વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ફાડ્યો નરેન્દ્ર મોદીનો ફોટો, કોર્ટે સંભળાવી સજા


  • Published By :
  • Published Date : 2023-03-27 22:30:01

નવસારીના વાંસદા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને વર્ષ 2017માં નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પોટો ફાડી નાખતા IPC કલમ 447 અંતર્ગત  કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે.  

નરેન્દ્ર મોદીના નામ પર વધુ એક કોંગ્રેસ નેતાને સજા

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં 2017માં વિદ્યાર્થીઓએ હડતાળ કરી હતી. તે સમયે યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બરમાં અનંત પટેલ, યશ દેસાઈ, પાર્થિવરાજસિંહ અને પિયૂષ થિમ્મર નામના યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન 2017માં અનંત પટેલે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડ્યું હતું. જેના કારણે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરફથી જલાલપુર પોલીસ સ્ટેશનમાં IPC 143, 353, 427,447 મુજબની ફરિયાદ નોંધવામાં  આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 447 મુજબ ફરિયાદ નોંધી હતી. આ કલમ મુજબ જે કોઈ વ્યક્તિ ગુનાહિત અપરાધ કરે છે તેને વધુમાં વધુ 3 મહિનાની જેલ અને 500 રૂપિયાનો દંડ થાય છે. ગુનાની ગંભીરતા જોતા કોર્ટ નક્કી કરતી હોય છે ક્યારેક બંને અંતર્ગત પણ સજા અપાતી હોય છે. 

કોર્ટે અનંત પટેલને 1 રૂપિયો આપ્યો

જો કે કોંગ્રેસના નેતા અનંત પટેલને કોર્ટે 99 રૂપિયાનો દંડ ફટકાર્યો. આ દરમિયાન કોર્ટની કામગીરી પણ જોવા જેવી હતી કારણ કે 99 રૂપિયાના દંડ સામે ધારાસભ્ય અનંત પટેલે 100 રૂપિયાની નોટ જમા કરાવી તો 1 રૂપિયો તેને પાછો આપવામાં આવ્યો હતો. કોર્ટે અનંત પટેલ, યશ દેસાઈ, પાર્થિવરાજસિંહ અને પિયૂષ થિમ્મરને પણ દોષિત જાહેર કર્યા છે. 



બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.