વિધાનસભામાં Congressના ધારાસભ્યોએ નકલી કાંડ મુદ્દે કર્યો હોબાળો, ધારાસભ્યોએ કર્યું વોકઆઉટ, અધ્યક્ષે કર્યા સસપેન્ડ, જાણો વિગત.


  • Published By :
  • Published Date : 2024-02-20 14:35:23

નકલી... આ શબ્દ થોડા સમયથી એટલો બધો નોર્મલ થઈ ગયો છે કે કોઈ નકલી વસ્તુ પકડાય તો પણ આપણને નવાઈ નથી લાગતી..! ગુજરાતમાં નકલીની બોલબાલા છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત આખે આખું નકલી ટોલનાકું પકડાય છે. કોઈ વખત નકલી દવાઓ બનાવતી ફેક્ટરી પકડાય છે તો કોઈ કચેરી પકડાય છે. જ્યારે જ્યારે પણ નકલી પકડાય છે ત્યારે ત્યારે વિપક્ષ દ્વારા આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવતી હોય છે. ત્યારે નકલીનો મુદ્દો આજે વિધાનસભામાં ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં હોબાળો કર્યો હતો,  મળતી માહિતી અનુસાર ઋષિકેશ પટેલે કોંગ્રેસના હાજર ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી અને જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષે એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા. 

અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવ્યા છે પ્રશ્ન 

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત વિધાનસભામાં એવા પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે જેના જવાબમાં સરકાર દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવતા હોય છે તેને જોઈ આંખો ફાટી જતી હોય છે. કોઈ વખત કુપોષીત બાળકોને લઈ આપવામાં આવેલા આંકડા હોય કે પછી બેરોજગારીને લઈ આપવામાં આવેલા આંકડા હોય. ભ્રષ્ટાચાર કરતા કર્મચારીઓના આંકડા હોય કે પછી શિક્ષકોની ઘટને લઈ આપવામાં આવેલા આંકડા હોય. અનેક મુદ્દાઓ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં ઉઠાવતા હોય છે. 



કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે કરાયા સસ્પેન્ડ 

ત્યારે આજે વિધાનસભામાં નકલીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. નકલી કચેરીને લઈ ઉઠેલા મુદ્દાને લઈ કોંગ્રેસના ધારાસભ્યો ઉગ્ર થઈ ગયા. સભામાં હોબાળો કરવા લાગ્યા જેને લઈ એક દિવસ માટે કોંગ્રેસના ધારાસભ્યોને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષને મળવા માટે ધારાસભ્યો પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી