કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન, કહ્યું હું કોંગ્રેસનો થઈ રહેવા નથી માગતો


  • Published By :
  • Published Date : 2023-01-15 11:01:16

ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પતંગની મોજ સાથે ઉત્સવ ઉજવાયો હતો. પર્વની ઉજવણી દરમિયાન રાજનીતિને લઈ પણ નેતાઓએ ટિપ્પણી કરી હતી. ત્યારે સોમનાથ ખાતે કોળી સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે તે કોંગ્રેસ પાર્ટીના બનીને રહેવા નથી ઈચ્છતા.


કોળી સમાજના સ્નેહમિલનમાં વિમલ ચુડાસમા થયા સામેલ  

સોમનાથમાં વીર માંધતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ પણ હાજરી આપી હતી. ત્યાં આપેલા નિવેદનને કારણે તેઓ ચર્ચામાં છે. વિમલ ચૂડાસમાએ કહ્યું હતું કે સમાજના દીકરા તરીકે રાજનીતિમાં જતા હોઈએ ત્યારે રાજનીતિના માણસ તરીકે નહીં પરંતુ સમાજના દીકરા તરીકે રહેવાનું હોય. 



હું કોંગ્રેસ પાર્ટીનો થઈને રહેવા નથી માગતો - કોંગ્રેસ ધારાસભ્ય  

વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ-ભાજપ હોય કે કોઈ પણ અન્ય પાર્ટી હોય, જો પાર્ટીના બનીને રહીએ તો સમાજને નુકસાન થાય છે. હું કોંગ્રેસ પાર્ટીનો રહેવા નથી માગતો પરંતુ કોળી સમાજનો રહેવા માગું છું. સોમનાથ દાદા મને શક્તિ આપે કે આપ સમાજના લોકો માટે લડુ અને હંમેશા લડતો રહીશ. 


સી.આર.પાટીલે પણ આપ્યું હતું નિવેદન 

ગુજરાતમાં મહિના પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. કોંગ્રેસને ઓછી સીટો પર વિજય મળ્યો હતો. ત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન સી.આર.પાટીલે લોકસભા ચૂંટણીને લઈ નિવેદન આપ્યું હતું. ગુજરાતની તમામે તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો વિજય થશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.