વધતા શાકભાજીના ભાવને લઈ કોંગ્રેસે સાધ્યું ભાજપ પર નિશાન, મોંઘવારી મુદ્દે ટ્વિટર પર સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2023-07-04 17:05:42

મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. વધતી મોંઘવારીની સીધી અસર મધ્યમ વર્ગીય પરિવાર પર જોવા મળી રહી છે. મોંઘવારીને કારણે મધ્યમ વર્ગીય પરિવારો માટે લાફો મારી ગાલ લાલ રાખવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શાકભાજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ટામેટા 150-160 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે જ્યારે આદુના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. મોંઘવારીને લઈ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવી રહી છે જેમાં શાકભાજીના ભાવો દર્શાવવામાં આવી રહ્યા છે.

   

કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી મોંઘવારીને લઈ ટ્વિટ

અનેક વખત ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચે ટ્વિટર યુદ્ધ જોવા મળતું હોય છે. બંને પાર્ટીઓ એક બીજાની નિતિઓ, પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને લઈ પ્રહાર કરતી હોય છે. જો કોંગ્રેસ દ્વારા કટાક્ષમાં કોઈ ટ્વિટ કરવામાં આવે છે તો ભાજપ તેનો વળતો જવાબ આપે છે. સામા પક્ષે પણ એવું જ છે. ત્યારે વધતી મોંઘવારીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. મોંઘવારીને લઈ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી અનેક પોસ્ટ કરવામાં આવી છે.  

કોંગ્રેસે સંભળાવી 'મહેંગાઈ મેન કી કહાની'!

જ્યારે કોંગ્રેસના કાર્યલયમાં જ્યારે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી તે પહેલા શાકભાજીની ટોકરી લઈને આવ્યા હતા. તે સિવાય બીજી એક ટ્વિટમાં શાકભાજીના ભાવો લખવામાં આવ્યા છે. કયા શાકભાજી કઈ કિંમતે મળે છે. તે ઉપરાંત એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં ગિફ્ટ ઓપશન તરીકે શાકભાજીને બતાવવામાં આવ્યું છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ તમારૂ શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.