Gujarat Vidhansabhaમાં TET-TAT પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો Congressના ધારાસભ્યએ ઉઠાવ્યો.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-29 11:01:09

ગુજરાતમાં શિક્ષકોની કમી છે તે આપણે જાણીએ છીએ. અનેક શાળાઓ એવી છે કે જે એક શિક્ષકના આધારે ચાલે છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઘણા સમયથી કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં ઉઠાવ્યો હતો. સરકારે ભરતી અંગેનો આંકડો રજૂ કર્યો હતો.


આટલા લાખ ઉમેદવારો છે શિક્ષક બનવા યોગ્ય!

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં કબૂલ્યું હતું કે ટેટ-1 પાસ 39395 એને ટેટ-2 પાસ 2,35,956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય છે, પરીક્ષાઓ પાસ કરી છે. શિક્ષકોની જગ્યા ખાલી હોવા છતાંય ભરતી નથી કરવામાં આવી તે અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 



ક્યારે કરવામાં આવી હતી ભરતી? 

તે ઉપરાંત છેલ્લા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તે પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે 2022માં ટેટ-1 પાસ થયેલા 2300 અને ટેટ-2 પાસ થયેલા 3378 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે 2023માં પણ એક પણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી. મહત્વનું છે કે શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે પરંતુ ભરતી કરવામાં નથી આવી.  


સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે ઉમેદવારોએ કર્યા અનેક પ્રયત્ન  

વિદ્યાર્થીઓ ભણે તે માટે અનેક યોજનાઓ લાવવામાં આવતી હોય છે. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવી યોજનાઓ લાવવામાં આવી છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો નથી. ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચી રહ્યો. 


કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં ઉઠાવ્યો પ્રશ્ન

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ અનેક વખત શિક્ષકોની ભરતીને લઈ પ્રશ્ન ઉઠાવ્યા છે. શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તેવા પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. અનેક વખત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે અને આજે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે. ગાંધીનગરમાં પણ તેઓ આંદોલન કરવા પહોંચ્યા હતા પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.