વિધાનસભામાં Congressના ધારાસભ્યોએ નકલી કાંડ મુદ્દે કર્યો હોબાળો, ધારાસભ્યોએ કર્યું વોકઆઉટ, અધ્યક્ષે કર્યા સસપેન્ડ, જાણો વિગત.


  • Published By :
  • Published Date : 2024-02-20 14:35:23

નકલી... આ શબ્દ થોડા સમયથી એટલો બધો નોર્મલ થઈ ગયો છે કે કોઈ નકલી વસ્તુ પકડાય તો પણ આપણને નવાઈ નથી લાગતી..! ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત આખે આખું નકલી ટોલનાકું પકડાય છે. કોઈ વખત નકલી દવાઓ બનાવતી ફેક્ટરી પકડાય છે તો કોઈ કચેરી પકડાય છે. જ્યારે જ્યારે પણ નકલી પકડાય છે ત્યારે ત્યારે વિપક્ષ દ્વારા આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવતી હોય છે. ત્યારે નકલીનો મુદ્દો આજે વિધાનસભામાં ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં હોબાળો કર્યો હતો,  મળતી માહિતી અનુસાર ઋષિકેશ પટેલે કોંગ્રેસના હાજર ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી અને જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષે એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા. 

અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવ્યા છે પ્રશ્ન 

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત વિધાનસભામાં એવા પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે જેના જવાબમાં સરકાર દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવતા હોય છે તેને જોઈ આંખો ફાટી જતી હોય છે. કોઈ વખત કુપોષીત બાળકોને લઈ આપવામાં આવેલા આંકડા હોય કે પછી બેરોજગારીને લઈ આપવામાં આવેલા આંકડા હોય. ભ્રષ્ટાચાર કરતા કર્મચારીઓના આંકડા હોય કે પછી શિક્ષકોની ઘટને લઈ આપવામાં આવેલા આંકડા હોય. અનેક મુદ્દાઓ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં ઉઠાવતા હોય છે. 



કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે કરાયા સસ્પેન્ડ 

ત્યારે આજે વિધાનસભામાં નકલીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. નકલી કચેરીને લઈ ઉઠેલા મુદ્દાને લઈ કોંગ્રેસના ધારાસભ્યો ઉગ્ર થઈ ગયા. સભામાં હોબાળો કરવા લાગ્યા જેને લઈ એક દિવસ માટે કોંગ્રેસના ધારાસભ્યોને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષને મળવા માટે ધારાસભ્યો પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.