Gujarat Vidhansabhaમાં TET-TAT પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો Congressના ધારાસભ્યએ ઉઠાવ્યો.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-29 11:01:09

ગુજરાતમાં શિક્ષકોની કમી છે તે આપણે જાણીએ છીએ. અનેક શાળાઓ એવી છે કે જે એક શિક્ષકના આધારે ચાલે છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઘણા સમયથી કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં ઉઠાવ્યો હતો. સરકારે ભરતી અંગેનો આંકડો રજૂ કર્યો હતો.


આટલા લાખ ઉમેદવારો છે શિક્ષક બનવા યોગ્ય!

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં કબૂલ્યું હતું કે ટેટ-1 પાસ 39395 એને ટેટ-2 પાસ 2,35,956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય છે, પરીક્ષાઓ પાસ કરી છે. શિક્ષકોની જગ્યા ખાલી હોવા છતાંય ભરતી નથી કરવામાં આવી તે અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 



ક્યારે કરવામાં આવી હતી ભરતી? 

તે ઉપરાંત છેલ્લા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તે પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે 2022માં ટેટ-1 પાસ થયેલા 2300 અને ટેટ-2 પાસ થયેલા 3378 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે 2023માં પણ એક પણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી. મહત્વનું છે કે શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે પરંતુ ભરતી કરવામાં નથી આવી.  


સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે ઉમેદવારોએ કર્યા અનેક પ્રયત્ન  

વિદ્યાર્થીઓ ભણે તે માટે અનેક યોજનાઓ લાવવામાં આવતી હોય છે. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવી યોજનાઓ લાવવામાં આવી છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો નથી. ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચી રહ્યો. 


કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં ઉઠાવ્યો પ્રશ્ન

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ અનેક વખત શિક્ષકોની ભરતીને લઈ પ્રશ્ન ઉઠાવ્યા છે. શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તેવા પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. અનેક વખત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે અને આજે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે. ગાંધીનગરમાં પણ તેઓ આંદોલન કરવા પહોંચ્યા હતા પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો. 




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.