કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈૈલેષ પરમારને કરવો પડ્યો વિરોધનો સામનો


  • Published By :
  • Published Date : 2022-11-11 14:11:53

ગુજરાતમાં આગામી મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પાર્ટીનો પ્રચાર કરવા અનેક સ્થળો પર બેનર લાગ્યા છે. અને અનેક સ્થળો પર ઉમેદવારો પોતે જઈ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વોટ માંગવા જ અનેક ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં આવતા હોય છે તેવા આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યો છે. મત માટે મતવિસ્તારમાં આવતા કોંગ્રેસના ધારાસભ્યને કડવો અનુભવ થયો છે. દાણીલીમડા વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ સ્થાનિકોએ કર્યો હતો.

   

ધારાસભ્ય પાસેથી લોકોએ માગ્યો કામનો હિસાબ 

ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં મત માગવા જાય છે. અનેક વખત ધારાસભ્યોને વિરોધનો સામનો કરવો પડે છે. આવો જ વિરોધનો સામનો  દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને કરવો પડ્યો છે. દાણીલીમડા કોંગ્રેસના કાર્યકર્તાનું સંમેલન યોજ્યું હતું. જેમાં સ્થાનિક લોકોએ ધારાસભ્યનો વિરોધ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ધારાસભ્ય છેલ્લા પાંચ વર્ષમાં દેખાયા જ નથી. 


ઉમેદવારોને કરવો પડે છે સ્થાનિકોના વિરોધનો સામનો  

ઉલ્લેખનીય છે કે અનેક ધારાસભ્યો એવા હોય છે જે ચૂંટણી સમયે જ મતદારો વચ્ચે પહોંચતા હોય છે. મતદારોને રિઝવવા અનેક વખત ધારાસભ્યો મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી મતદાતાઓની વચ્ચે રહે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ તેઓ પાછા દેખાતા જ નથી. ત્યારે અનેક વખત ધારાસભ્યોને સ્થાનિક લોકોનો વિરોધ સહન કરવો પડે છે.      




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"