ચૂંટણી સમયે કોંગ્રેસની ટ્વિટે લોકોને વિચારવા મજબૂર કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-03 10:07:45

ગુજરાતમાં ચૂંટણીની તારીખ આજે જાહેર થવાની છે. ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરી ચૂંટણીની તારીખ જાહેર કરવાની છે. કઈ તારીખે ચૂંટણી યોજાશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસે એક ટ્વિટ કરી છે, જેણે બધાને વિચારવા મજબૂર કરી દીધા છે. ટ્વિટ કરી કોંગ્રેસે લખ્યું કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે. એ નિષ્પક્ષ ચૂંટણી કરાવે છે.

       

કોંગ્રેસે અનેક વખત ઉઠાવ્યા છે ચૂંટણી પંચ પર સવાલ

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતમાં આવી અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. પોતાના ભાષણમાં કોંગ્રેસના અનેક નેતાઓએ ચૂંટણી પંચને લઈ નિવેદન આપ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ચૂંટણી પંચને લઈ ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભાજપના ઈશારે ચૂંટણી પંચ કામ કરે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ જાણી જોઈને ચૂંટણીની તારીખ જાહેર નથી કરી રહી. જ્યાં સુધી વડાપ્રધાન અને અમિત શાહના કાર્યક્રમો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તારીખ જાહેર કરવામાં નહીં આવે. 

Congress MLAs loyal to Rajasthan CM Ashok Gehlot threaten to resign |  Deccan Herald

અનેક લોકો કરી શકે છે કોંગ્રેસની વાતનું સમર્થન

ચૂંટણી પંચ જ્યારે તારીખ જાહેર કરવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટથી અનેક પ્રશ્ન ઉભા થાય છે. કોંગ્રેસે ટ્વિટ તો કર્યું પરંતુ તેની સાથે વાંદરાના ઈમોજી પણ મુક્યા છે. આ ઈમોજી ગાંધીજીના ત્રણ વાંદરાને દર્શાવે છે. હવે કોંગ્રેસ આવું લખીને શું કહેવા માગે છે તે આપણે બધા સમજી શકીએ છીએ. ચૂંટણી પંચને લઈ આવો વિચાર માત્ર કોંગ્રેસ જ કરે છે એવું નથી. અનેક લોકો પણ આ વાતને સમર્થન આપશે. ત્યારે Indirectly કહેલી વાતને લોકો સીધી રીતના સમજી જશે તેવું કોંગ્રેસનું માનવું છે.            



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે