કોંગ્રેસે મોડી રાત્રે ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી, ગેનીબેન ઠાકોર, જીજ્ઞેશ મેવાણીને અપાઈ ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-14 11:03:58

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એક બાદ એક પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ફરી એક વખત ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. મોડી રાત્રે કોંગ્રેસે ઉમેદવારોના નામની છઠ્ઠી યાદી જાહેર કરી છે જેમાં કુલ 33 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓના નામનો સમાવેશ થાય છે.

મોટાભાગના ઉમેદવારોને રિપિટ કરાયા 

ગુજરાતમાં દરેક પાર્ટી તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી હતી. તે બાદ ભાજપે અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ ડિક્લેર કર્યા. કોંગ્રેસે મોડી રાત્રે પોતાના ઉમેદવારોના નામની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કોંગ્રેસે 33 ઉમેદવારોના નામ બહાર પાડ્યા છે જેમાં અનેક ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. વાવથી ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાના છે જ્યારે વડગામથી જીજ્ઞેશ મેવાણી ચૂંટણી લડવાના છે. દરિયાપુરથી ગ્લાસુદ્દીન શેખની પસંદગી કરવામાં આવી છે જ્યારે જમાલપુર બેઠકથી ઈમરાન ખેડાવાલા, દાણી લીમડાથી શૈલેષ પરમાર ચૂંટણી લડવાના છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.