કોંગ્રેસ નેતાએ Raju Bapu વિવાદમાં કરી વિવાદિત પોસ્ટ! કાયદો હાથમાં લેવાની વાત કરતા લખ્યું કેે... જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-22 12:27:29

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના પછી કોળી-ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વધતા રાજુગીરી બાપુએ જાહેરમાં રડતા રડતા માફી માગી હતી. પરંતુ, તેમ છતાં સમાજ દ્વારા વિરોધ યથાવત છે. ત્યારે હવે રાજુગીરી બાપુના બફાટ બાદ કોંગ્રેસ નેતાનો બફાટ સામે આવ્યો છે. કોંગ્રેસ નેતાએ ભાન ભૂલી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.... 


કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી... 

કથાકાર રાજુગીરી બાપુના બફાટ બાદ હવે કોંગ્રેસ નેતાનો બફાટ સામે આવ્યો છે. ..કોંગ્રેસ નેતા ભોપાજી ઉર્ફે અમૃત ઠાકોરે રાજુગીરી બાપુ સામે કાયદો હાથમાં લેવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, રાજુગીરી બાપુની જીભ કાપે તેને 11 લાખનું ઈનામ આપવામાં આવશે. કોંગ્રેસ નેતાની આ પોસ્ટ વાયરલ થતા વિવાદ વકર્યો છે. ત્યારે સવાલ થાય છે કે શું જાહેર જીવનમાં રહીને પણ તમે આવી હરકત કરશો ? તમે જાહેર જીવનમાં છો કે પછી માફિયાગીરી કરો છો? જો વાંધો હોય તો કાયદાકીય પ્રક્રિયા કેમ હાથ નથી ધરતા ?


વિવાદ વધતા રાજુગીરી બાપુએ રડતા રડતા માફી પણ માગી 

ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના ગામમાં ચાલી રહેલી કથા દરમિયાન કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ કોળી-ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમરેલીમાં આવેલા કથાકાર રાજુબાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને કથાકાર રાજુગીરી બાપુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પરિસ્થિતિને જોતા કથાકારના નિવાસસ્થાને પોલીસ અધિકારીઓનો કાફલા તૈનાત કરાયો હતો. જો કે, વિવાદ વધતા રાજુગીરી બાપુએ જાહેરમાં રડતા રડતા માફી માગી હતી અને સમાજ મોટું મન રાખીને તેમની ભૂલને માફ કરે તેવી વિનંતી કરી હતી.... 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"