વધતા શાકભાજીના ભાવને લઈ કોંગ્રેસે સાધ્યું ભાજપ પર નિશાન, મોંઘવારી મુદ્દે ટ્વિટર પર સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2023-07-04 17:05:42

મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. વધતી મોંઘવારીની સીધી અસર મધ્યમ વર્ગીય પરિવાર પર જોવા મળી રહી છે. મોંઘવારીને કારણે મધ્યમ વર્ગીય પરિવારો માટે લાફો મારી ગાલ લાલ રાખવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શાકભાજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ટામેટા 150-160 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે જ્યારે આદુના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. મોંઘવારીને લઈ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવી રહી છે જેમાં શાકભાજીના ભાવો દર્શાવવામાં આવી રહ્યા છે.

   

કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી મોંઘવારીને લઈ ટ્વિટ

અનેક વખત ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચે ટ્વિટર યુદ્ધ જોવા મળતું હોય છે. બંને પાર્ટીઓ એક બીજાની નિતિઓ, પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને લઈ પ્રહાર કરતી હોય છે. જો કોંગ્રેસ દ્વારા કટાક્ષમાં કોઈ ટ્વિટ કરવામાં આવે છે તો ભાજપ તેનો વળતો જવાબ આપે છે. સામા પક્ષે પણ એવું જ છે. ત્યારે વધતી મોંઘવારીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. મોંઘવારીને લઈ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી અનેક પોસ્ટ કરવામાં આવી છે.  

કોંગ્રેસે સંભળાવી 'મહેંગાઈ મેન કી કહાની'!

જ્યારે કોંગ્રેસના કાર્યલયમાં જ્યારે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી તે પહેલા શાકભાજીની ટોકરી લઈને આવ્યા હતા. તે સિવાય બીજી એક ટ્વિટમાં શાકભાજીના ભાવો લખવામાં આવ્યા છે. કયા શાકભાજી કઈ કિંમતે મળે છે. તે ઉપરાંત એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં ગિફ્ટ ઓપશન તરીકે શાકભાજીને બતાવવામાં આવ્યું છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ તમારૂ શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો.    




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.