મુખ્યમંત્રીના ચહેરાની વાત પર કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2022-10-29 15:36:02

ગુજરાતમાં ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં મગ્ન થઈ છે. ત્યારે કોંગ્રેસ પોતાના મુદ્દાઓનો પ્રચાર નથી કરી રહ્યું પરંતુ બીજી પાર્ટી પર પ્રહાર કરી પોતાના રાજનૈતિક રોટલા સેકી રહી છે. આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના ચહેરાને લઈ વિચારણા કરી રહી છે તેની પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. જગદીશ ઠાકોરે કહ્યું કે આપના ઉમેદવારો જીતી શકવાની સ્થિતિમાં નથી. અને મુખ્યમંત્રીની વાતો કરે છે.

જગદીશ ઠાકોર : આક્રમક શૈલીમાં ભાષણ કરનારા નેતા ચૂંટણીમાં કૉંગ્રેસને મત અપાવી  શકશે? - BBC News ગુજરાતી

કેજરીવાલે કેટલા ઉમેદવારો જીતશે તેનું મુલ્યાંકન કરવું જોઈએ - ઠાકોર

ભાજપ અને આમ આદમી પાર્ટી મોટા આયોજનો કરી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે હજી સુધી મોટા પાયે કોઈ જનસભાનું આયોજન નથી કર્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસ પ્રચાર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે ત્યારે આપ મુખ્યમંત્રીના ચહેરા સાથે ચૂંટણી પ્રચાર કરવાની રણનીતિ બનાવી રહી છે. આ વાત પર ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. વ્યંગ કરતા તેમણે કહ્યું કે આપ પહેલા 182 ઉમેદવારોના નામ તો જાહેર કરે. આપના ઉમેદવારો જીતવાની સ્થિતિમાં નથીને મુખ્યમંત્રીની વાતો કરો છો. કેજરીવાલે કેટલા ઉમેદવારો જીતશે તેનું મુલ્યાંકન કરવું જોઈએ.     

કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રાનો કરશે પ્રારંભ

કોંગ્રેસ પણ પોતાના પ્રચાર માટે ગંભીર બની છે. જેમ ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે તેમ કોંગ્રેસ પણ યાત્રાનું આયોજન કરી રહી છે. 31 ઓક્ટોબરથી કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવાની છે. ગુજરાતમાં 5 જગ્યાએથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. સૌરાષ્ટ્રમાં નીકળનારી આ યાત્રાનો પ્રારંભ સોમનાથ મંદિર ખાતેથી થવાનો છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.