વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ફાડ્યો નરેન્દ્ર મોદીનો ફોટો, કોર્ટે સંભળાવી સજા


  • Published By :
  • Published Date : 2023-03-27 22:30:01

નવસારીના વાંસદા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને વર્ષ 2017માં નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પોટો ફાડી નાખતા IPC કલમ 447 અંતર્ગત  કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે.  

નરેન્દ્ર મોદીના નામ પર વધુ એક કોંગ્રેસ નેતાને સજા

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં 2017માં વિદ્યાર્થીઓએ હડતાળ કરી હતી. તે સમયે યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બરમાં અનંત પટેલ, યશ દેસાઈ, પાર્થિવરાજસિંહ અને પિયૂષ થિમ્મર નામના યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન 2017માં અનંત પટેલે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડ્યું હતું. જેના કારણે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરફથી જલાલપુર પોલીસ સ્ટેશનમાં IPC 143, 353, 427,447 મુજબની ફરિયાદ નોંધવામાં  આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 447 મુજબ ફરિયાદ નોંધી હતી. આ કલમ મુજબ જે કોઈ વ્યક્તિ ગુનાહિત અપરાધ કરે છે તેને વધુમાં વધુ 3 મહિનાની જેલ અને 500 રૂપિયાનો દંડ થાય છે. ગુનાની ગંભીરતા જોતા કોર્ટ નક્કી કરતી હોય છે ક્યારેક બંને અંતર્ગત પણ સજા અપાતી હોય છે. 

કોર્ટે અનંત પટેલને 1 રૂપિયો આપ્યો

જો કે કોંગ્રેસના નેતા અનંત પટેલને કોર્ટે 99 રૂપિયાનો દંડ ફટકાર્યો. આ દરમિયાન કોર્ટની કામગીરી પણ જોવા જેવી હતી કારણ કે 99 રૂપિયાના દંડ સામે ધારાસભ્ય અનંત પટેલે 100 રૂપિયાની નોટ જમા કરાવી તો 1 રૂપિયો તેને પાછો આપવામાં આવ્યો હતો. કોર્ટે અનંત પટેલ, યશ દેસાઈ, પાર્થિવરાજસિંહ અને પિયૂષ થિમ્મરને પણ દોષિત જાહેર કર્યા છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.