કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન, કહ્યું હું કોંગ્રેસનો થઈ રહેવા નથી માગતો


  • Published By :
  • Published Date : 2023-01-15 11:01:16

ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પતંગની મોજ સાથે ઉત્સવ ઉજવાયો હતો. પર્વની ઉજવણી દરમિયાન રાજનીતિને લઈ પણ નેતાઓએ ટિપ્પણી કરી હતી. ત્યારે સોમનાથ ખાતે કોળી સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે તે કોંગ્રેસ પાર્ટીના બનીને રહેવા નથી ઈચ્છતા.


કોળી સમાજના સ્નેહમિલનમાં વિમલ ચુડાસમા થયા સામેલ  

સોમનાથમાં વીર માંધતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ પણ હાજરી આપી હતી. ત્યાં આપેલા નિવેદનને કારણે તેઓ ચર્ચામાં છે. વિમલ ચૂડાસમાએ કહ્યું હતું કે સમાજના દીકરા તરીકે રાજનીતિમાં જતા હોઈએ ત્યારે રાજનીતિના માણસ તરીકે નહીં પરંતુ સમાજના દીકરા તરીકે રહેવાનું હોય. 



હું કોંગ્રેસ પાર્ટીનો થઈને રહેવા નથી માગતો - કોંગ્રેસ ધારાસભ્ય  

વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ-ભાજપ હોય કે કોઈ પણ અન્ય પાર્ટી હોય, જો પાર્ટીના બનીને રહીએ તો સમાજને નુકસાન થાય છે. હું કોંગ્રેસ પાર્ટીનો રહેવા નથી માગતો પરંતુ કોળી સમાજનો રહેવા માગું છું. સોમનાથ દાદા મને શક્તિ આપે કે આપ સમાજના લોકો માટે લડુ અને હંમેશા લડતો રહીશ. 


સી.આર.પાટીલે પણ આપ્યું હતું નિવેદન 

ગુજરાતમાં મહિના પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. કોંગ્રેસને ઓછી સીટો પર વિજય મળ્યો હતો. ત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન સી.આર.પાટીલે લોકસભા ચૂંટણીને લઈ નિવેદન આપ્યું હતું. ગુજરાતની તમામે તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો વિજય થશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.