વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ફાડ્યો નરેન્દ્ર મોદીનો ફોટો, કોર્ટે સંભળાવી સજા


  • Published By :
  • Published Date : 2023-03-27 22:30:01

નવસારીના વાંસદા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને વર્ષ 2017માં નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પોટો ફાડી નાખતા IPC કલમ 447 અંતર્ગત  કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે.  

નરેન્દ્ર મોદીના નામ પર વધુ એક કોંગ્રેસ નેતાને સજા

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં 2017માં વિદ્યાર્થીઓએ હડતાળ કરી હતી. તે સમયે યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બરમાં અનંત પટેલ, યશ દેસાઈ, પાર્થિવરાજસિંહ અને પિયૂષ થિમ્મર નામના યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન 2017માં અનંત પટેલે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડ્યું હતું. જેના કારણે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરફથી જલાલપુર પોલીસ સ્ટેશનમાં IPC 143, 353, 427,447 મુજબની ફરિયાદ નોંધવામાં  આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 447 મુજબ ફરિયાદ નોંધી હતી. આ કલમ મુજબ જે કોઈ વ્યક્તિ ગુનાહિત અપરાધ કરે છે તેને વધુમાં વધુ 3 મહિનાની જેલ અને 500 રૂપિયાનો દંડ થાય છે. ગુનાની ગંભીરતા જોતા કોર્ટ નક્કી કરતી હોય છે ક્યારેક બંને અંતર્ગત પણ સજા અપાતી હોય છે. 

કોર્ટે અનંત પટેલને 1 રૂપિયો આપ્યો

જો કે કોંગ્રેસના નેતા અનંત પટેલને કોર્ટે 99 રૂપિયાનો દંડ ફટકાર્યો. આ દરમિયાન કોર્ટની કામગીરી પણ જોવા જેવી હતી કારણ કે 99 રૂપિયાના દંડ સામે ધારાસભ્ય અનંત પટેલે 100 રૂપિયાની નોટ જમા કરાવી તો 1 રૂપિયો તેને પાછો આપવામાં આવ્યો હતો. કોર્ટે અનંત પટેલ, યશ દેસાઈ, પાર્થિવરાજસિંહ અને પિયૂષ થિમ્મરને પણ દોષિત જાહેર કર્યા છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.