વધતા શાકભાજીના ભાવને લઈ કોંગ્રેસે સાધ્યું ભાજપ પર નિશાન, મોંઘવારી મુદ્દે ટ્વિટર પર સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2023-07-04 17:05:42

મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. વધતી મોંઘવારીની સીધી અસર મધ્યમ વર્ગીય પરિવાર પર જોવા મળી રહી છે. મોંઘવારીને કારણે મધ્યમ વર્ગીય પરિવારો માટે લાફો મારી ગાલ લાલ રાખવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શાકભાજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ટામેટા 150-160 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે જ્યારે આદુના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. મોંઘવારીને લઈ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવી રહી છે જેમાં શાકભાજીના ભાવો દર્શાવવામાં આવી રહ્યા છે.

   

કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી મોંઘવારીને લઈ ટ્વિટ

અનેક વખત ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચે ટ્વિટર યુદ્ધ જોવા મળતું હોય છે. બંને પાર્ટીઓ એક બીજાની નિતિઓ, પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને લઈ પ્રહાર કરતી હોય છે. જો કોંગ્રેસ દ્વારા કટાક્ષમાં કોઈ ટ્વિટ કરવામાં આવે છે તો ભાજપ તેનો વળતો જવાબ આપે છે. સામા પક્ષે પણ એવું જ છે. ત્યારે વધતી મોંઘવારીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. મોંઘવારીને લઈ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી અનેક પોસ્ટ કરવામાં આવી છે.  

કોંગ્રેસે સંભળાવી 'મહેંગાઈ મેન કી કહાની'!

જ્યારે કોંગ્રેસના કાર્યલયમાં જ્યારે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી તે પહેલા શાકભાજીની ટોકરી લઈને આવ્યા હતા. તે સિવાય બીજી એક ટ્વિટમાં શાકભાજીના ભાવો લખવામાં આવ્યા છે. કયા શાકભાજી કઈ કિંમતે મળે છે. તે ઉપરાંત એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં ગિફ્ટ ઓપશન તરીકે શાકભાજીને બતાવવામાં આવ્યું છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ તમારૂ શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો.    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.