ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના રકાસ મુદ્દે AICC સમિતિએ કર્યા આ ચોંકાવનારા ખુલાસા


  • Published By :
  • Published Date : 2023-03-15 17:42:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના કારમા પરાજય થયો હતો. કોંગ્રેસની આ ઐતિહાસિક હાર બાદ AICC દ્વારા ખાસ ફે્ક્ટ ફાઇડીંગ સમિતિની રચના કરવામાં આવી હતી. આ ફેફ્ટ ફાઇડીંગ સમિતિમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરાયો હતો. નિતિન રાઉતના અધ્યક્ષ સ્થાને બનેલી સમિતિમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકાનો કરાયો સમાવેશ હતો. આ સમિતિએ ખુબ જ ઝીણવટપૂર્વક પરાજયનો રીપોર્ટ કર્યો તૈયાર કર્યો છે. આ અહેવાલમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. 


સંકલનનો સદંતર અભાવ? 


ફેક્ટ ફાઇડીંગ સમિતિના સભ્યોએ રાજ્યના સ્થાનિક નેતાઓ તથા કાર્યકરો સાથે ચર્ચા કરી આ રિપોર્ટ તૈયાર કર્યો છે. ફેક્ટ ફાઇડીંગ સમિતિએ રીપોર્ટ બનાવવા માટે  પાંચ બેઠક કરી હતી. સમિતિના સભ્યોએ અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે બેઠક કરી હતી. હાર પાછળના મોટા કારણો પૈકીનું એક  AICC,ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે સંકલનનો સદંતર અભાવ હોવાનું જણાવ્યું છે. તે જ પ્રકારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કાંગ્રેસ વચ્ચે પણ સંકલનનો તદ્દન અભાવ હતો.


ચૂંટણી ફંડની વહેંચણીમાં વ્હાલા દવાલા


વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારોને આપવામાં આવતા ચૂંટણી ફંડમાં ગેરરિતી જોવા મળી છે. AICC દ્વારા આપવામાં આવેલા ચુંટણી ફંડ઼ની અનિયમિત વહેચણી કરવામાં આવી હતી. કેટલાક ઉમેદવારને ભરપુર માત્રામાં ફંડ મળ્યું તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા જેટલું જ ફંડ મળ્યું હતું. તે ઉપરાંત પાર્ટી  દ્વારા પૂરા પાડવામાં આવતા ચૂંટણી માટેના જરૂરી રીસોર્સ પણ ઉમેદવારો સુધી મોડા પહોંચ્યા હતા.


ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ


વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારોની જાહેરાત ખુબ જ મોડી કરાઈ હતી. આ કારણે તેમને પ્રચાર-અભિયાન શરૂ કરવામાં ખુબ સમય લાગ્યો હતો.વળી ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાથી ચૂંટણી દરમ્યાન પ્રચાર સાહિત્ય પણ સમયસર પહોંચી શક્યું નહોતું પહોંચ્યું. તે ઉપરાંત ઉમેદવારને તેમની મરજી પ્રમાણેના સ્ટાર પ્રચારકો પણ મળ્યા નહોતા. ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી બુથ સમિતિઓ માત્ર કાગળ પર જ રહી હતી. તે જ પ્રકારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી પર પણ રિપોર્ટમાં અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ મુદ્દે ઉમેદવારોએ પણ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.