વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ થયા સક્રિય, અશોક ગેહલોત ગુજરાતની લેશે મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 11:24:03

વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. પ્રચાર કરી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. પ્રચાર માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પરતું કોંગ્રેસમાંથી કોઈ પણ દિગ્ગજ નેતા ગુજરાતના પ્રવાસે નથી આવ્યા. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 17 અને 18 ઓક્ટોબરના રોજ ગેહલોત ગુજરાતના પ્રવાસે છે. 

What Ashok Gehlot said amid buzz about him quitting as Rajasthan CM. Watch  | Latest News India - Hindustan Times

ગુજરાત આવી રાજસ્થાનના મુખ્યમંત્રી કરશે કોંગ્રેસનો પ્રચાર

ગુજરાતમાં પોતાની સરકાર બનાવા આમ આદમી પાર્ટી અને ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. પ્રચાર પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આપનો પ્રચાર અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી રહ્યા છે. તો ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસને જાણે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે નથી આવ્યા. નથી તો રાહુલ ગાંધી આવ્યા નથી તો પ્રિયંકા ગાંધી આવ્યા. ત્યારે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના વફાદાર ગણાતા એવા રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 17 અને 18 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવી કોંગ્રેસનો પ્રચાર કરવાના છે. 

બેઠક કરી ઘડશે રણનીતિ

17 ઓક્ટોબરના રોજ ગેહલોત રાધનપુર ખાતે સાંજે સભા સંબોધવાના છે. ત્યારબાદ 18 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે નેતાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠકો કરવાના છે. બેઠકમાં રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે તેવી ચર્ચાઓ હાલ થઈ રહી છે. બેઠક બાદ થરાદ ખાતે રોડ શો કરી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરશે અને જનસભામાં કોંગ્રેસનો પ્રચાર કરશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .