બ્રેકિગ ન્યૂઝ: કોંગ્રેસમાં ફરી ગાબડું, બે ધારાસભ્યો આજે રાજીનામું આપે તેવી શક્યતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 17:24:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણમાં આયારામ ગયારામ શરૂ થઈ ગયું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડશે. કોંગ્રેસના બે ધારાસભ્યો આજે રાજીનામું આપી શકે છે.  ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન આ બે ધારાસભ્યો સાથે તેમની ચર્ચા થઈ હતી. 


રાજીનામાંની ચર્ચાથી રાજકારણ ગરમાયું


કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાની ચર્ચાને કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. જોકે, કયા બે ધારાસભ્યો રાજીનામું આપે છે, તે  આજ સાંજ સુધી સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન જુનાગઢની આસપાસનાં એક ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા આશંકા વધુ તેજ બની છે. મળતી માહિતી મુજબ એ બંને ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.