હું કોગ્રેસમાં છું અને કોગ્રેસમાં જ રહેવાનો છું: કોંગ્રેસના MLA લલીત વસોયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 19:13:47

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામાંની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી સંભાવનાથી રાજકારણ ગરમાયું છે. જો કે કોંગ્રેસ નેતૃત્વ આ બાબતને અફવા ગણાવી રદિયો આપી રહ્યું છે.  


ધારાસભ્ય લલીત વસોયાએ કર્યો ખુલાસો


ગુજરાત કોંગ્રેસના સૌરાષ્ટ્ર પ્રદેશના બે પાટીદાર નેતા આજે કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન કોંગ્રેસના બે ધારાસભ્ય લલીત વસોયા અને હર્ષદ રિબડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી વાતો ચાલી હતી. આ વચ્ચે પાટીદાર નેતા અને ધારાસભ્ય લલીત વસોયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે, હું કોગ્રેસમાં છું અને કોગ્રેસમાં જ રહેવાનો છું.


શા માટે રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું


લલીત વસોયા અનેક વખત ભાજપના નેતા સાથે જોવા મળે છે. વળી તેમની ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સાથે  પણ નિકટતા રહી છે. આ ઉપરાંત ભાજપના નેતાઓના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપે છે. આ બધા કારણોથી લલીત વસોયા ચુંટણી પહેલા કોંગ્રેસને ઝટકો આપશે અને ભાજપ સાથે જોડાય તેવી અટકળો અવારનવાર  થતી રહે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.