વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, કરાઇ એકેડેમીમાં થયેલા કૌભાંડ મામલે ચર્ચા કરવાની કરી હતી માગ, અધ્યક્ષે ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-03-01 15:03:05

ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. વિવિધ મુદ્દાઓને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. સત્ર શરૂ થયું તે પહેલા પેપર લીક મામલે કોંગ્રેસે દેખાવો કર્યો હતો. ત્યારે આજે કરાઈ એકેડેમીમાં પોલીસની ટ્રેનિંગ લઈ રહેલા બોગસ પીએસઆઈનો મુદ્દો પણ ઉછાળવામાં આવ્યો હતો. બોગસ ટ્રેનિંગ અંગે ચર્ચા કરવામાં આવે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. પ્લે કાર્ડ દર્શાવી કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. જોકે આ અંગે ચર્ચા ન કરાતા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. જે બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ તેમજ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. 

      

ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા કરાઈ હતી રજૂઆત 

મંત્રી ઋષિકેશ પટેલે દેખાવ કરી રહેલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને દરખાસ્ત કરી હતી. ઋષિકેશ પટેલની વાતનું સમર્થન કુબેરડીંડોરએ આપ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં જણાવ્યું કે ગૃહમાં ચર્ચા કરવાની બધાને છૂટ આપવામાં આવી છે. પેપર લીક મામલે સરકાર કાયદો લાવી છે. સાથી મિત્રોએ જે કરવું છે તે કરવા માટે ગૃહ નથી. સરકારની તાકાત છે કે સરકારે જે કરવું છે તે કરી શકે છે. 


વિધાનસભા બહાર હું તમામને જવાબ આપીશ- હર્ષ સંઘવી

આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કરાઈ એકેડેમીનો મામલો ગંભીર છે. વિધાનસભા બહાર હું તમામના જવાબ આપીશ. આ ગંભીર ગુન્હાની તપાસ કેટલાય દિવસથી ચાલે છે. આ ઘટના પાછળ મોટુ રેકેટ છે. જવાબ આપવા માટે અમે તૈયાર છીએ આજે જવાબ જોઈએ તો ધારાસભ્ય મારા કાર્યાલયમાં આવે. આ બાબતે રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન ન થવો જોઈએ. 


અમિત ચાવડાએ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધી પેપર લીક થાય છે. જેના માટે રાજ્ય સરકાર ગૃહમાં કાયદો લાવી. હવે એક મયુર તડવી નામનો વ્યક્તિ પરીક્ષા પાસ કર્યા વિના સીધો કરાઈ એકેડેમીમાં પીએસઆઈની તાલીમ મેળવી રહ્યો છે. 





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.