ચૂંટણી સમયે કોંગ્રેસની ટ્વિટે લોકોને વિચારવા મજબૂર કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-03 10:07:45

ગુજરાતમાં ચૂંટણીની તારીખ આજે જાહેર થવાની છે. ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરી ચૂંટણીની તારીખ જાહેર કરવાની છે. કઈ તારીખે ચૂંટણી યોજાશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસે એક ટ્વિટ કરી છે, જેણે બધાને વિચારવા મજબૂર કરી દીધા છે. ટ્વિટ કરી કોંગ્રેસે લખ્યું કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે. એ નિષ્પક્ષ ચૂંટણી કરાવે છે.

       

કોંગ્રેસે અનેક વખત ઉઠાવ્યા છે ચૂંટણી પંચ પર સવાલ

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતમાં આવી અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. પોતાના ભાષણમાં કોંગ્રેસના અનેક નેતાઓએ ચૂંટણી પંચને લઈ નિવેદન આપ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ચૂંટણી પંચને લઈ ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભાજપના ઈશારે ચૂંટણી પંચ કામ કરે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ જાણી જોઈને ચૂંટણીની તારીખ જાહેર નથી કરી રહી. જ્યાં સુધી વડાપ્રધાન અને અમિત શાહના કાર્યક્રમો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તારીખ જાહેર કરવામાં નહીં આવે. 

Congress MLAs loyal to Rajasthan CM Ashok Gehlot threaten to resign |  Deccan Herald

અનેક લોકો કરી શકે છે કોંગ્રેસની વાતનું સમર્થન

ચૂંટણી પંચ જ્યારે તારીખ જાહેર કરવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટથી અનેક પ્રશ્ન ઉભા થાય છે. કોંગ્રેસે ટ્વિટ તો કર્યું પરંતુ તેની સાથે વાંદરાના ઈમોજી પણ મુક્યા છે. આ ઈમોજી ગાંધીજીના ત્રણ વાંદરાને દર્શાવે છે. હવે કોંગ્રેસ આવું લખીને શું કહેવા માગે છે તે આપણે બધા સમજી શકીએ છીએ. ચૂંટણી પંચને લઈ આવો વિચાર માત્ર કોંગ્રેસ જ કરે છે એવું નથી. અનેક લોકો પણ આ વાતને સમર્થન આપશે. ત્યારે Indirectly કહેલી વાતને લોકો સીધી રીતના સમજી જશે તેવું કોંગ્રેસનું માનવું છે.            



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.