કોંગ્રેસની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, આ દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાની ના પાડી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-05 16:22:49

ગુજરાતમાં કોંગ્રેસ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી રહી છે. કોંગ્રેસે મોડી રાત્રે પોતાના 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બીજા ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ ગામે ગામે જઈ પોતાનો પ્રચાર કરી રહી છે. આ યાત્રા દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નિવેદન આપ્યું જેને કારણે રાજકારણ ગરમાયું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી નહીં લડે. ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. 

Baldevji Thakor | Facebook

સુરેશ પટેલ નથી લડવા માંગતા ચૂંટણી  

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. એક બાદ એક નેતાઓ નારાજ થઈ પાર્ટી છોડી રહ્યા છે અને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસે પોતાનો પ્રચાર કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા કરી છે. પાંચ રૂટ પરથી આ યાત્રા નિકળી રહી છે. અનેક નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન બળદેવજી ઠાકોરે કહ્યું કે માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી નહીં લડે. તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. માણસાના ધારાસભ્યે ખરાબ તબિયત હોવાને કારણે ચૂંટણી લડવાની ના પાડી છે. બળદેવજીએ પ્રાર્થના કરી કે તેઓ ચૂંટણી લડે. માણસામાંથી પંજો જીતવો જોઈએ. 

અનેક નેતાઓએ કર્યો છે પક્ષપલટો  

ઉલ્લેખનીય છે કે જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે તે બાદ અનેક નેતાઓ પોતાની પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી ઈન્દ્રશીલ રાજ્યગુરૂએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. જ્યારે કોંગ્રેસમાંથી અલવિદા કહેનાર હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા છે. જ્યારે ભાજપમાંથી જય નારાયણ વ્યાસે રાજીનામું આપી દીધું છે. ત્યારે 2022માં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટ મળે છે તે જોવું રહ્યું.       




માતા પિતા આપણે પંસદ નથી કરી શકતા પરંતુ આપણા મિત્ર કોણ હશે તે આપણે જાતે પસંદ કરીએ છીએ... મિત્રો આપણને જીવન જીવવાનું શિખવાડે છે... મિત્રતાના અનેક ઉદારણો આપણી સામે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના.

લોકસભા ચૂંટણીમાં ન માત્ર બેઠકો ચર્ચમાં રહી પરંતુ અનેક એવા શબ્દો પણ તમે પ્રચાર દરમિયાન સાંભળ્યો હશે... અનેક શબ્દો એવા છે જે વારંવાર સાંભળ્યા મળ્યા છે અને અનેક એવા શબ્દો છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.. ત્યારે એવા શબ્દોની વાત કરીએ આજે.

બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે..

થોડા દિવસ પહેલા કોળી સમાજને લઈ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું. જે બાદ કોળી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મંત્રીએ કોળી સમાજની માફી માગી છે. જોવું રહ્યું કે શું કોળી સમાજના લોકોનો ગુસ્સો શાંત થશે?