શશી થરૂર આપશે રાહુલ ગાંધીને પડકાર!, 17 ઓક્ટોબરે કોંગ્રેસ પ્રમુખની લડશે ચુંટણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 11:42:39

કોંગ્રેસ અધ્યક્ષ માટે યોજાનારી ચુંટણીમાં શશી થરૂર પણ રાહુલ ગાંધી સામે ચુંટણી લડે તેવી સંભાવના છે, જો કે તેમણે હજુ સુધી કોઈ ફાઈનલ નિર્ણય કર્યો નથી. જો કે તે આ અંગે ખૂબ જલ્દી નિર્ણય લઈ શકે છે. આગામી 17 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષ  માટે યૂંટણી યોજાવાની છે.


શશી થરૂરે મલયાલમ સમાચાર પત્ર માતૃભૂમિમાં એક લેખ લખીને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચુંટણી કરાવવા માટે આહવાન કર્યું હતું. શશી થરૂરે તેમના આ લેખમાં કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની અનેક સીટો ભરવા માટે પણ પાર્ટીએ ચુંટણીની જાહેરાત કરવી  જોઈએ. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને 2020માં પત્ર લખીને સંગઠનાત્મક સુધારાની માંગ કરનારા 23 નેતાઓના ગ્રૂપમાં થરૂર પણ સામેલ હતા.

થરૂરે કહ્યું કે પાર્ટીને સંપુર્ણપણે પુનર્જીવિત કરવાની જરૂર છે, જો કે તેમણે નેતૃત્વમાં જે ખાલી પદને ભરવા પર ભાર મુક્યો તેમાં સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ પ્રમુખ પદનો પણ સમાવેશ થાય છે.ગત લોકસભા ચુંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી સ્વિકારતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપી આપી દીધું હતું. રાહુલ ગાંધીના રાજીનામાં બાદ સોનિયા ગાંધી હાલ પાર્ટીના વચગાળાના પ્રમુખ તરીકે જવાબદારી  નિભાવી રહ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.