કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કર્ણાટક સરકાર પર લગાવ્યા આક્ષેપ


  • Published By :
  • Published Date : 2022-10-29 19:14:48

કોંગ્રેસ સરકારે દિવાળી પર પત્રકારોને રોકડા રૂપિયા ગિફ્ટમાં આપ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ રાજકીય ગરમાવો વધાર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ પત્રકારોને રોકડ રકમ ગિફ્ટ આપી છે કે નહીં તે મામલે તપાસના આદેશ આપ્યા છે. 


કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કર્ણાટક સરકાર પર કર્યા પ્રહારો

કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને કર્ણાટક સરકારને સવાલ પૂછ્યો હતો. તેમણે ટ્વીટ કરી હતી કે કર્ણાટક સરકારે પત્રકારોને 1 લાખ રૂપિયાની લાંચ આપી છે. સુરજેવાલાએ લખ્યું હતું કે આ મામલે મુખ્યમંત્રી બોમ્મઈ જવાબ આપશે કે નહીં. મુખ્યમંત્રીએ તો લાંચ નહીં આપીને? 1 લાખ રૂપિયા સરકાર પાસેથી ક્યાંથી આવ્યા? શું આ રૂપિયા સરકારી ખજાનામાંથી આવ્યા છે કે મુખ્યમંત્રીના પોતાના છે? શું ઈડી કે આઈટી આ મામલે તપાસ કરશે? બોમ્માઈ અને કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલયના લાંચનો પર્દાફાસ થયો છે. આશા છે કે ભાજપ સરકારને એ વિશ્વાસ હશે કે તમામ લોકો નથી વેચાઈ શકતા.   


મુખ્યમંત્રી બોમ્મઈએ સમગ્ર મામલે શું પ્રતિક્રિયા આપી?

કર્ણાટક કોંગ્રેસના આ આરોપ મામલે મુખ્યમંત્રી બોમ્મઈનું કહેવું છે કે તેઓ આ ઘટનાથી પરિચિત નથી. સીએમ બોમ્મઈએ જણાવ્યું હતું કે પત્રકારોને ગિફ્ટમાં રોકડા રૂપિયા આપ્યા છે તે મામલે તેમને કોઈ જાણ નથી. 


 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.