કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કર્ણાટક સરકાર પર લગાવ્યા આક્ષેપ


  • Published By :
  • Published Date : 2022-10-29 19:14:48

કોંગ્રેસ સરકારે દિવાળી પર પત્રકારોને રોકડા રૂપિયા ગિફ્ટમાં આપ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ રાજકીય ગરમાવો વધાર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ પત્રકારોને રોકડ રકમ ગિફ્ટ આપી છે કે નહીં તે મામલે તપાસના આદેશ આપ્યા છે. 


કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કર્ણાટક સરકાર પર કર્યા પ્રહારો

કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને કર્ણાટક સરકારને સવાલ પૂછ્યો હતો. તેમણે ટ્વીટ કરી હતી કે કર્ણાટક સરકારે પત્રકારોને 1 લાખ રૂપિયાની લાંચ આપી છે. સુરજેવાલાએ લખ્યું હતું કે આ મામલે મુખ્યમંત્રી બોમ્મઈ જવાબ આપશે કે નહીં. મુખ્યમંત્રીએ તો લાંચ નહીં આપીને? 1 લાખ રૂપિયા સરકાર પાસેથી ક્યાંથી આવ્યા? શું આ રૂપિયા સરકારી ખજાનામાંથી આવ્યા છે કે મુખ્યમંત્રીના પોતાના છે? શું ઈડી કે આઈટી આ મામલે તપાસ કરશે? બોમ્માઈ અને કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલયના લાંચનો પર્દાફાસ થયો છે. આશા છે કે ભાજપ સરકારને એ વિશ્વાસ હશે કે તમામ લોકો નથી વેચાઈ શકતા.   


મુખ્યમંત્રી બોમ્મઈએ સમગ્ર મામલે શું પ્રતિક્રિયા આપી?

કર્ણાટક કોંગ્રેસના આ આરોપ મામલે મુખ્યમંત્રી બોમ્મઈનું કહેવું છે કે તેઓ આ ઘટનાથી પરિચિત નથી. સીએમ બોમ્મઈએ જણાવ્યું હતું કે પત્રકારોને ગિફ્ટમાં રોકડા રૂપિયા આપ્યા છે તે મામલે તેમને કોઈ જાણ નથી. 


 



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.