વિધાનસભામાં Congressના ધારાસભ્યોએ નકલી કાંડ મુદ્દે કર્યો હોબાળો, ધારાસભ્યોએ કર્યું વોકઆઉટ, અધ્યક્ષે કર્યા સસપેન્ડ, જાણો વિગત.


  • Published By :
  • Published Date : 2024-02-20 14:35:23

નકલી... આ શબ્દ થોડા સમયથી એટલો બધો નોર્મલ થઈ ગયો છે કે કોઈ નકલી વસ્તુ પકડાય તો પણ આપણને નવાઈ નથી લાગતી..! ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત આખે આખું નકલી ટોલનાકું પકડાય છે. કોઈ વખત નકલી દવાઓ બનાવતી ફેક્ટરી પકડાય છે તો કોઈ કચેરી પકડાય છે. જ્યારે જ્યારે પણ નકલી પકડાય છે ત્યારે ત્યારે વિપક્ષ દ્વારા આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવતી હોય છે. ત્યારે નકલીનો મુદ્દો આજે વિધાનસભામાં ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં હોબાળો કર્યો હતો,  મળતી માહિતી અનુસાર ઋષિકેશ પટેલે કોંગ્રેસના હાજર ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી અને જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષે એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા. 

અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવ્યા છે પ્રશ્ન 

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત વિધાનસભામાં એવા પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે જેના જવાબમાં સરકાર દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવતા હોય છે તેને જોઈ આંખો ફાટી જતી હોય છે. કોઈ વખત કુપોષીત બાળકોને લઈ આપવામાં આવેલા આંકડા હોય કે પછી બેરોજગારીને લઈ આપવામાં આવેલા આંકડા હોય. ભ્રષ્ટાચાર કરતા કર્મચારીઓના આંકડા હોય કે પછી શિક્ષકોની ઘટને લઈ આપવામાં આવેલા આંકડા હોય. અનેક મુદ્દાઓ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં ઉઠાવતા હોય છે. 



કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે કરાયા સસ્પેન્ડ 

ત્યારે આજે વિધાનસભામાં નકલીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. નકલી કચેરીને લઈ ઉઠેલા મુદ્દાને લઈ કોંગ્રેસના ધારાસભ્યો ઉગ્ર થઈ ગયા. સભામાં હોબાળો કરવા લાગ્યા જેને લઈ એક દિવસ માટે કોંગ્રેસના ધારાસભ્યોને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષને મળવા માટે ધારાસભ્યો પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.