કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કર્ણાટક સરકાર પર લગાવ્યા આક્ષેપ


  • Published By :
  • Published Date : 2022-10-29 19:14:48

કોંગ્રેસ સરકારે દિવાળી પર પત્રકારોને રોકડા રૂપિયા ગિફ્ટમાં આપ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ રાજકીય ગરમાવો વધાર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ પત્રકારોને રોકડ રકમ ગિફ્ટ આપી છે કે નહીં તે મામલે તપાસના આદેશ આપ્યા છે. 


કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કર્ણાટક સરકાર પર કર્યા પ્રહારો

કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને કર્ણાટક સરકારને સવાલ પૂછ્યો હતો. તેમણે ટ્વીટ કરી હતી કે કર્ણાટક સરકારે પત્રકારોને 1 લાખ રૂપિયાની લાંચ આપી છે. સુરજેવાલાએ લખ્યું હતું કે આ મામલે મુખ્યમંત્રી બોમ્મઈ જવાબ આપશે કે નહીં. મુખ્યમંત્રીએ તો લાંચ નહીં આપીને? 1 લાખ રૂપિયા સરકાર પાસેથી ક્યાંથી આવ્યા? શું આ રૂપિયા સરકારી ખજાનામાંથી આવ્યા છે કે મુખ્યમંત્રીના પોતાના છે? શું ઈડી કે આઈટી આ મામલે તપાસ કરશે? બોમ્માઈ અને કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલયના લાંચનો પર્દાફાસ થયો છે. આશા છે કે ભાજપ સરકારને એ વિશ્વાસ હશે કે તમામ લોકો નથી વેચાઈ શકતા.   


મુખ્યમંત્રી બોમ્મઈએ સમગ્ર મામલે શું પ્રતિક્રિયા આપી?

કર્ણાટક કોંગ્રેસના આ આરોપ મામલે મુખ્યમંત્રી બોમ્મઈનું કહેવું છે કે તેઓ આ ઘટનાથી પરિચિત નથી. સીએમ બોમ્મઈએ જણાવ્યું હતું કે પત્રકારોને ગિફ્ટમાં રોકડા રૂપિયા આપ્યા છે તે મામલે તેમને કોઈ જાણ નથી. 


 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.