કોંગ્રેસે ચૂૂંટણીને ગંભીરતાથી લીધી, ગુજરાતમાં શરૂ કર્યો ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 16:35:03

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ આપ અને ભાજપ ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આપ અને ભાજપ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસે પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ પદમા દાવેદાર મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.


મલ્લિકાર્જૂન ખડગે ગુજરાતની મુલાકાતે

આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી નજીક આવતા આપે અને ભાજપે ગુજરાતમાં પ્રચાર માટે નેતાઓની ફોજ ઉતારી છે. ભાજપે કેન્દ્રીય મંત્રી મંડળને ગુજરાતમાં ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટીની પ્રચાર ખુદ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. ત્યારે ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ સક્રિય થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા મલ્લિકાર્જૂન ખડગે હાલ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. 

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ ખડગેનું સ્વાગત કર્યું હતું

ગાંધી આશ્રમથી શરૂ કરી યાત્રાની શરૂઆત

ઉલ્લેખનિય છે કે મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના દાવેદાર છે. અધ્યક્ષ પદના મુખ્ય દાવેદાર ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. મલ્લિકાર્જૂન ખડગેએ પોતાની યાત્રાની શરૂઆત ગાંધી આશ્રમની મુલાકાત લઈ કરી હતી. તેમની સાથે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, સાંસદ શક્તિસિંહ ગોહિલ, અને કોંગ્રેસના અનેક ધારાસભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.        




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .