કોંગ્રેસ નેતાએ Raju Bapu વિવાદમાં કરી વિવાદિત પોસ્ટ! કાયદો હાથમાં લેવાની વાત કરતા લખ્યું કેે... જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-22 12:27:29

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના પછી કોળી-ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વધતા રાજુગીરી બાપુએ જાહેરમાં રડતા રડતા માફી માગી હતી. પરંતુ, તેમ છતાં સમાજ દ્વારા વિરોધ યથાવત છે. ત્યારે હવે રાજુગીરી બાપુના બફાટ બાદ કોંગ્રેસ નેતાનો બફાટ સામે આવ્યો છે. કોંગ્રેસ નેતાએ ભાન ભૂલી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.... 


કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી... 

કથાકાર રાજુગીરી બાપુના બફાટ બાદ હવે કોંગ્રેસ નેતાનો બફાટ સામે આવ્યો છે. ..કોંગ્રેસ નેતા ભોપાજી ઉર્ફે અમૃત ઠાકોરે રાજુગીરી બાપુ સામે કાયદો હાથમાં લેવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, રાજુગીરી બાપુની જીભ કાપે તેને 11 લાખનું ઈનામ આપવામાં આવશે. કોંગ્રેસ નેતાની આ પોસ્ટ વાયરલ થતા વિવાદ વકર્યો છે. ત્યારે સવાલ થાય છે કે શું જાહેર જીવનમાં રહીને પણ તમે આવી હરકત કરશો ? તમે જાહેર જીવનમાં છો કે પછી માફિયાગીરી કરો છો? જો વાંધો હોય તો કાયદાકીય પ્રક્રિયા કેમ હાથ નથી ધરતા ?


વિવાદ વધતા રાજુગીરી બાપુએ રડતા રડતા માફી પણ માગી 

ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના ગામમાં ચાલી રહેલી કથા દરમિયાન કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ કોળી-ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમરેલીમાં આવેલા કથાકાર રાજુબાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને કથાકાર રાજુગીરી બાપુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પરિસ્થિતિને જોતા કથાકારના નિવાસસ્થાને પોલીસ અધિકારીઓનો કાફલા તૈનાત કરાયો હતો. જો કે, વિવાદ વધતા રાજુગીરી બાપુએ જાહેરમાં રડતા રડતા માફી માગી હતી અને સમાજ મોટું મન રાખીને તેમની ભૂલને માફ કરે તેવી વિનંતી કરી હતી.... 




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે