કોંગ્રેસ મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને પાઠવશે શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2022-10-31 13:31:49

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે અનેક રેલીઓ કાઢતી હોય છે. પરંતુ પ્રચારના સમય દરમિયાન મોરબીમાં દુર્ઘટના સર્જાઈ છે. જેને કારણે પાર્ટીઓએ પોતાના કાર્યક્રમોને રદ્દ કરી દીધા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ગુજરાતના તમામ જીલ્લા મથકેથી કેન્ડલ માર્ચ નીકાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 
કેન્ડલ માર્ચ કરી મૃતકોને પાઠવશે શ્રદ્ધાંજલિ

મોરબી ખાતે બનેલી દુર્ઘટનાને કારણે આખું ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. આ ઘટનાએ દરેકને કંપાવી નાખ્યા છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે ત્યારે મોરબી ઝુલતા પુલ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રાને પણ મોકૂફ રાખી છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .