શશી થરૂર આપશે રાહુલ ગાંધીને પડકાર!, 17 ઓક્ટોબરે કોંગ્રેસ પ્રમુખની લડશે ચુંટણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 11:42:39

કોંગ્રેસ અધ્યક્ષ માટે યોજાનારી ચુંટણીમાં શશી થરૂર પણ રાહુલ ગાંધી સામે ચુંટણી લડે તેવી સંભાવના છે, જો કે તેમણે હજુ સુધી કોઈ ફાઈનલ નિર્ણય કર્યો નથી. જો કે તે આ અંગે ખૂબ જલ્દી નિર્ણય લઈ શકે છે. આગામી 17 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષ  માટે યૂંટણી યોજાવાની છે.


શશી થરૂરે મલયાલમ સમાચાર પત્ર માતૃભૂમિમાં એક લેખ લખીને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચુંટણી કરાવવા માટે આહવાન કર્યું હતું. શશી થરૂરે તેમના આ લેખમાં કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની અનેક સીટો ભરવા માટે પણ પાર્ટીએ ચુંટણીની જાહેરાત કરવી  જોઈએ. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને 2020માં પત્ર લખીને સંગઠનાત્મક સુધારાની માંગ કરનારા 23 નેતાઓના ગ્રૂપમાં થરૂર પણ સામેલ હતા.

થરૂરે કહ્યું કે પાર્ટીને સંપુર્ણપણે પુનર્જીવિત કરવાની જરૂર છે, જો કે તેમણે નેતૃત્વમાં જે ખાલી પદને ભરવા પર ભાર મુક્યો તેમાં સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ પ્રમુખ પદનો પણ સમાવેશ થાય છે.ગત લોકસભા ચુંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી સ્વિકારતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપી આપી દીધું હતું. રાહુલ ગાંધીના રાજીનામાં બાદ સોનિયા ગાંધી હાલ પાર્ટીના વચગાળાના પ્રમુખ તરીકે જવાબદારી  નિભાવી રહ્યા છે. 



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.