Loksabha Election માટે Congress આજે જાહેર કરી શકે છે બાકી રહેલા ઉમેદવારોના નામ, જાણો કોણ હોઈ શકે છે સંભવિત ઉમેદવાર?


  • Published By :
  • Published Date : 2024-04-13 11:53:24

એક તરફ ભાજપના ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે તો બીજી તરફ ગુજરાતની ચાર બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. જે મુજબ 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે બે બેઠકો પર આપ ઉમેદવાર ઉતારશે. 20 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારના નામ જાહેર કર્યા પરંતુ ચાર બેઠકો માટે કોંગ્રેસમાં ઘણા સમયથી મનોમંથન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે રાજકોટ, નવસારી, અમદાવાદ પૂર્વ તેમજ મહેસાણા માટે કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત આજે કરી શકે છે.



કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન 

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા થઈ ગઈ હતી પરંતુ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી ન હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. ભાવનગર તેમજ ભરૂચ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, કોંગ્રેસે 20 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે પરંતુ હજી સુધી ચાર બેઠકો એવી છે જેના માટે નામ જાહેર નથી કરાયા. આ બધા વચ્ચે બાકી રહેલી ચાર બેઠકો પર કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે તેના નામોની ચર્ચા થઈ રહી છે... જે નામોની ચર્ચા થઈ રહી છે તે ફાઈનલ જેવા છે તેવું માનવામાં આવી રહ્યું છે. 


ઉમેદવાર તરીકે આમના નામોની થઈ રહી છે ચર્ચા

જે નામો હાલ ચર્ચામાં છે તેની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણી, નવસારીથી નૈષદ દેસાઈ, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ જ્યારે મહેસાણાથી ઠાકોરના સમાજના ઉમેદવારને ટિકીટ મળી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવશે તેવી ચર્ચાઓ ક્યારની ચાલી રહી હતી. લોકસભાના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત થશે પરંતુ સાથે સાથે પાંચ વિધાનસભા સભા પર થનારી પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારના નામની જાહેરાત થવાની છે. સૌ કોઈની નજર કોંગ્રેસના ઉમેદવારો પર રહેલી છે...   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે