વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, કરાઇ એકેડેમીમાં થયેલા કૌભાંડ મામલે ચર્ચા કરવાની કરી હતી માગ, અધ્યક્ષે ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-03-01 15:03:05

ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. વિવિધ મુદ્દાઓને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. સત્ર શરૂ થયું તે પહેલા પેપર લીક મામલે કોંગ્રેસે દેખાવો કર્યો હતો. ત્યારે આજે કરાઈ એકેડેમીમાં પોલીસની ટ્રેનિંગ લઈ રહેલા બોગસ પીએસઆઈનો મુદ્દો પણ ઉછાળવામાં આવ્યો હતો. બોગસ ટ્રેનિંગ અંગે ચર્ચા કરવામાં આવે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. પ્લે કાર્ડ દર્શાવી કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. જોકે આ અંગે ચર્ચા ન કરાતા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. જે બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ તેમજ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. 

      

ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા કરાઈ હતી રજૂઆત 

મંત્રી ઋષિકેશ પટેલે દેખાવ કરી રહેલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને દરખાસ્ત કરી હતી. ઋષિકેશ પટેલની વાતનું સમર્થન કુબેરડીંડોરએ આપ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં જણાવ્યું કે ગૃહમાં ચર્ચા કરવાની બધાને છૂટ આપવામાં આવી છે. પેપર લીક મામલે સરકાર કાયદો લાવી છે. સાથી મિત્રોએ જે કરવું છે તે કરવા માટે ગૃહ નથી. સરકારની તાકાત છે કે સરકારે જે કરવું છે તે કરી શકે છે. 


વિધાનસભા બહાર હું તમામને જવાબ આપીશ- હર્ષ સંઘવી

આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કરાઈ એકેડેમીનો મામલો ગંભીર છે. વિધાનસભા બહાર હું તમામના જવાબ આપીશ. આ ગંભીર ગુન્હાની તપાસ કેટલાય દિવસથી ચાલે છે. આ ઘટના પાછળ મોટુ રેકેટ છે. જવાબ આપવા માટે અમે તૈયાર છીએ આજે જવાબ જોઈએ તો ધારાસભ્ય મારા કાર્યાલયમાં આવે. આ બાબતે રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન ન થવો જોઈએ. 


અમિત ચાવડાએ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધી પેપર લીક થાય છે. જેના માટે રાજ્ય સરકાર ગૃહમાં કાયદો લાવી. હવે એક મયુર તડવી નામનો વ્યક્તિ પરીક્ષા પાસ કર્યા વિના સીધો કરાઈ એકેડેમીમાં પીએસઆઈની તાલીમ મેળવી રહ્યો છે. 





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.