કોંગ્રેસે ટિકિટ કાપતા ધારાસભ્ય નિરંજન પટેલે રાજીનામું આપ્યું


  • Published By :
  • Published Date : 2022-11-16 23:19:16

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પંજો મૂક્યો છે ત્યારે તેમાં વધુ એક નામનો સરવાળો થઈ ગયો છે. આણંદ જિલ્લાની પેટલાદ વિધાનસભાથી ધારાસભ્ય નિરંજન પટેલે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. 


પેટલાદના નિરંજન પટેલનું રાજીનામું 

પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલને ટિકિટ ના મળતા તેમણે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને નિરંજન પટેલે રાજીનામું આપ્યાની સત્તાવાર જાહેરાત કરી છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, "પેટલાદના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ સહિતના તમામ પદ પરથી રાજીનામું આપું છું."  


ટિકિટ ના મળતા ધરી દીધું રાજીનામું 

ક્ષત્રિયોની બેઠક ગણાતી પેટલાદ બેઠક પર 1990થી કોંગ્રેસનું રાજ ચાલે છે. આ વખતે કોંગ્રેસે નવો અખતરો કર્યો હતો અને ધારાસભ્ય નિરંજન પટેલનું પત્તુ કાપ્યું હતું. પોતાને રિપિટ ના કરતા નિરંજન પટેલ કોંગ્રેસથી નારાજ થઈ ગયા હતા. નિરંજન પટેલ પેટલાદ બેઠક પર છ ટર્મથી ધારાસભ્ય રહેલા હતા. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુવા કાર્યકર ડૉ. પ્રકાશ પરમારને ઉમેદવાર બનાવતા નિરંજન પટેલને ખટક્યું હતું અને ગઈકાલથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા. 


હવે નિરંજન પટેલ ભાજપ સાથે કયો દાવ રમશે તે જોવાનું રહેશે પણ હાલ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે