વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ થયા સક્રિય, અશોક ગેહલોત ગુજરાતની લેશે મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 11:24:03

વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. પ્રચાર કરી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. પ્રચાર માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પરતું કોંગ્રેસમાંથી કોઈ પણ દિગ્ગજ નેતા ગુજરાતના પ્રવાસે નથી આવ્યા. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 17 અને 18 ઓક્ટોબરના રોજ ગેહલોત ગુજરાતના પ્રવાસે છે. 

What Ashok Gehlot said amid buzz about him quitting as Rajasthan CM. Watch  | Latest News India - Hindustan Times

ગુજરાત આવી રાજસ્થાનના મુખ્યમંત્રી કરશે કોંગ્રેસનો પ્રચાર

ગુજરાતમાં પોતાની સરકાર બનાવા આમ આદમી પાર્ટી અને ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. પ્રચાર પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આપનો પ્રચાર અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી રહ્યા છે. તો ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસને જાણે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે નથી આવ્યા. નથી તો રાહુલ ગાંધી આવ્યા નથી તો પ્રિયંકા ગાંધી આવ્યા. ત્યારે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના વફાદાર ગણાતા એવા રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 17 અને 18 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવી કોંગ્રેસનો પ્રચાર કરવાના છે. 

બેઠક કરી ઘડશે રણનીતિ

17 ઓક્ટોબરના રોજ ગેહલોત રાધનપુર ખાતે સાંજે સભા સંબોધવાના છે. ત્યારબાદ 18 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે નેતાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠકો કરવાના છે. બેઠકમાં રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે તેવી ચર્ચાઓ હાલ થઈ રહી છે. બેઠક બાદ થરાદ ખાતે રોડ શો કરી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરશે અને જનસભામાં કોંગ્રેસનો પ્રચાર કરશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.