કોંગ્રેસની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, આ દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાની ના પાડી


  • Published By :
  • Published Date : 2022-11-05 16:22:49

ગુજરાતમાં કોંગ્રેસ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી રહી છે. કોંગ્રેસે મોડી રાત્રે પોતાના 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બીજા ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ ગામે ગામે જઈ પોતાનો પ્રચાર કરી રહી છે. આ યાત્રા દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નિવેદન આપ્યું જેને કારણે રાજકારણ ગરમાયું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી નહીં લડે. ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. 

Baldevji Thakor | Facebook

સુરેશ પટેલ નથી લડવા માંગતા ચૂંટણી  

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. એક બાદ એક નેતાઓ નારાજ થઈ પાર્ટી છોડી રહ્યા છે અને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસે પોતાનો પ્રચાર કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા કરી છે. પાંચ રૂટ પરથી આ યાત્રા નિકળી રહી છે. અનેક નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન બળદેવજી ઠાકોરે કહ્યું કે માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી નહીં લડે. તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. માણસાના ધારાસભ્યે ખરાબ તબિયત હોવાને કારણે ચૂંટણી લડવાની ના પાડી છે. બળદેવજીએ પ્રાર્થના કરી કે તેઓ ચૂંટણી લડે. માણસામાંથી પંજો જીતવો જોઈએ. 

અનેક નેતાઓએ કર્યો છે પક્ષપલટો  

ઉલ્લેખનીય છે કે જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે તે બાદ અનેક નેતાઓ પોતાની પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી ઈન્દ્રશીલ રાજ્યગુરૂએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. જ્યારે કોંગ્રેસમાંથી અલવિદા કહેનાર હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા છે. જ્યારે ભાજપમાંથી જય નારાયણ વ્યાસે રાજીનામું આપી દીધું છે. ત્યારે 2022માં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટ મળે છે તે જોવું રહ્યું.       




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.