કોંગ્રેસે ટિકિટ કાપતા ધારાસભ્ય નિરંજન પટેલે રાજીનામું આપ્યું


  • Published By :
  • Published Date : 2022-11-16 23:19:16

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પંજો મૂક્યો છે ત્યારે તેમાં વધુ એક નામનો સરવાળો થઈ ગયો છે. આણંદ જિલ્લાની પેટલાદ વિધાનસભાથી ધારાસભ્ય નિરંજન પટેલે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. 


પેટલાદના નિરંજન પટેલનું રાજીનામું 

પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલને ટિકિટ ના મળતા તેમણે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને નિરંજન પટેલે રાજીનામું આપ્યાની સત્તાવાર જાહેરાત કરી છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, "પેટલાદના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ સહિતના તમામ પદ પરથી રાજીનામું આપું છું."  


ટિકિટ ના મળતા ધરી દીધું રાજીનામું 

ક્ષત્રિયોની બેઠક ગણાતી પેટલાદ બેઠક પર 1990થી કોંગ્રેસનું રાજ ચાલે છે. આ વખતે કોંગ્રેસે નવો અખતરો કર્યો હતો અને ધારાસભ્ય નિરંજન પટેલનું પત્તુ કાપ્યું હતું. પોતાને રિપિટ ના કરતા નિરંજન પટેલ કોંગ્રેસથી નારાજ થઈ ગયા હતા. નિરંજન પટેલ પેટલાદ બેઠક પર છ ટર્મથી ધારાસભ્ય રહેલા હતા. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુવા કાર્યકર ડૉ. પ્રકાશ પરમારને ઉમેદવાર બનાવતા નિરંજન પટેલને ખટક્યું હતું અને ગઈકાલથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા. 


હવે નિરંજન પટેલ ભાજપ સાથે કયો દાવ રમશે તે જોવાનું રહેશે પણ હાલ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.