આ બેઠકો પર કોંગ્રેસે મેળવી જીત


  • Published By :
  • Published Date : 2022-12-09 09:30:20

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપને અંદાજીત 150 સીટ મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 16 સીટો જ મળી છે. ભાજપ પોતાનો જ રેકોર્ડ આ વખતે તોડી રહી છે.  આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ત્યારે કોંગ્રેસના આ નેતાઓની જીત થઈ છે. 

Vav MLA Ganiben Thakor's Janata Red Case Has Taken A New Turn | વાવ  ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડ મામલે સામે આવ્યો નવો વળાંક

ગેનીબેન ઠાકોરે વાવ બેઠક પરથી મેળવી જીત

નવસારીના વાંસદાથી કોંગ્રેસના અનંત પટેલનો વિજય થયો છે જ્યારે ભાજપના પીયૂષ પટેલ તેમજ આપના પંકજ પટેલની હાર થઈ છે. જો પોરબંદરની વાત કરીએ તો કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે જ્યારે ભાજપના બાબુ બોખરિયાની હાર થઈ છે અને આપના ઉમેદવાર જીવન જુંગીની પણ હાર થઈ છે.  તળાજામાં કોંગ્રેસના કનુ બારૈયાની જીત થઈ છે જેમની સામે ભાજપમાંથી ગૌતમ ચૌહાણ હતા અને આપમાં લાલુબેન ચૌહાણ હતા. ફરી એક વખત વાવમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે જ્યારે ભાજપના શંકર ચૌધરી હતા અને આપમાંથી વીરચંદ ચાવડા હતા.

Curious case of MLA Jignesh Mevani: Appointed Gujarat Congress working  president, attracts disqualification | India News - Times of India

જીજ્ઞેશ મેવાણીનો વડગામથી થયો વિજય 

દાંતામાં કાંતિ ખરાડી જીત્યા છે, જ્યારે ભાજપના લાધુ પારઘી અને આપના એમ.કે.બોંબાડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણીએ ભાજપના મણિભાઈ વાઘેલા અને આપના દલપત ભાટિયાના હરાવ્યા છે. કાંકરેજમાંથી કોંગ્રેસના અમૃતભાઈ ઠાકોરે ભાજપ અને આપના ઉમેદવારને પરાસ્ત કર્યા છે. ભાજપના કીર્તિસિંહ વાઘેલા અને આપના મૂકેશ ઠક્કરને હરાવ્યા છે. જ્યારે ચાણસ્મામાં કોંગ્રેસના દિનેશ ઠાકોરની જીત થઈ છે જ્યાં તેમણે દિલીપ ઠાકોર અને વિષ્ણુ પટેલની હાર થઈ છે. પાટણમાં કોંગ્રેસના કિરીટ કુમાર પટેલે ભાજપના રાજુલ દેસાઈ અને આપના લાલેશ ઠક્કરને હરાવ્યા છે. વીજાપુરમાં કોંગ્રેસના સી.જે ચાવડા જીત્યા છે જ્યારે રમણ પટેલ અને ચિરાગ પટેલ આ બેઠક પરતી હાર્યા છે. જમાલપુર ખાડિયામાં ઈમરાન ખેડાવાલાએ ભાજપના ભૂષણ ભટ્ટ અને આપના હારુન નાગોરીને હરાવ્યા છે.

Gujarat : અમિત ચાવડા કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી  કાર્યકારી પ્રમુખ રહેશે | TV9 Gujarati

શૈલેષ પરમારનો દાણીલીમડાથી મેળવી જીત

દાણીલીમડામાં કોંગ્રેસના શૈલેષ પરમારનો વિજય થયો છે જ્યારે ભાજપના નરેશ વ્યાસ અને આપના દિનેશ કાપડિયાનો પરાજય થયો છે. ખંભાતમાં કોંગ્રેસના ચીરાગ પટેલે ભાજપના મહેશ રાવલ અને આપના ભરત ચાવડાને હરાવીને બેઠક પોતાને નામ કરી છે. આંકલાવમાં અમિત ચાવડાએ ભાજપના ગુલાબસિંહ પઢિયાર અને આપના ગજેન્દ્રસિંહને હરાવ્યા છે. ઉપરાંત લુણાવાડામાં કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા છે અને તેમણે ભાજપના જીજ્ઞેશ સેવક અને આપના નટવર સોલંકીને પણ હરાવ્યા છે



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી