કોંગ્રેસે ટિકિટ કાપતા ધારાસભ્ય નિરંજન પટેલે રાજીનામું આપ્યું


  • Published By :
  • Published Date : 2022-11-16 23:19:16

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પંજો મૂક્યો છે ત્યારે તેમાં વધુ એક નામનો સરવાળો થઈ ગયો છે. આણંદ જિલ્લાની પેટલાદ વિધાનસભાથી ધારાસભ્ય નિરંજન પટેલે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. 


પેટલાદના નિરંજન પટેલનું રાજીનામું 

પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલને ટિકિટ ના મળતા તેમણે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને નિરંજન પટેલે રાજીનામું આપ્યાની સત્તાવાર જાહેરાત કરી છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, "પેટલાદના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ સહિતના તમામ પદ પરથી રાજીનામું આપું છું."  


ટિકિટ ના મળતા ધરી દીધું રાજીનામું 

ક્ષત્રિયોની બેઠક ગણાતી પેટલાદ બેઠક પર 1990થી કોંગ્રેસનું રાજ ચાલે છે. આ વખતે કોંગ્રેસે નવો અખતરો કર્યો હતો અને ધારાસભ્ય નિરંજન પટેલનું પત્તુ કાપ્યું હતું. પોતાને રિપિટ ના કરતા નિરંજન પટેલ કોંગ્રેસથી નારાજ થઈ ગયા હતા. નિરંજન પટેલ પેટલાદ બેઠક પર છ ટર્મથી ધારાસભ્ય રહેલા હતા. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુવા કાર્યકર ડૉ. પ્રકાશ પરમારને ઉમેદવાર બનાવતા નિરંજન પટેલને ખટક્યું હતું અને ગઈકાલથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા. 


હવે નિરંજન પટેલ ભાજપ સાથે કયો દાવ રમશે તે જોવાનું રહેશે પણ હાલ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.