ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના રકાસ મુદ્દે AICC સમિતિએ કર્યા આ ચોંકાવનારા ખુલાસા


  • Published By :
  • Published Date : 2023-03-15 17:42:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના કારમા પરાજય થયો હતો. કોંગ્રેસની આ ઐતિહાસિક હાર બાદ AICC દ્વારા ખાસ ફે્ક્ટ ફાઇડીંગ સમિતિની રચના કરવામાં આવી હતી. આ ફેફ્ટ ફાઇડીંગ સમિતિમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરાયો હતો. નિતિન રાઉતના અધ્યક્ષ સ્થાને બનેલી સમિતિમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકાનો કરાયો સમાવેશ હતો. આ સમિતિએ ખુબ જ ઝીણવટપૂર્વક પરાજયનો રીપોર્ટ કર્યો તૈયાર કર્યો છે. આ અહેવાલમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. 


સંકલનનો સદંતર અભાવ? 


ફેક્ટ ફાઇડીંગ સમિતિના સભ્યોએ રાજ્યના સ્થાનિક નેતાઓ તથા કાર્યકરો સાથે ચર્ચા કરી આ રિપોર્ટ તૈયાર કર્યો છે. ફેક્ટ ફાઇડીંગ સમિતિએ રીપોર્ટ બનાવવા માટે  પાંચ બેઠક કરી હતી. સમિતિના સભ્યોએ અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે બેઠક કરી હતી. હાર પાછળના મોટા કારણો પૈકીનું એક  AICC,ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે સંકલનનો સદંતર અભાવ હોવાનું જણાવ્યું છે. તે જ પ્રકારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કાંગ્રેસ વચ્ચે પણ સંકલનનો તદ્દન અભાવ હતો.


ચૂંટણી ફંડની વહેંચણીમાં વ્હાલા દવાલા


વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારોને આપવામાં આવતા ચૂંટણી ફંડમાં ગેરરિતી જોવા મળી છે. AICC દ્વારા આપવામાં આવેલા ચુંટણી ફંડ઼ની અનિયમિત વહેચણી કરવામાં આવી હતી. કેટલાક ઉમેદવારને ભરપુર માત્રામાં ફંડ મળ્યું તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા જેટલું જ ફંડ મળ્યું હતું. તે ઉપરાંત પાર્ટી  દ્વારા પૂરા પાડવામાં આવતા ચૂંટણી માટેના જરૂરી રીસોર્સ પણ ઉમેદવારો સુધી મોડા પહોંચ્યા હતા.


ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ


વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારોની જાહેરાત ખુબ જ મોડી કરાઈ હતી. આ કારણે તેમને પ્રચાર-અભિયાન શરૂ કરવામાં ખુબ સમય લાગ્યો હતો.વળી ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાથી ચૂંટણી દરમ્યાન પ્રચાર સાહિત્ય પણ સમયસર પહોંચી શક્યું નહોતું પહોંચ્યું. તે ઉપરાંત ઉમેદવારને તેમની મરજી પ્રમાણેના સ્ટાર પ્રચારકો પણ મળ્યા નહોતા. ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી બુથ સમિતિઓ માત્ર કાગળ પર જ રહી હતી. તે જ પ્રકારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી પર પણ રિપોર્ટમાં અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ મુદ્દે ઉમેદવારોએ પણ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.