કોંગ્રેસના નેતાઓએ કર્યું મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 10:20:38

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. બીજા તબક્કાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે. 93 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. મતદાન શરૂ થતા અનેક દિગ્ગજ નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ મતદાન કર્યું છે. ત્યારે કોંગેસના નેતા ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 


ગુજરાતમાં 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થયું હતું અને બીજી તબક્કાનું મતદાન આજે એટલે કે પાંચમી ડિસેમ્બરના રોજ થઈ રહ્યું છે. આજે 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. અનેક ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ દેદરડા ખાતેથી મતદાન કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ આંકલાવ કેશવપુરા પ્રાથમિક શાળાથી મતદાન કર્યું હતું.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.