ચૂંટણી સમયે કોંગ્રેસની ટ્વિટે લોકોને વિચારવા મજબૂર કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-03 10:07:45

ગુજરાતમાં ચૂંટણીની તારીખ આજે જાહેર થવાની છે. ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરી ચૂંટણીની તારીખ જાહેર કરવાની છે. કઈ તારીખે ચૂંટણી યોજાશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસે એક ટ્વિટ કરી છે, જેણે બધાને વિચારવા મજબૂર કરી દીધા છે. ટ્વિટ કરી કોંગ્રેસે લખ્યું કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે. એ નિષ્પક્ષ ચૂંટણી કરાવે છે.

       

કોંગ્રેસે અનેક વખત ઉઠાવ્યા છે ચૂંટણી પંચ પર સવાલ

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતમાં આવી અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. પોતાના ભાષણમાં કોંગ્રેસના અનેક નેતાઓએ ચૂંટણી પંચને લઈ નિવેદન આપ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ચૂંટણી પંચને લઈ ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભાજપના ઈશારે ચૂંટણી પંચ કામ કરે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ જાણી જોઈને ચૂંટણીની તારીખ જાહેર નથી કરી રહી. જ્યાં સુધી વડાપ્રધાન અને અમિત શાહના કાર્યક્રમો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તારીખ જાહેર કરવામાં નહીં આવે. 

Congress MLAs loyal to Rajasthan CM Ashok Gehlot threaten to resign |  Deccan Herald

અનેક લોકો કરી શકે છે કોંગ્રેસની વાતનું સમર્થન

ચૂંટણી પંચ જ્યારે તારીખ જાહેર કરવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટથી અનેક પ્રશ્ન ઉભા થાય છે. કોંગ્રેસે ટ્વિટ તો કર્યું પરંતુ તેની સાથે વાંદરાના ઈમોજી પણ મુક્યા છે. આ ઈમોજી ગાંધીજીના ત્રણ વાંદરાને દર્શાવે છે. હવે કોંગ્રેસ આવું લખીને શું કહેવા માગે છે તે આપણે બધા સમજી શકીએ છીએ. ચૂંટણી પંચને લઈ આવો વિચાર માત્ર કોંગ્રેસ જ કરે છે એવું નથી. અનેક લોકો પણ આ વાતને સમર્થન આપશે. ત્યારે Indirectly કહેલી વાતને લોકો સીધી રીતના સમજી જશે તેવું કોંગ્રેસનું માનવું છે.            



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.