કોંગ્રેસની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, આ દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાની ના પાડી


  • Published By :
  • Published Date : 2022-11-05 16:22:49

ગુજરાતમાં કોંગ્રેસ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી રહી છે. કોંગ્રેસે મોડી રાત્રે પોતાના 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બીજા ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ ગામે ગામે જઈ પોતાનો પ્રચાર કરી રહી છે. આ યાત્રા દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નિવેદન આપ્યું જેને કારણે રાજકારણ ગરમાયું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી નહીં લડે. ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. 

Baldevji Thakor | Facebook

સુરેશ પટેલ નથી લડવા માંગતા ચૂંટણી  

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. એક બાદ એક નેતાઓ નારાજ થઈ પાર્ટી છોડી રહ્યા છે અને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસે પોતાનો પ્રચાર કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા કરી છે. પાંચ રૂટ પરથી આ યાત્રા નિકળી રહી છે. અનેક નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન બળદેવજી ઠાકોરે કહ્યું કે માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી નહીં લડે. તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. માણસાના ધારાસભ્યે ખરાબ તબિયત હોવાને કારણે ચૂંટણી લડવાની ના પાડી છે. બળદેવજીએ પ્રાર્થના કરી કે તેઓ ચૂંટણી લડે. માણસામાંથી પંજો જીતવો જોઈએ. 

અનેક નેતાઓએ કર્યો છે પક્ષપલટો  

ઉલ્લેખનીય છે કે જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે તે બાદ અનેક નેતાઓ પોતાની પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી ઈન્દ્રશીલ રાજ્યગુરૂએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. જ્યારે કોંગ્રેસમાંથી અલવિદા કહેનાર હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા છે. જ્યારે ભાજપમાંથી જય નારાયણ વ્યાસે રાજીનામું આપી દીધું છે. ત્યારે 2022માં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટ મળે છે તે જોવું રહ્યું.       




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે