મુખ્યમંત્રીના ચહેરાની વાત પર કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2022-10-29 15:36:02

ગુજરાતમાં ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં મગ્ન થઈ છે. ત્યારે કોંગ્રેસ પોતાના મુદ્દાઓનો પ્રચાર નથી કરી રહ્યું પરંતુ બીજી પાર્ટી પર પ્રહાર કરી પોતાના રાજનૈતિક રોટલા સેકી રહી છે. આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના ચહેરાને લઈ વિચારણા કરી રહી છે તેની પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. જગદીશ ઠાકોરે કહ્યું કે આપના ઉમેદવારો જીતી શકવાની સ્થિતિમાં નથી. અને મુખ્યમંત્રીની વાતો કરે છે.

જગદીશ ઠાકોર : આક્રમક શૈલીમાં ભાષણ કરનારા નેતા ચૂંટણીમાં કૉંગ્રેસને મત અપાવી  શકશે? - BBC News ગુજરાતી

કેજરીવાલે કેટલા ઉમેદવારો જીતશે તેનું મુલ્યાંકન કરવું જોઈએ - ઠાકોર

ભાજપ અને આમ આદમી પાર્ટી મોટા આયોજનો કરી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે હજી સુધી મોટા પાયે કોઈ જનસભાનું આયોજન નથી કર્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસ પ્રચાર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે ત્યારે આપ મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી પ્રચાર કરવાની રણનીતિ બનાવી રહી છે. આ વાત પર ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. વ્યંગ કરતા તેમણે કહ્યું કે આપ પહેલા 182 ઉમેદવારોના નામ તો જાહેર કરે. આપના ઉમેદવારો જીતવાની સ્થિતિમાં નથીને મુખ્યમંત્રીની વાતો કરો છો. કેજરીવાલે કેટલા ઉમેદવારો જીતશે તેનું મુલ્યાંકન કરવું જોઈએ.     

કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રાનો કરશે પ્રારંભ

કોંગ્રેસ પણ પોતાના પ્રચાર માટે ગંભીર બની છે. જેમ ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે તેમ કોંગ્રેસ પણ યાત્રાનું આયોજન કરી રહી છે. 31 ઓક્ટોબરથી કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવાની છે. ગુજરાતમાં 5 જગ્યાએથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. સૌરાષ્ટ્રમાં નીકળનારી આ યાત્રાનો પ્રારંભ સોમનાથ મંદિર ખાતેથી થવાનો છે.     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.