વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ થયા સક્રિય, અશોક ગેહલોત ગુજરાતની લેશે મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 11:24:03

વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. પ્રચાર કરી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. પ્રચાર માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પરતું કોંગ્રેસમાંથી કોઈ પણ દિગ્ગજ નેતા ગુજરાતના પ્રવાસે નથી આવ્યા. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 17 અને 18 ઓક્ટોબરના રોજ ગેહલોત ગુજરાતના પ્રવાસે છે. 

What Ashok Gehlot said amid buzz about him quitting as Rajasthan CM. Watch  | Latest News India - Hindustan Times

ગુજરાત આવી રાજસ્થાનના મુખ્યમંત્રી કરશે કોંગ્રેસનો પ્રચાર

ગુજરાતમાં પોતાની સરકાર બનાવા આમ આદમી પાર્ટી અને ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. પ્રચાર પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આપનો પ્રચાર અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી રહ્યા છે. તો ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસને જાણે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે નથી આવ્યા. નથી તો રાહુલ ગાંધી આવ્યા નથી તો પ્રિયંકા ગાંધી આવ્યા. ત્યારે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના વફાદાર ગણાતા એવા રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 17 અને 18 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવી કોંગ્રેસનો પ્રચાર કરવાના છે. 

બેઠક કરી ઘડશે રણનીતિ

17 ઓક્ટોબરના રોજ ગેહલોત રાધનપુર ખાતે સાંજે સભા સંબોધવાના છે. ત્યારબાદ 18 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે નેતાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠકો કરવાના છે. બેઠકમાં રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે તેવી ચર્ચાઓ હાલ થઈ રહી છે. બેઠક બાદ થરાદ ખાતે રોડ શો કરી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરશે અને જનસભામાં કોંગ્રેસનો પ્રચાર કરશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.