ગુજરાત વિધાનસભા ચૂંટણીને કોંગ્રેસે ગંભીરતાથી લીધી, પ્રચારના કર્યા શ્રીગણેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 10:24:31

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પ્રાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર જોર શોરથી કરી રહી છે. પાર્ટીના કદાવર નેતા ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીને ગંભીરતાથી લીધી છે. ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે.

 

ગેહલોતે ભાજપ સરકારને લીધી આડેહાથ   

પોતાના પ્રવાસના પ્રથમ દિવસે અશોક ગેહલોતે રાધનપુર ખાતે કોંગ્રેસ દ્વારા આયોજીત મહાસંમેલનમાં ભાગ લીધો હતો. મહાસંમેલનમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ રાધનપુરના ધારાસભ્ય ઉપસ્થિત હતા. અશોક ગેહલોતે અનેક મુદ્દાને લઈ ભાજપ સરકારને ઘેરી હતી. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે ભાજપે પોતાની સરકાર બદલવી પડી હતી. 


અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવી એ મોટી ભૂલ હતી - ગેહલોત 

અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવી એ મારી સૌથી મોટી ભૂલ હતી. રઘુભાઇ 2017થી જ ટિકિટના સાચા દાવેદાર હતા, પણ બાય ઇલેક્શનમાં તમે રઘુભાઈને જીતાડી રાધનપુરની જનતાએ ખુબજ સુંદર કામ કર્યું છે. 

Ahead of polls, Cong wants Alpesh Thakor disqualified | Deccan Herald

સરકાર ફેલ જતા મુખ્યમંત્રી બદલવા પડ્યા - ગેહલોત

વધુમાં તેમણે જણાવ્યું કે ભાજપ સરકારના શાસનમાં દેશની હાલત ખરાબ થઈ ગઈ છે. ભાજપ સરકારમાં ઘમંડ છે ત્યારે ગુજરાત ભાજપને સબક શીખવાડશે. કોરોના સમયને યાદ કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં કોરોનાને કારણે ભાજપે પોતાની સરકાર બદલવી પડી હતી. ઓક્સિજન વિના લોકો મરી રહ્યા હતા. સરકાર ફેલ જતા મુખ્યમંત્રીને બદલી દેવા પડ્યા. અશોક ગેહલોતે કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો રાજસ્થાનમાં ચાલતી તમામ લોક ઉપયોગી યોજનાઓ ગુજરાતમાં પણ લાવવામાં આવશે. ભાજપની સાથે સાથે અશોક ગેહલોતે આમ આદમી પાર્ટી પર અને અરવિંદ કેજરીવાલ પર પણ પ્રહાર કર્યા હતા.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.