Gujarat Vidhansabhaમાં TET-TAT પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો Congressના ધારાસભ્યએ ઉઠાવ્યો.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-29 11:01:09

ગુજરાતમાં શિક્ષકોની કમી છે તે આપણે જાણીએ છીએ. અનેક શાળાઓ એવી છે કે જે એક શિક્ષકના આધારે ચાલે છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઘણા સમયથી કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં ઉઠાવ્યો હતો. સરકારે ભરતી અંગેનો આંકડો રજૂ કર્યો હતો.


આટલા લાખ ઉમેદવારો છે શિક્ષક બનવા યોગ્ય!

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં કબૂલ્યું હતું કે ટેટ-1 પાસ 39395 એને ટેટ-2 પાસ 2,35,956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય છે, પરીક્ષાઓ પાસ કરી છે. શિક્ષકોની જગ્યા ખાલી હોવા છતાંય ભરતી નથી કરવામાં આવી તે અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 



ક્યારે કરવામાં આવી હતી ભરતી? 

તે ઉપરાંત છેલ્લા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તે પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે 2022માં ટેટ-1 પાસ થયેલા 2300 અને ટેટ-2 પાસ થયેલા 3378 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે 2023માં પણ એક પણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી. મહત્વનું છે કે શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે પરંતુ ભરતી કરવામાં નથી આવી.  


સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે ઉમેદવારોએ કર્યા અનેક પ્રયત્ન  

વિદ્યાર્થીઓ ભણે તે માટે અનેક યોજનાઓ લાવવામાં આવતી હોય છે. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવી યોજનાઓ લાવવામાં આવી છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો નથી. ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચી રહ્યો. 


કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં ઉઠાવ્યો પ્રશ્ન

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ અનેક વખત શિક્ષકોની ભરતીને લઈ પ્રશ્ન ઉઠાવ્યા છે. શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તેવા પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. અનેક વખત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે અને આજે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે. ગાંધીનગરમાં પણ તેઓ આંદોલન કરવા પહોંચ્યા હતા પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.