કોંગ્રેસે ચૂૂંટણીને ગંભીરતાથી લીધી, ગુજરાતમાં શરૂ કર્યો ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 16:35:03

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ આપ અને ભાજપ ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આપ અને ભાજપ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસે પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ પદમા દાવેદાર મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.


મલ્લિકાર્જૂન ખડગે ગુજરાતની મુલાકાતે

આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી નજીક આવતા આપે અને ભાજપે ગુજરાતમાં પ્રચાર માટે નેતાઓની ફોજ ઉતારી છે. ભાજપે કેન્દ્રીય મંત્રી મંડળને ગુજરાતમાં ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટીની પ્રચાર ખુદ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. ત્યારે ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ સક્રિય થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા મલ્લિકાર્જૂન ખડગે હાલ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. 

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ ખડગેનું સ્વાગત કર્યું હતું

ગાંધી આશ્રમથી શરૂ કરી યાત્રાની શરૂઆત

ઉલ્લેખનિય છે કે મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના દાવેદાર છે. અધ્યક્ષ પદના મુખ્ય દાવેદાર ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. મલ્લિકાર્જૂન ખડગેએ પોતાની યાત્રાની શરૂઆત ગાંધી આશ્રમની મુલાકાત લઈ કરી હતી. તેમની સાથે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, સાંસદ શક્તિસિંહ ગોહિલ, અને કોંગ્રેસના અનેક ધારાસભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.        




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે