રાહુલ ગાંધીને મળેલી સજાને લઈ કોંગ્રેસ કરશે વિરોધ! મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળી હતી બેઠક


  • Published By :
  • Published Date : 2023-03-24 10:07:27

મોદી અટકને લઈ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સુરત કોર્ટે ચૂકાદો આપ્યો હતો. જેમાં રાહુલ ગાંધીને દોષિત ગણાવ્યા હતા. બે વર્ષ સજાની જોગવાઈ કરવામાં આવી હતી. કોર્ટે સજા સામે અપીલ કરવા માટે રાહુલ ગાંધીને શરતી જામીન આપ્યા છે. કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસના  નેતાઓ એક્ટિવ મોડમાં આવી ગયા છે. કોંગ્રેસના નેતાઓએ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. દિલ્હીના કોંગ્રેસ મુખ્ય કાર્યાલય ખાતે સાંજના સમયે મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે જેમાં આ અંગે આગળ કેવી રીતે વધવું તે માટે રણનીતિ ઘડવામાં આવશે.   


સુરત કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષી ગણાવ્યા 

ગઈ કાલે સુરતની કોર્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ પોતાનો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે ઉપરાંત બે વર્ષની સજા પણ સંભળાવી છે. જે બાદ કોંગ્રેસના નેતાઓ લડી લેવાના મૂડમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીના સપોર્ટમાં કોંગ્રેસના નેતાઓ આવી ગયા હતા. આ મુદ્દે આગળ કેવી રીતે વધવું તે માટે મલ્લિકાર્જુન ખડગેના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવામાં આવી હતી. 



સોમવારે અનેક રાજ્યોમાં કોંગ્રેસ કરશે પ્રદર્શન 

ગુરૂવારે મલ્લિકાર્જુન ખડગેના ઘરે કોંગ્રેસના નેતાઓની બેઠક બોલાવામાં આવી હતી જેમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે શુક્રવારે વિજય ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત સોમવારે દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં આ વાતને લઈ વિરોધ કરવામાં આવશે. 


રાષ્ટ્રપતિ સાથે પણ કરી શકે છે મુલાકાત 

રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાને કોંગ્રેસ રાજનૈતિક મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે. આ મુદ્દાને લઈ આવનાર સમયમાં સમગ્ર દેશમાં પ્રદર્શન કરવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીને મળેલી સજાને ધ્યાનમાં રાખી કોંગ્રેસના નેતાઓએ મહત્વપૂર્ણ બેઠકો પણ યોજી હતી ઉપરાંત મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરવાના છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.