સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર


  • Published By :
  • Published Date : 2023-03-03 15:34:03

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સંસદીય દળની નેતા સોનિયા ગાંધીને તાવની બિમારીના કારણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે  હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી છે કે તેમની હાલત સ્થિર છે. સોનિયા ગાંધીને હાલ તાવના કારણે ચેસ્ટ મેડિસીન વિભાગના હેડ ડોક્ટર અરૂપ બસુ અને તેમની ટીમના નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. 


સોનિયા ગાંધી સારવાર હેઠળ


સોનિયા ગાંધી હાલ હોસ્પિટલના સિનિયર ડોક્ટરોની નિરિક્ષણમાં સારવાર લઈ રહ્યા છે. તેમની  તબિયતને લઈ ચિંતાનું કોઈ કારણ નથી અને તબિયત સ્થિર છે. સોનિયા ગાંધીના હેલ્થ સંબંધિત વિવિધ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધી હાલ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા ગયા છે. સોનિયા ગાંધી આ પહેલા પણ તબિયતના કારણોથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. કોવિડકાળ બાદ સોનિયા ગાંધીની  તબિયત અવારનવાર બીમાર રહે છે.


 જાન્યુઆરીમાં પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા


આ પહેલા સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને 5 જાન્યુઆરીએ ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાઈરલ ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી હતી. તે સમયે સોનિયાની પુત્રી પ્રિયંકા ગાંધી તેની માતા સાથે હાજર હતી.





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.