હું કોગ્રેસમાં છું અને કોગ્રેસમાં જ રહેવાનો છું: કોંગ્રેસના MLA લલીત વસોયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 19:13:47

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામાંની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી સંભાવનાથી રાજકારણ ગરમાયું છે. જો કે કોંગ્રેસ નેતૃત્વ આ બાબતને અફવા ગણાવી રદિયો આપી રહ્યું છે.  


ધારાસભ્ય લલીત વસોયાએ કર્યો ખુલાસો


ગુજરાત કોંગ્રેસના સૌરાષ્ટ્ર પ્રદેશના બે પાટીદાર નેતા આજે કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન કોંગ્રેસના બે ધારાસભ્ય લલીત વસોયા અને હર્ષદ રિબડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી વાતો ચાલી હતી. આ વચ્ચે પાટીદાર નેતા અને ધારાસભ્ય લલીત વસોયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે, હું કોગ્રેસમાં છું અને કોગ્રેસમાં જ રહેવાનો છું.


શા માટે રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું


લલીત વસોયા અનેક વખત ભાજપના નેતા સાથે જોવા મળે છે. વળી તેમની ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સાથે  પણ નિકટતા રહી છે. આ ઉપરાંત ભાજપના નેતાઓના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપે છે. આ બધા કારણોથી લલીત વસોયા ચુંટણી પહેલા કોંગ્રેસને ઝટકો આપશે અને ભાજપ સાથે જોડાય તેવી અટકળો અવારનવાર  થતી રહે છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .