મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 150 બેઠકો જીતશે: રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2023-05-29 16:00:49

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના નેતાઓનો ઉત્સાહ ચરમસીમા પર છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીઓ દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ચમત્કાર સર્જશે. રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 150 જેટલી સીટો જીતશે. કોંગ્રેસ પાર્ટીની મધ્ય પ્રદેશ ચૂંટણીને લઈ યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ આ દાવો કર્યો હતો.


કોંગ્રેસના અગ્રણી નેતાએ કર્યું મંથન


મધ્ય પ્રદેશ ચૂંટણીને લઈ દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની મિટિંગમાં રાહુલ ગાંધી, પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે, પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથ સહિતના 10 નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં પાર્ટીએ કર્ણાટકની તર્જ પર ચૂંટણી રણનિતી તૈયાર કરવા મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. રાહુલ ગાંધીએ પાર્ટીના અનુભવી નેતાઓના વિચારો પણ સાંભળ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે મધ્ય પ્રદેશમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.


જુથબાજીના કારણે પાર્ટીએ સત્તા ગુમાવી


મધ્ય પ્રદેશમાં વર્ષ 2018માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. જો કે બાદમાં રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે સત્તાની ખેંચતાળ શરૂ થઈ ગઈ હતી. અંતે સિંધિયાએ બળવો કર્યો હતો જેના  કારણે કમલનાથે સત્તા ગુમાવવી પડી હતી. સિંધિયા તેમના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપામાં જોડાઈ ગયા હતા. અંતે રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર બની હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.