વધતા શાકભાજીના ભાવને લઈ કોંગ્રેસે સાધ્યું ભાજપ પર નિશાન, મોંઘવારી મુદ્દે ટ્વિટર પર સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2023-07-04 17:05:42

મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. વધતી મોંઘવારીની સીધી અસર મધ્યમ વર્ગીય પરિવાર પર જોવા મળી રહી છે. મોંઘવારીને કારણે મધ્યમ વર્ગીય પરિવારો માટે લાફો મારી ગાલ લાલ રાખવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શાકભાજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ટામેટા 150-160 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે જ્યારે આદુના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. મોંઘવારીને લઈ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવી રહી છે જેમાં શાકભાજીના ભાવો દર્શાવવામાં આવી રહ્યા છે.

   

કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી મોંઘવારીને લઈ ટ્વિટ

અનેક વખત ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચે ટ્વિટર યુદ્ધ જોવા મળતું હોય છે. બંને પાર્ટીઓ એક બીજાની નિતિઓ, પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને લઈ પ્રહાર કરતી હોય છે. જો કોંગ્રેસ દ્વારા કટાક્ષમાં કોઈ ટ્વિટ કરવામાં આવે છે તો ભાજપ તેનો વળતો જવાબ આપે છે. સામા પક્ષે પણ એવું જ છે. ત્યારે વધતી મોંઘવારીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. મોંઘવારીને લઈ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી અનેક પોસ્ટ કરવામાં આવી છે.  

કોંગ્રેસે સંભળાવી 'મહેંગાઈ મેન કી કહાની'!

જ્યારે કોંગ્રેસના કાર્યલયમાં જ્યારે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી તે પહેલા શાકભાજીની ટોકરી લઈને આવ્યા હતા. તે સિવાય બીજી એક ટ્વિટમાં શાકભાજીના ભાવો લખવામાં આવ્યા છે. કયા શાકભાજી કઈ કિંમતે મળે છે. તે ઉપરાંત એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં ગિફ્ટ ઓપશન તરીકે શાકભાજીને બતાવવામાં આવ્યું છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ તમારૂ શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.