કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કર્ણાટક સરકાર પર લગાવ્યા આક્ષેપ


  • Published By :
  • Published Date : 2022-10-29 19:14:48

કોંગ્રેસ સરકારે દિવાળી પર પત્રકારોને રોકડા રૂપિયા ગિફ્ટમાં આપ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ રાજકીય ગરમાવો વધાર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ પત્રકારોને રોકડ રકમ ગિફ્ટ આપી છે કે નહીં તે મામલે તપાસના આદેશ આપ્યા છે. 


કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કર્ણાટક સરકાર પર કર્યા પ્રહારો

કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને કર્ણાટક સરકારને સવાલ પૂછ્યો હતો. તેમણે ટ્વીટ કરી હતી કે કર્ણાટક સરકારે પત્રકારોને 1 લાખ રૂપિયાની લાંચ આપી છે. સુરજેવાલાએ લખ્યું હતું કે આ મામલે મુખ્યમંત્રી બોમ્મઈ જવાબ આપશે કે નહીં. મુખ્યમંત્રીએ તો લાંચ નહીં આપીને? 1 લાખ રૂપિયા સરકાર પાસેથી ક્યાંથી આવ્યા? શું આ રૂપિયા સરકારી ખજાનામાંથી આવ્યા છે કે મુખ્યમંત્રીના પોતાના છે? શું ઈડી કે આઈટી આ મામલે તપાસ કરશે? બોમ્માઈ અને કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલયના લાંચનો પર્દાફાસ થયો છે. આશા છે કે ભાજપ સરકારને એ વિશ્વાસ હશે કે તમામ લોકો નથી વેચાઈ શકતા.   


મુખ્યમંત્રી બોમ્મઈએ સમગ્ર મામલે શું પ્રતિક્રિયા આપી?

કર્ણાટક કોંગ્રેસના આ આરોપ મામલે મુખ્યમંત્રી બોમ્મઈનું કહેવું છે કે તેઓ આ ઘટનાથી પરિચિત નથી. સીએમ બોમ્મઈએ જણાવ્યું હતું કે પત્રકારોને ગિફ્ટમાં રોકડા રૂપિયા આપ્યા છે તે મામલે તેમને કોઈ જાણ નથી. 


 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.