Gujarat: બાકી રહેલી Loksabha બેઠકો માટે Congress જાહેર કરી શકે છે ઉમેદવાર, નામોની જાહેરાત થાય તે પહેલા જાણો કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ?


  • Published By :
  • Published Date : 2024-03-18 17:25:06

ગુજરાતની 26 બેઠકો માટે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપ દ્વારા 22 ઉમેદવારોની જ્યારે કોંગ્રેસે 7 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બે બેઠકો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવારોને લઈ ઈંતેઝારી છે. 24 બેઠકોમાંથી માત્ર 7 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે થોડા સમયની અંદર કોંગ્રેસ ગુજરાતના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે. આવતી કાલે લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. 



કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ? 

જે લોકોના નામની ચર્ચાઓ થઈ રહી છે તે અંગે વાત કરીએ તો ખેડા બેઠક ઉપર કોંગ્રેસકાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે, છોટાઉદેપુર સુખરામ રાઠવા ઉમેદવાર હશે તેવું માનવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર બેઠક પર નૌશાદ સોલંકી અથવા લાલજી દેસાઈને ટિકીટ આપવામાં આવી શકે છે. તે સિવાય ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ મહિલા ઉમેદવાર ઉતારી શકે છે અને જે મહિલાના નામની ચર્ચા થઈ રહી છે તે સોનલબેન પટેલ. પાટણ બેઠક પર ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ નક્કી છે અને મહેસાણા બેઠક ઉપર ભરતજી ઠાકોરને કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નામ ફાઈનલ જેવા જ છે... કોંગ્રેસના હાઈ કમાન્ડે નામો પર મહોર લગાવી દીધી છે માત્ર નામની જાહેરાત કરવાની બાકી છે. 



 

કોના કોના નામની થઈ ગઈ છે જાહેરાત? 

કોંગ્રેસ દ્વારા ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 7 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે વર્તમાન બે ધારાસભ્યોને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.  બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે જ્યારે  અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા ઉમેદવાર છે.  અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તાને ટિકીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો  સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી ઉમેદવાર હશે. તે ઉપરાંત વલસાડથી અનંત પટેલ જ્યારે પોરબંદરથી લલિત વસોયાના નામની જાહેરાત કરી છે. તે ઉપરાંત કચ્છથી-મિતેષ લાલણને ટિકીટ આપવામાં આવી છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.