કોંગ્રેસે મોડી રાત્રે ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી, ગેનીબેન ઠાકોર, જીજ્ઞેશ મેવાણીને અપાઈ ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-14 11:03:58

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એક બાદ એક પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ફરી એક વખત ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. મોડી રાત્રે કોંગ્રેસે ઉમેદવારોના નામની છઠ્ઠી યાદી જાહેર કરી છે જેમાં કુલ 33 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓના નામનો સમાવેશ થાય છે.

મોટાભાગના ઉમેદવારોને રિપિટ કરાયા 

ગુજરાતમાં દરેક પાર્ટી તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી હતી. તે બાદ ભાજપે અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ ડિક્લેર કર્યા. કોંગ્રેસે મોડી રાત્રે પોતાના ઉમેદવારોના નામની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કોંગ્રેસે 33 ઉમેદવારોના નામ બહાર પાડ્યા છે જેમાં અનેક ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. વાવથી ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાના છે જ્યારે વડગામથી જીજ્ઞેશ મેવાણી ચૂંટણી લડવાના છે. દરિયાપુરથી ગ્લાસુદ્દીન શેખની પસંદગી કરવામાં આવી છે જ્યારે જમાલપુર બેઠકથી ઈમરાન ખેડાવાલા, દાણી લીમડાથી શૈલેષ પરમાર ચૂંટણી લડવાના છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.