Loksabha Election માટે Congress આજે જાહેર કરી શકે છે બાકી રહેલા ઉમેદવારોના નામ, જાણો કોણ હોઈ શકે છે સંભવિત ઉમેદવાર?


  • Published By :
  • Published Date : 2024-04-13 11:53:24

એક તરફ ભાજપના ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે તો બીજી તરફ ગુજરાતની ચાર બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. જે મુજબ 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે બે બેઠકો પર આપ ઉમેદવાર ઉતારશે. 20 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારના નામ જાહેર કર્યા પરંતુ ચાર બેઠકો માટે કોંગ્રેસમાં ઘણા સમયથી મનોમંથન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે રાજકોટ, નવસારી, અમદાવાદ પૂર્વ તેમજ મહેસાણા માટે કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત આજે કરી શકે છે.



કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન 

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા થઈ ગઈ હતી પરંતુ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી ન હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. ભાવનગર તેમજ ભરૂચ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, કોંગ્રેસે 20 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે પરંતુ હજી સુધી ચાર બેઠકો એવી છે જેના માટે નામ જાહેર નથી કરાયા. આ બધા વચ્ચે બાકી રહેલી ચાર બેઠકો પર કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે તેના નામોની ચર્ચા થઈ રહી છે... જે નામોની ચર્ચા થઈ રહી છે તે ફાઈનલ જેવા છે તેવું માનવામાં આવી રહ્યું છે. 


ઉમેદવાર તરીકે આમના નામોની થઈ રહી છે ચર્ચા

જે નામો હાલ ચર્ચામાં છે તેની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણી, નવસારીથી નૈષદ દેસાઈ, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ જ્યારે મહેસાણાથી ઠાકોરના સમાજના ઉમેદવારને ટિકીટ મળી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવશે તેવી ચર્ચાઓ ક્યારની ચાલી રહી હતી. લોકસભાના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત થશે પરંતુ સાથે સાથે પાંચ વિધાનસભા સભા પર થનારી પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારના નામની જાહેરાત થવાની છે. સૌ કોઈની નજર કોંગ્રેસના ઉમેદવારો પર રહેલી છે...   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.