કોંગ્રેસના નેતાઓએ કર્યું મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 10:20:38

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. બીજા તબક્કાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે. 93 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. મતદાન શરૂ થતા અનેક દિગ્ગજ નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ મતદાન કર્યું છે. ત્યારે કોંગેસના નેતા ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 


ગુજરાતમાં 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થયું હતું અને બીજી તબક્કાનું મતદાન આજે એટલે કે પાંચમી ડિસેમ્બરના રોજ થઈ રહ્યું છે. આજે 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. અનેક ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ દેદરડા ખાતેથી મતદાન કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ આંકલાવ કેશવપુરા પ્રાથમિક શાળાથી મતદાન કર્યું હતું.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે