આ બેઠકો પર કોંગ્રેસે મેળવી જીત


  • Published By :
  • Published Date : 2022-12-09 09:30:20

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપને અંદાજીત 150 સીટ મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 16 સીટો જ મળી છે. ભાજપ પોતાનો જ રેકોર્ડ આ વખતે તોડી રહી છે.  આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ત્યારે કોંગ્રેસના આ નેતાઓની જીત થઈ છે. 

Vav MLA Ganiben Thakor's Janata Red Case Has Taken A New Turn | વાવ  ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડ મામલે સામે આવ્યો નવો વળાંક

ગેનીબેન ઠાકોરે વાવ બેઠક પરથી મેળવી જીત

નવસારીના વાંસદાથી કોંગ્રેસના અનંત પટેલનો વિજય થયો છે જ્યારે ભાજપના પીયૂષ પટેલ તેમજ આપના પંકજ પટેલની હાર થઈ છે. જો પોરબંદરની વાત કરીએ તો કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે જ્યારે ભાજપના બાબુ બોખરિયાની હાર થઈ છે અને આપના ઉમેદવાર જીવન જુંગીની પણ હાર થઈ છે.  તળાજામાં કોંગ્રેસના કનુ બારૈયાની જીત થઈ છે જેમની સામે ભાજપમાંથી ગૌતમ ચૌહાણ હતા અને આપમાં લાલુબેન ચૌહાણ હતા. ફરી એક વખત વાવમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે જ્યારે ભાજપના શંકર ચૌધરી હતા અને આપમાંથી વીરચંદ ચાવડા હતા.

Curious case of MLA Jignesh Mevani: Appointed Gujarat Congress working  president, attracts disqualification | India News - Times of India

જીજ્ઞેશ મેવાણીનો વડગામથી થયો વિજય 

દાંતામાં કાંતિ ખરાડી જીત્યા છે, જ્યારે ભાજપના લાધુ પારઘી અને આપના એમ.કે.બોંબાડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણીએ ભાજપના મણિભાઈ વાઘેલા અને આપના દલપત ભાટિયાના હરાવ્યા છે. કાંકરેજમાંથી કોંગ્રેસના અમૃતભાઈ ઠાકોરે ભાજપ અને આપના ઉમેદવારને પરાસ્ત કર્યા છે. ભાજપના કીર્તિસિંહ વાઘેલા અને આપના મૂકેશ ઠક્કરને હરાવ્યા છે. જ્યારે ચાણસ્મામાં કોંગ્રેસના દિનેશ ઠાકોરની જીત થઈ છે જ્યાં તેમણે દિલીપ ઠાકોર અને વિષ્ણુ પટેલની હાર થઈ છે. પાટણમાં કોંગ્રેસના કિરીટ કુમાર પટેલે ભાજપના રાજુલ દેસાઈ અને આપના લાલેશ ઠક્કરને હરાવ્યા છે. વીજાપુરમાં કોંગ્રેસના સી.જે ચાવડા જીત્યા છે જ્યારે રમણ પટેલ અને ચિરાગ પટેલ આ બેઠક પરતી હાર્યા છે. જમાલપુર ખાડિયામાં ઈમરાન ખેડાવાલાએ ભાજપના ભૂષણ ભટ્ટ અને આપના હારુન નાગોરીને હરાવ્યા છે.

Gujarat : અમિત ચાવડા કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી  કાર્યકારી પ્રમુખ રહેશે | TV9 Gujarati

શૈલેષ પરમારનો દાણીલીમડાથી મેળવી જીત

દાણીલીમડામાં કોંગ્રેસના શૈલેષ પરમારનો વિજય થયો છે જ્યારે ભાજપના નરેશ વ્યાસ અને આપના દિનેશ કાપડિયાનો પરાજય થયો છે. ખંભાતમાં કોંગ્રેસના ચીરાગ પટેલે ભાજપના મહેશ રાવલ અને આપના ભરત ચાવડાને હરાવીને બેઠક પોતાને નામ કરી છે. આંકલાવમાં અમિત ચાવડાએ ભાજપના ગુલાબસિંહ પઢિયાર અને આપના ગજેન્દ્રસિંહને હરાવ્યા છે. ઉપરાંત લુણાવાડામાં કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા છે અને તેમણે ભાજપના જીજ્ઞેશ સેવક અને આપના નટવર સોલંકીને પણ હરાવ્યા છે



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.