ગુજરાત વિધાનસભા ચૂંટણીને કોંગ્રેસે ગંભીરતાથી લીધી, પ્રચારના કર્યા શ્રીગણેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 10:24:31

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પ્રાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર જોર શોરથી કરી રહી છે. પાર્ટીના કદાવર નેતા ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીને ગંભીરતાથી લીધી છે. ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે.

 

ગેહલોતે ભાજપ સરકારને લીધી આડેહાથ   

પોતાના પ્રવાસના પ્રથમ દિવસે અશોક ગેહલોતે રાધનપુર ખાતે કોંગ્રેસ દ્વારા આયોજીત મહાસંમેલનમાં ભાગ લીધો હતો. મહાસંમેલનમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ રાધનપુરના ધારાસભ્ય ઉપસ્થિત હતા. અશોક ગેહલોતે અનેક મુદ્દાને લઈ ભાજપ સરકારને ઘેરી હતી. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે ભાજપે પોતાની સરકાર બદલવી પડી હતી. 


અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવી એ મોટી ભૂલ હતી - ગેહલોત 

અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવી એ મારી સૌથી મોટી ભૂલ હતી. રઘુભાઇ 2017થી જ ટિકિટના સાચા દાવેદાર હતા, પણ બાય ઇલેક્શનમાં તમે રઘુભાઈને જીતાડી રાધનપુરની જનતાએ ખુબજ સુંદર કામ કર્યું છે. 

Ahead of polls, Cong wants Alpesh Thakor disqualified | Deccan Herald

સરકાર ફેલ જતા મુખ્યમંત્રી બદલવા પડ્યા - ગેહલોત

વધુમાં તેમણે જણાવ્યું કે ભાજપ સરકારના શાસનમાં દેશની હાલત ખરાબ થઈ ગઈ છે. ભાજપ સરકારમાં ઘમંડ છે ત્યારે ગુજરાત ભાજપને સબક શીખવાડશે. કોરોના સમયને યાદ કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં કોરોનાને કારણે ભાજપે પોતાની સરકાર બદલવી પડી હતી. ઓક્સિજન વિના લોકો મરી રહ્યા હતા. સરકાર ફેલ જતા મુખ્યમંત્રીને બદલી દેવા પડ્યા. અશોક ગેહલોતે કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો રાજસ્થાનમાં ચાલતી તમામ લોક ઉપયોગી યોજનાઓ ગુજરાતમાં પણ લાવવામાં આવશે. ભાજપની સાથે સાથે અશોક ગેહલોતે આમ આદમી પાર્ટી પર અને અરવિંદ કેજરીવાલ પર પણ પ્રહાર કર્યા હતા.  




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"