મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 150 બેઠકો જીતશે: રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2023-05-29 16:00:49

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના નેતાઓનો ઉત્સાહ ચરમસીમા પર છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીઓ દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ચમત્કાર સર્જશે. રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 150 જેટલી સીટો જીતશે. કોંગ્રેસ પાર્ટીની મધ્ય પ્રદેશ ચૂંટણીને લઈ યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ આ દાવો કર્યો હતો.


કોંગ્રેસના અગ્રણી નેતાએ કર્યું મંથન


મધ્ય પ્રદેશ ચૂંટણીને લઈ દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની મિટિંગમાં રાહુલ ગાંધી, પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે, પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથ સહિતના 10 નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં પાર્ટીએ કર્ણાટકની તર્જ પર ચૂંટણી રણનિતી તૈયાર કરવા મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. રાહુલ ગાંધીએ પાર્ટીના અનુભવી નેતાઓના વિચારો પણ સાંભળ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે મધ્ય પ્રદેશમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.


જુથબાજીના કારણે પાર્ટીએ સત્તા ગુમાવી


મધ્ય પ્રદેશમાં વર્ષ 2018માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. જો કે બાદમાં રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે સત્તાની ખેંચતાળ શરૂ થઈ ગઈ હતી. અંતે સિંધિયાએ બળવો કર્યો હતો જેના  કારણે કમલનાથે સત્તા ગુમાવવી પડી હતી. સિંધિયા તેમના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપામાં જોડાઈ ગયા હતા. અંતે રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર બની હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.