કોંગ્રેસ મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને પાઠવશે શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2022-10-31 13:31:49

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે અનેક રેલીઓ કાઢતી હોય છે. પરંતુ પ્રચારના સમય દરમિયાન મોરબીમાં દુર્ઘટના સર્જાઈ છે. જેને કારણે પાર્ટીઓએ પોતાના કાર્યક્રમોને રદ્દ કરી દીધા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ગુજરાતના તમામ જીલ્લા મથકેથી કેન્ડલ માર્ચ નીકાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 
કેન્ડલ માર્ચ કરી મૃતકોને પાઠવશે શ્રદ્ધાંજલિ

મોરબી ખાતે બનેલી દુર્ઘટનાને કારણે આખું ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. આ ઘટનાએ દરેકને કંપાવી નાખ્યા છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે ત્યારે મોરબી ઝુલતા પુલ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રાને પણ મોકૂફ રાખી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.