Gujarat: બાકી રહેલી Loksabha બેઠકો માટે Congress જાહેર કરી શકે છે ઉમેદવાર, નામોની જાહેરાત થાય તે પહેલા જાણો કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ?


  • Published By :
  • Published Date : 2024-03-18 17:25:06

ગુજરાતની 26 બેઠકો માટે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપ દ્વારા 22 ઉમેદવારોની જ્યારે કોંગ્રેસે 7 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બે બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવારોને લઈ ઈંતેઝારી છે. 24 બેઠકોમાંથી માત્ર 7 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે થોડા સમયની અંદર કોંગ્રેસ ગુજરાતના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે. આવતી કાલે લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. 



કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ? 

જે લોકોના નામની ચર્ચાઓ થઈ રહી છે તે અંગે વાત કરીએ તો ખેડા બેઠક ઉપર કોંગ્રેસકાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે, છોટાઉદેપુર સુખરામ રાઠવા ઉમેદવાર હશે તેવું માનવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર બેઠક પર નૌશાદ સોલંકી અથવા લાલજી દેસાઈને ટિકીટ આપવામાં આવી શકે છે. તે સિવાય ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ મહિલા ઉમેદવાર ઉતારી શકે છે અને જે મહિલાના નામની ચર્ચા થઈ રહી છે તે સોનલબેન પટેલ. પાટણ બેઠક પર ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ નક્કી છે અને મહેસાણા બેઠક ઉપર ભરતજી ઠાકોરને કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નામ ફાઈનલ જેવા જ છે... કોંગ્રેસના હાઈ કમાન્ડે નામો પર મહોર લગાવી દીધી છે માત્ર નામની જાહેરાત કરવાની બાકી છે. 



 

કોના કોના નામની થઈ ગઈ છે જાહેરાત? 

કોંગ્રેસ દ્વારા ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 7 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે વર્તમાન બે ધારાસભ્યોને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.  બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે જ્યારે  અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા ઉમેદવાર છે.  અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તાને ટિકીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો  સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી ઉમેદવાર હશે. તે ઉપરાંત વલસાડથી અનંત પટેલ જ્યારે પોરબંદરથી લલિત વસોયાના નામની જાહેરાત કરી છે. તે ઉપરાંત કચ્છથી-મિતેષ લાલણને ટિકીટ આપવામાં આવી છે.    




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે