Gujarat: બાકી રહેલી Loksabha બેઠકો માટે Congress જાહેર કરી શકે છે ઉમેદવાર, નામોની જાહેરાત થાય તે પહેલા જાણો કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ?


  • Published By :
  • Published Date : 2024-03-18 17:25:06

ગુજરાતની 26 બેઠકો માટે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપ દ્વારા 22 ઉમેદવારોની જ્યારે કોંગ્રેસે 7 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બે બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવારોને લઈ ઈંતેઝારી છે. 24 બેઠકોમાંથી માત્ર 7 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે થોડા સમયની અંદર કોંગ્રેસ ગુજરાતના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે. આવતી કાલે લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. 



કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ? 

જે લોકોના નામની ચર્ચાઓ થઈ રહી છે તે અંગે વાત કરીએ તો ખેડા બેઠક ઉપર કોંગ્રેસકાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે, છોટાઉદેપુર સુખરામ રાઠવા ઉમેદવાર હશે તેવું માનવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર બેઠક પર નૌશાદ સોલંકી અથવા લાલજી દેસાઈને ટિકીટ આપવામાં આવી શકે છે. તે સિવાય ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ મહિલા ઉમેદવાર ઉતારી શકે છે અને જે મહિલાના નામની ચર્ચા થઈ રહી છે તે સોનલબેન પટેલ. પાટણ બેઠક પર ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ નક્કી છે અને મહેસાણા બેઠક ઉપર ભરતજી ઠાકોરને કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નામ ફાઈનલ જેવા જ છે... કોંગ્રેસના હાઈ કમાન્ડે નામો પર મહોર લગાવી દીધી છે માત્ર નામની જાહેરાત કરવાની બાકી છે. 



 

કોના કોના નામની થઈ ગઈ છે જાહેરાત? 

કોંગ્રેસ દ્વારા ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 7 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે વર્તમાન બે ધારાસભ્યોને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.  બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે જ્યારે  અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા ઉમેદવાર છે.  અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તાને ટિકીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો  સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી ઉમેદવાર હશે. તે ઉપરાંત વલસાડથી અનંત પટેલ જ્યારે પોરબંદરથી લલિત વસોયાના નામની જાહેરાત કરી છે. તે ઉપરાંત કચ્છથી-મિતેષ લાલણને ટિકીટ આપવામાં આવી છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.