કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી કાલે યોજાશે, મલ્લિકાર્જુન ખડગે અને શશી થરુર વચ્ચે છે મુકાબલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 18:47:56

કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ પદ માટે ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આજે કોંગ્રેસના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના ચેરમેન મધુસુદન મિસ્ત્રીએ ચૂંટણીનો આખો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આવતીકાલે 17 ઓક્ટોમ્બરના રોજ યોજનારા મતદાનમાં કોંગ્રેસના નેતાઓ મતદાન કરશે અને કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી કરશે. કોંગ્રેસના પ્રમુખ બનવા માટે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશી થરુર વચ્ચે સીધો મુકાબલો છે.  


ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ આ પ્રમાણે છે


કોંગ્રેસના અગ્રણી નેતા મધુસુદન મિસ્ત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ માટેની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમને વિગતો જણાવતાં કહ્યું કે, "સવારના 10 વાગ્યાથી મતદાન શરુ થશે જે સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. તમામ રાજ્યના પ્રતિનિધિઓ તેમના સંબંધિત પોલિંગ બૂથમાં તેમની પસંદગીના ઉમેદવારને વોટ આપશે. ટીકનું ચિહ્ન કરીને મતદાન કરી શકાશે. મતદાનની પ્રક્રિયામાં કોઈ અડચણ ન પડે તેવી તમામ વ્યવસ્થા કરાઈ છે." 


મધુસુદન મિસ્ત્રીએ વધુમાં કહ્યું કે, "17 ઓક્ટોમ્બરે 4 વાગ્યે મતદાન પુર્ણ થશે અને એ પછી 18 ઓક્ટોબરે બેલેટ બોક્સ દિલ્હી પહોંચશે અને 19 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. એઆઈસીસી ખાતે પણ પોલિંગ બૂથ બનાવાયા છે જ્યાં 50 લોકો મતદાન કરી શકશે."


પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ક્યાં મતદાન કરશે?


કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધી અત્યારે દક્ષિણ ભારતમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેથી રાહુલ ગાંધી કર્ણાટકના બેલ્લારીમાં મતદાન કરશે. બેલ્લારી ખાતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન મથક બનાવામાં આવ્યું છે. પાર્ટીનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ દિલ્હીમાં મતદાન કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચૂંટણીના પરીણામ આવ્યા બાદ 22 વર્ષ પછી પ્રથમ વખત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ગાંધી પરીવારથી બહારના કોઈ નેતા કોંગ્રેસના અધ્યક્ષ બનશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.