દિગ્વિજય સિંહે પણ પાર્ટી અધ્યક્ષ પદની રેસમાં ઝંપલાવ્યું ચૂંટણી રસાકસી ભરેલી રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 17:42:09

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની રેસમાંથી અશોક ગેહલોત બહાર થઈ ગયા બાદ હવે દિગ્વિજય સિંહે પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેઓ પોતાની ઉમેદવારી ટુંક જ સમયમાં નોંધાવશે. હાલ દિગ્વિજયસિંહ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ભાગ લઇ રહ્યા છે. હવે તેઓ આજે રાત્રે દિલ્હી પરત ફરશે અને કાલે તેઓ ઉમેદવારી નોંધાવશે.


ગેહલોતે પાર્ટી હાઈકમાનનો વિશ્વાસ ગુમાવ્યો


આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં શશિ થરૂર અને અશોક ગહલોતના નામ સામે આવી રહ્યા હતા. જો કે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલા ધમાસાણ વચ્ચે અશોક ગેહલોત પાર્ટી હાઈકમાનનો વિશ્વાસ ગુમાવી ચૂંક્યા છે. તે હવે ચૂંટણી લડે તેમ નથી. બીજી તરફ શશિ થરૂરની ઉમેદવારી પાક્કી માનવામાં આવી રહી છે. તેઓ 30 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનાં છે.


હવે ચાર ઉમેદવારો મેદાનમાં


અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની રેસમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલનું નામ પણ સામે આવ્યું હતું. આ લિસ્ટમાં દિગ્વિજયસિંહનું નામ ચર્ચાઈ રહ્યું હતું. જે હવે પાક્કું થઇ ચુક્યું છે. દિગ્વિજયસિંહ પાસે લાંબો સંગઠનાત્મક અનુભવ છે આ ઉપરાંત પ્રશાસનિક અનુભવ પણ છે. તેઓ બે વાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા છે. તેમની ગણત્રી ગાંધી પરીવારનાં વફાદારોમાં થાય છે.  દિગ્વિજયસિંહ અનેક વખત સંઘ અને તેમના હિન્દુત્વની વિરુદ્ધ અવાજ ઉઠાવી ચુક્યા છે. 


દિગ્વિજયસિંહ અનુભવી નેતા પણ નબળાઈઓ પણ ઘણી


જો કે તેમની ખામીઓ અંગે વાત કરીએ તો 2019 માં તેઓ પોતે ભોપાલમાંથી ચૂંટણી હારી ગયા હતા. નિવેદનબાજી મુદ્દે પણ તેઓ વારંવાર ચર્ચામાં આવતા રહે છે. ઘણીવાર આ નિવેદનના કારણે ન માત્ર પાર્ટી પરંતુ પોતે પણ અસહજ થઇ જાય છે. આ ઉપરાંત તેમના હિન્દુત્વ અંગેના કેટલાક વિવાદિત નિવેદનના કારણે જનસમર્થન પણ તેમનું ખુબ જ ઘટી ચુક્યું છે. પરિવારવારના આરોપોનો સામનો પણ તેઓ કરી રહ્યા છે. પોતાના પુત્ર અને ભાઇને રાજનીતિમા સેટ કરવાનો તેમના પર આરોપ લાગે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.