ગુજરાત વિધાનસભા ચૂંટણીને કોંગ્રેસે ગંભીરતાથી લીધી, પ્રચારના કર્યા શ્રીગણેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 10:24:31

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પ્રાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર જોર શોરથી કરી રહી છે. પાર્ટીના કદાવર નેતા ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીને ગંભીરતાથી લીધી છે. ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે.

 

ગેહલોતે ભાજપ સરકારને લીધી આડેહાથ   

પોતાના પ્રવાસના પ્રથમ દિવસે અશોક ગેહલોતે રાધનપુર ખાતે કોંગ્રેસ દ્વારા આયોજીત મહાસંમેલનમાં ભાગ લીધો હતો. મહાસંમેલનમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ રાધનપુરના ધારાસભ્ય ઉપસ્થિત હતા. અશોક ગેહલોતે અનેક મુદ્દાને લઈ ભાજપ સરકારને ઘેરી હતી. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે ભાજપે પોતાની સરકાર બદલવી પડી હતી. 


અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવી એ મોટી ભૂલ હતી - ગેહલોત 

અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવી એ મારી સૌથી મોટી ભૂલ હતી. રઘુભાઇ 2017થી જ ટિકિટના સાચા દાવેદાર હતા, પણ બાય ઇલેક્શનમાં તમે રઘુભાઈને જીતાડી રાધનપુરની જનતાએ ખુબજ સુંદર કામ કર્યું છે. 

Ahead of polls, Cong wants Alpesh Thakor disqualified | Deccan Herald

સરકાર ફેલ જતા મુખ્યમંત્રી બદલવા પડ્યા - ગેહલોત

વધુમાં તેમણે જણાવ્યું કે ભાજપ સરકારના શાસનમાં દેશની હાલત ખરાબ થઈ ગઈ છે. ભાજપ સરકારમાં ઘમંડ છે ત્યારે ગુજરાત ભાજપને સબક શીખવાડશે. કોરોના સમયને યાદ કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં કોરોનાને કારણે ભાજપે પોતાની સરકાર બદલવી પડી હતી. ઓક્સિજન વિના લોકો મરી રહ્યા હતા. સરકાર ફેલ જતા મુખ્યમંત્રીને બદલી દેવા પડ્યા. અશોક ગેહલોતે કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો રાજસ્થાનમાં ચાલતી તમામ લોક ઉપયોગી યોજનાઓ ગુજરાતમાં પણ લાવવામાં આવશે. ભાજપની સાથે સાથે અશોક ગેહલોતે આમ આદમી પાર્ટી પર અને અરવિંદ કેજરીવાલ પર પણ પ્રહાર કર્યા હતા.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.