ચૂંટણી સમયે કોંગ્રેસની ટ્વિટે લોકોને વિચારવા મજબૂર કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-03 10:07:45

ગુજરાતમાં ચૂંટણીની તારીખ આજે જાહેર થવાની છે. ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરી ચૂંટણીની તારીખ જાહેર કરવાની છે. કઈ તારીખે ચૂંટણી યોજાશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસે એક ટ્વિટ કરી છે, જેણે બધાને વિચારવા મજબૂર કરી દીધા છે. ટ્વિટ કરી કોંગ્રેસે લખ્યું કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે. એ નિષ્પક્ષ ચૂંટણી કરાવે છે.

       

કોંગ્રેસે અનેક વખત ઉઠાવ્યા છે ચૂંટણી પંચ પર સવાલ

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતમાં આવી અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. પોતાના ભાષણમાં કોંગ્રેસના અનેક નેતાઓએ ચૂંટણી પંચને લઈ નિવેદન આપ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ચૂંટણી પંચને લઈ ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભાજપના ઈશારે ચૂંટણી પંચ કામ કરે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ જાણી જોઈને ચૂંટણીની તારીખ જાહેર નથી કરી રહી. જ્યાં સુધી વડાપ્રધાન અને અમિત શાહના કાર્યક્રમો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તારીખ જાહેર કરવામાં નહીં આવે. 

Congress MLAs loyal to Rajasthan CM Ashok Gehlot threaten to resign |  Deccan Herald

અનેક લોકો કરી શકે છે કોંગ્રેસની વાતનું સમર્થન

ચૂંટણી પંચ જ્યારે તારીખ જાહેર કરવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટથી અનેક પ્રશ્ન ઉભા થાય છે. કોંગ્રેસે ટ્વિટ તો કર્યું પરંતુ તેની સાથે વાંદરાના ઈમોજી પણ મુક્યા છે. આ ઈમોજી ગાંધીજીના ત્રણ વાંદરાને દર્શાવે છે. હવે કોંગ્રેસ આવું લખીને શું કહેવા માગે છે તે આપણે બધા સમજી શકીએ છીએ. ચૂંટણી પંચને લઈ આવો વિચાર માત્ર કોંગ્રેસ જ કરે છે એવું નથી. અનેક લોકો પણ આ વાતને સમર્થન આપશે. ત્યારે Indirectly કહેલી વાતને લોકો સીધી રીતના સમજી જશે તેવું કોંગ્રેસનું માનવું છે.            



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.