સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર


  • Published By :
  • Published Date : 2023-03-03 15:34:03

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સંસદીય દળની નેતા સોનિયા ગાંધીને તાવની બિમારીના કારણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે  હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી છે કે તેમની હાલત સ્થિર છે. સોનિયા ગાંધીને હાલ તાવના કારણે ચેસ્ટ મેડિસીન વિભાગના હેડ ડોક્ટર અરૂપ બસુ અને તેમની ટીમના નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. 


સોનિયા ગાંધી સારવાર હેઠળ


સોનિયા ગાંધી હાલ હોસ્પિટલના સિનિયર ડોક્ટરોની નિરિક્ષણમાં સારવાર લઈ રહ્યા છે. તેમની  તબિયતને લઈ ચિંતાનું કોઈ કારણ નથી અને તબિયત સ્થિર છે. સોનિયા ગાંધીના હેલ્થ સંબંધિત વિવિધ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધી હાલ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા ગયા છે. સોનિયા ગાંધી આ પહેલા પણ તબિયતના કારણોથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. કોવિડકાળ બાદ સોનિયા ગાંધીની  તબિયત અવારનવાર બીમાર રહે છે.


 જાન્યુઆરીમાં પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા


આ પહેલા સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને 5 જાન્યુઆરીએ ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાઈરલ ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી હતી. તે સમયે સોનિયાની પુત્રી પ્રિયંકા ગાંધી તેની માતા સાથે હાજર હતી.





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.