કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈૈલેષ પરમારને કરવો પડ્યો વિરોધનો સામનો


  • Published By :
  • Published Date : 2022-11-11 14:11:53

ગુજરાતમાં આગામી મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પાર્ટીનો પ્રચાર કરવા અનેક સ્થળો પર બેનર લાગ્યા છે. અને અનેક સ્થળો પર ઉમેદવારો પોતે જઈ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વોટ માંગવા જ અનેક ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં આવતા હોય છે તેવા આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યો છે. મત માટે મતવિસ્તારમાં આવતા કોંગ્રેસના ધારાસભ્યને કડવો અનુભવ થયો છે. દાણીલીમડા વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ સ્થાનિકોએ કર્યો હતો.

   

ધારાસભ્ય પાસેથી લોકોએ માગ્યો કામનો હિસાબ 

ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં મત માગવા જાય છે. અનેક વખત ધારાસભ્યોને વિરોધનો સામનો કરવો પડે છે. આવો જ વિરોધનો સામનો  દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને કરવો પડ્યો છે. દાણીલીમડા કોંગ્રેસના કાર્યકર્તાનું સંમેલન યોજ્યું હતું. જેમાં સ્થાનિક લોકોએ ધારાસભ્યનો વિરોધ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ધારાસભ્ય છેલ્લા પાંચ વર્ષમાં દેખાયા જ નથી. 


ઉમેદવારોને કરવો પડે છે સ્થાનિકોના વિરોધનો સામનો  

ઉલ્લેખનીય છે કે અનેક ધારાસભ્યો એવા હોય છે જે ચૂંટણી સમયે જ મતદારો વચ્ચે પહોંચતા હોય છે. મતદારોને રિઝવવા અનેક વખત ધારાસભ્યો મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી મતદાતાઓની વચ્ચે રહે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ તેઓ પાછા દેખાતા જ નથી. ત્યારે અનેક વખત ધારાસભ્યોને સ્થાનિક લોકોનો વિરોધ સહન કરવો પડે છે.      




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.