વિધાનસભામાં Congressના ધારાસભ્યોએ નકલી કાંડ મુદ્દે કર્યો હોબાળો, ધારાસભ્યોએ કર્યું વોકઆઉટ, અધ્યક્ષે કર્યા સસપેન્ડ, જાણો વિગત.


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-20 14:35:23

નકલી... આ શબ્દ થોડા સમયથી એટલો બધો નોર્મલ થઈ ગયો છે કે કોઈ નકલી વસ્તુ પકડાય તો પણ આપણને નવાઈ નથી લાગતી..! ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત આખે આખું નકલી ટોલનાકું પકડાય છે. કોઈ વખત નકલી દવાઓ બનાવતી ફેક્ટરી પકડાય છે તો કોઈ કચેરી પકડાય છે. જ્યારે જ્યારે પણ નકલી પકડાય છે ત્યારે ત્યારે વિપક્ષ દ્વારા આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવતી હોય છે. ત્યારે નકલીનો મુદ્દો આજે વિધાનસભામાં ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં હોબાળો કર્યો હતો,  મળતી માહિતી અનુસાર ઋષિકેશ પટેલે કોંગ્રેસના હાજર ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી અને જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષે એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા. 

અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવ્યા છે પ્રશ્ન 

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત વિધાનસભામાં એવા પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે જેના જવાબમાં સરકાર દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવતા હોય છે તેને જોઈ આંખો ફાટી જતી હોય છે. કોઈ વખત કુપોષીત બાળકોને લઈ આપવામાં આવેલા આંકડા હોય કે પછી બેરોજગારીને લઈ આપવામાં આવેલા આંકડા હોય. ભ્રષ્ટાચાર કરતા કર્મચારીઓના આંકડા હોય કે પછી શિક્ષકોની ઘટને લઈ આપવામાં આવેલા આંકડા હોય. અનેક મુદ્દાઓ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં ઉઠાવતા હોય છે. 



કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે કરાયા સસ્પેન્ડ 

ત્યારે આજે વિધાનસભામાં નકલીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. નકલી કચેરીને લઈ ઉઠેલા મુદ્દાને લઈ કોંગ્રેસના ધારાસભ્યો ઉગ્ર થઈ ગયા. સભામાં હોબાળો કરવા લાગ્યા જેને લઈ એક દિવસ માટે કોંગ્રેસના ધારાસભ્યોને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષને મળવા માટે ધારાસભ્યો પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.