આ બેઠકો પર કોંગ્રેસે મેળવી જીત


  • Published By :
  • Published Date : 2022-12-09 09:30:20

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપને અંદાજીત 150 સીટ મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 16 સીટો જ મળી છે. ભાજપ પોતાનો જ રેકોર્ડ આ વખતે તોડી રહી છે.  આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ત્યારે કોંગ્રેસના આ નેતાઓની જીત થઈ છે. 

Vav MLA Ganiben Thakor's Janata Red Case Has Taken A New Turn | વાવ  ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડ મામલે સામે આવ્યો નવો વળાંક

ગેનીબેન ઠાકોરે વાવ બેઠક પરથી મેળવી જીત

નવસારીના વાંસદાથી કોંગ્રેસના અનંત પટેલનો વિજય થયો છે જ્યારે ભાજપના પીયૂષ પટેલ તેમજ આપના પંકજ પટેલની હાર થઈ છે. જો પોરબંદરની વાત કરીએ તો કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે જ્યારે ભાજપના બાબુ બોખરિયાની હાર થઈ છે અને આપના ઉમેદવાર જીવન જુંગીની પણ હાર થઈ છે.  તળાજામાં કોંગ્રેસના કનુ બારૈયાની જીત થઈ છે જેમની સામે ભાજપમાંથી ગૌતમ ચૌહાણ હતા અને આપમાં લાલુબેન ચૌહાણ હતા. ફરી એક વખત વાવમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે જ્યારે ભાજપના શંકર ચૌધરી હતા અને આપમાંથી વીરચંદ ચાવડા હતા.

Curious case of MLA Jignesh Mevani: Appointed Gujarat Congress working  president, attracts disqualification | India News - Times of India

જીજ્ઞેશ મેવાણીનો વડગામથી થયો વિજય 

દાંતામાં કાંતિ ખરાડી જીત્યા છે, જ્યારે ભાજપના લાધુ પારઘી અને આપના એમ.કે.બોંબાડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણીએ ભાજપના મણિભાઈ વાઘેલા અને આપના દલપત ભાટિયાના હરાવ્યા છે. કાંકરેજમાંથી કોંગ્રેસના અમૃતભાઈ ઠાકોરે ભાજપ અને આપના ઉમેદવારને પરાસ્ત કર્યા છે. ભાજપના કીર્તિસિંહ વાઘેલા અને આપના મૂકેશ ઠક્કરને હરાવ્યા છે. જ્યારે ચાણસ્મામાં કોંગ્રેસના દિનેશ ઠાકોરની જીત થઈ છે જ્યાં તેમણે દિલીપ ઠાકોર અને વિષ્ણુ પટેલની હાર થઈ છે. પાટણમાં કોંગ્રેસના કિરીટ કુમાર પટેલે ભાજપના રાજુલ દેસાઈ અને આપના લાલેશ ઠક્કરને હરાવ્યા છે. વીજાપુરમાં કોંગ્રેસના સી.જે ચાવડા જીત્યા છે જ્યારે રમણ પટેલ અને ચિરાગ પટેલ આ બેઠક પરતી હાર્યા છે. જમાલપુર ખાડિયામાં ઈમરાન ખેડાવાલાએ ભાજપના ભૂષણ ભટ્ટ અને આપના હારુન નાગોરીને હરાવ્યા છે.

Gujarat : અમિત ચાવડા કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી  કાર્યકારી પ્રમુખ રહેશે | TV9 Gujarati

શૈલેષ પરમારનો દાણીલીમડાથી મેળવી જીત

દાણીલીમડામાં કોંગ્રેસના શૈલેષ પરમારનો વિજય થયો છે જ્યારે ભાજપના નરેશ વ્યાસ અને આપના દિનેશ કાપડિયાનો પરાજય થયો છે. ખંભાતમાં કોંગ્રેસના ચીરાગ પટેલે ભાજપના મહેશ રાવલ અને આપના ભરત ચાવડાને હરાવીને બેઠક પોતાને નામ કરી છે. આંકલાવમાં અમિત ચાવડાએ ભાજપના ગુલાબસિંહ પઢિયાર અને આપના ગજેન્દ્રસિંહને હરાવ્યા છે. ઉપરાંત લુણાવાડામાં કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા છે અને તેમણે ભાજપના જીજ્ઞેશ સેવક અને આપના નટવર સોલંકીને પણ હરાવ્યા છે



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.