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સાધ્યું ભાજપ પર નિશાન, ટ્વિટ કરી કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-02-04 11:27:56

હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અદાણીને લઈ વિપક્ષી દળો દ્વારા સંસદમાં હંગામો કરવામાં આવ્યો છે. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભાજપ તેમજ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી જયરામે કહ્યું કે જ્યારે સરકારી અધિકારી કહી રહ્યા હતા કે અદાણી ગ્રુપથી જોડાયેલા મામલા સરકાર માટે ચાના કપમાં આવેલા તુફાન જેવું છે, તો સરકારમાં આ કપ પીએમ મોદીનો છે.

   

અદાણી મામલે સંસદમાં થયો હંગામો 

થોડા સમય પહેલા અદાણીને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો. આ રિપોર્ટની સીધી અસર અદાણીની સંપત્તિ પર પડી રહી છે. દિવસેને દિવસે તેમની સંપત્તિનું ધોવાણ થઈ રહ્યું છે. અદાણી મુદ્દે સંસદમાં પણ વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો છે જેને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કેન્દ્રની ભાજપ સરકાર પર તેમજ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. 


ટ્વિટ કરી કોંગ્રેસના નેતાએ સાધ્યું ભાજપ પર નિશાન 

જયરામ રમેશે ટ્વિટ કરી જેમાં તેમણે કહ્યું કે એક વરિષ્ઠ અધિકારીએ અદાણી મામલાને ચાના કપમાં આવેલા તૂફાન કહી નકારી દીધો હતો. ખેર હવે તૂફાનના રૂપમાં સ્વીકારી રહ્યા છે. તો ફિર આ કપ કોઈ બીજાનો નહીં પણ પીએમ મોદીનો છે. આ કોઈ સાધારણ ચાનો કપ નથી.  




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.