બ્રેકિગ ન્યૂઝ: કોંગ્રેસમાં ફરી ગાબડું, બે ધારાસભ્યો આજે રાજીનામું આપે તેવી શક્યતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 17:24:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણમાં આયારામ ગયારામ શરૂ થઈ ગયું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડશે. કોંગ્રેસના બે ધારાસભ્યો આજે રાજીનામું આપી શકે છે.  ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન આ બે ધારાસભ્યો સાથે તેમની ચર્ચા થઈ હતી. 


રાજીનામાંની ચર્ચાથી રાજકારણ ગરમાયું


કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાની ચર્ચાને કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. જોકે, કયા બે ધારાસભ્યો રાજીનામું આપે છે, તે  આજ સાંજ સુધી સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન જુનાગઢની આસપાસનાં એક ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા આશંકા વધુ તેજ બની છે. મળતી માહિતી મુજબ એ બંને ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે