કોંગ્રેસે ચૂૂંટણીને ગંભીરતાથી લીધી, ગુજરાતમાં શરૂ કર્યો ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 16:35:03

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ આપ અને ભાજપ ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આપ અને ભાજપ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસે પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ પદમા દાવેદાર મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.


મલ્લિકાર્જૂન ખડગે ગુજરાતની મુલાકાતે

આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી નજીક આવતા આપે અને ભાજપે ગુજરાતમાં પ્રચાર માટે નેતાઓની ફોજ ઉતારી છે. ભાજપે કેન્દ્રીય મંત્રી મંડળને ગુજરાતમાં ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટીની પ્રચાર ખુદ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. ત્યારે ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ સક્રિય થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા મલ્લિકાર્જૂન ખડગે હાલ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. 

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ ખડગેનું સ્વાગત કર્યું હતું

ગાંધી આશ્રમથી શરૂ કરી યાત્રાની શરૂઆત

ઉલ્લેખનિય છે કે મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના દાવેદાર છે. અધ્યક્ષ પદના મુખ્ય દાવેદાર ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. મલ્લિકાર્જૂન ખડગેએ પોતાની યાત્રાની શરૂઆત ગાંધી આશ્રમની મુલાકાત લઈ કરી હતી. તેમની સાથે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, સાંસદ શક્તિસિંહ ગોહિલ, અને કોંગ્રેસના અનેક ધારાસભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.        




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .