કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન, કહ્યું હું કોંગ્રેસનો થઈ રહેવા નથી માગતો


  • Published By :
  • Published Date : 2023-01-15 11:01:16

ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પતંગની મોજ સાથે ઉત્સવ ઉજવાયો હતો. પર્વની ઉજવણી દરમિયાન રાજનીતિને લઈ પણ નેતાઓએ ટિપ્પણી કરી હતી. ત્યારે સોમનાથ ખાતે કોળી સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે તે કોંગ્રેસ પાર્ટીના બનીને રહેવા નથી ઈચ્છતા.


કોળી સમાજના સ્નેહમિલનમાં વિમલ ચુડાસમા થયા સામેલ  

સોમનાથમાં વીર માંધતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ પણ હાજરી આપી હતી. ત્યાં આપેલા નિવેદનને કારણે તેઓ ચર્ચામાં છે. વિમલ ચૂડાસમાએ કહ્યું હતું કે સમાજના દીકરા તરીકે રાજનીતિમાં જતા હોઈએ ત્યારે રાજનીતિના માણસ તરીકે નહીં પરંતુ સમાજના દીકરા તરીકે રહેવાનું હોય. 



હું કોંગ્રેસ પાર્ટીનો થઈને રહેવા નથી માગતો - કોંગ્રેસ ધારાસભ્ય  

વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ-ભાજપ હોય કે કોઈ પણ અન્ય પાર્ટી હોય, જો પાર્ટીના બનીને રહીએ તો સમાજને નુકસાન થાય છે. હું કોંગ્રેસ પાર્ટીનો રહેવા નથી માગતો પરંતુ કોળી સમાજનો રહેવા માગું છું. સોમનાથ દાદા મને શક્તિ આપે કે આપ સમાજના લોકો માટે લડુ અને હંમેશા લડતો રહીશ. 


સી.આર.પાટીલે પણ આપ્યું હતું નિવેદન 

ગુજરાતમાં મહિના પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. કોંગ્રેસને ઓછી સીટો પર વિજય મળ્યો હતો. ત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન સી.આર.પાટીલે લોકસભા ચૂંટણીને લઈ નિવેદન આપ્યું હતું. ગુજરાતની તમામે તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો વિજય થશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.