મુખ્યમંત્રીના ચહેરાની વાત પર કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2022-10-29 15:36:02

ગુજરાતમાં ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં મગ્ન થઈ છે. ત્યારે કોંગ્રેસ પોતાના મુદ્દાઓનો પ્રચાર નથી કરી રહ્યું પરંતુ બીજી પાર્ટી પર પ્રહાર કરી પોતાના રાજનૈતિક રોટલા સેકી રહી છે. આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના ચહેરાને લઈ વિચારણા કરી રહી છે તેની પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. જગદીશ ઠાકોરે કહ્યું કે આપના ઉમેદવારો જીતી શકવાની સ્થિતિમાં નથી. અને મુખ્યમંત્રીની વાતો કરે છે.

જગદીશ ઠાકોર : આક્રમક શૈલીમાં ભાષણ કરનારા નેતા ચૂંટણીમાં કૉંગ્રેસને મત અપાવી  શકશે? - BBC News ગુજરાતી

કેજરીવાલે કેટલા ઉમેદવારો જીતશે તેનું મુલ્યાંકન કરવું જોઈએ - ઠાકોર

ભાજપ અને આમ આદમી પાર્ટી મોટા આયોજનો કરી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે હજી સુધી મોટા પાયે કોઈ જનસભાનું આયોજન નથી કર્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસ પ્રચાર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે ત્યારે આપ મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી પ્રચાર કરવાની રણનીતિ બનાવી રહી છે. આ વાત પર ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. વ્યંગ કરતા તેમણે કહ્યું કે આપ પહેલા 182 ઉમેદવારોના નામ તો જાહેર કરે. આપના ઉમેદવારો જીતવાની સ્થિતિમાં નથીને મુખ્યમંત્રીની વાતો કરો છો. કેજરીવાલે કેટલા ઉમેદવારો જીતશે તેનું મુલ્યાંકન કરવું જોઈએ.     

કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રાનો કરશે પ્રારંભ

કોંગ્રેસ પણ પોતાના પ્રચાર માટે ગંભીર બની છે. જેમ ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે તેમ કોંગ્રેસ પણ યાત્રાનું આયોજન કરી રહી છે. 31 ઓક્ટોબરથી કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવાની છે. ગુજરાતમાં 5 જગ્યાએથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. સૌરાષ્ટ્રમાં નીકળનારી આ યાત્રાનો પ્રારંભ સોમનાથ મંદિર ખાતેથી થવાનો છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.