કોંગ્રેસે મોડી રાત્રે ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી, ગેનીબેન ઠાકોર, જીજ્ઞેશ મેવાણીને અપાઈ ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-14 11:03:58

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એક બાદ એક પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ફરી એક વખત ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. મોડી રાત્રે કોંગ્રેસે ઉમેદવારોના નામની છઠ્ઠી યાદી જાહેર કરી છે જેમાં કુલ 33 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓના નામનો સમાવેશ થાય છે.

મોટાભાગના ઉમેદવારોને રિપિટ કરાયા 

ગુજરાતમાં દરેક પાર્ટી તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી હતી. તે બાદ ભાજપે અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ ડિક્લેર કર્યા. કોંગ્રેસે મોડી રાત્રે પોતાના ઉમેદવારોના નામની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કોંગ્રેસે 33 ઉમેદવારોના નામ બહાર પાડ્યા છે જેમાં અનેક ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. વાવથી ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાના છે જ્યારે વડગામથી જીજ્ઞેશ મેવાણી ચૂંટણી લડવાના છે. દરિયાપુરથી ગ્લાસુદ્દીન શેખની પસંદગી કરવામાં આવી છે જ્યારે જમાલપુર બેઠકથી ઈમરાન ખેડાવાલા, દાણી લીમડાથી શૈલેષ પરમાર ચૂંટણી લડવાના છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"