રાહુલ ગાંધીને મળેલી સજાને લઈ કોંગ્રેસ કરશે વિરોધ! મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળી હતી બેઠક


  • Published By :
  • Published Date : 2023-03-24 10:07:27

મોદી અટકને લઈ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સુરત કોર્ટે ચૂકાદો આપ્યો હતો. જેમાં રાહુલ ગાંધીને દોષિત ગણાવ્યા હતા. બે વર્ષ સજાની જોગવાઈ કરવામાં આવી હતી. કોર્ટે સજા સામે અપીલ કરવા માટે રાહુલ ગાંધીને શરતી જામીન આપ્યા છે. કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસના  નેતાઓ એક્ટિવ મોડમાં આવી ગયા છે. કોંગ્રેસના નેતાઓએ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. દિલ્હીના કોંગ્રેસ મુખ્ય કાર્યાલય ખાતે સાંજના સમયે મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે જેમાં આ અંગે આગળ કેવી રીતે વધવું તે માટે રણનીતિ ઘડવામાં આવશે.   


સુરત કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષી ગણાવ્યા 

ગઈ કાલે સુરતની કોર્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ પોતાનો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે ઉપરાંત બે વર્ષની સજા પણ સંભળાવી છે. જે બાદ કોંગ્રેસના નેતાઓ લડી લેવાના મૂડમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીના સપોર્ટમાં કોંગ્રેસના નેતાઓ આવી ગયા હતા. આ મુદ્દે આગળ કેવી રીતે વધવું તે માટે મલ્લિકાર્જુન ખડગેના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવામાં આવી હતી. 



સોમવારે અનેક રાજ્યોમાં કોંગ્રેસ કરશે પ્રદર્શન 

ગુરૂવારે મલ્લિકાર્જુન ખડગેના ઘરે કોંગ્રેસના નેતાઓની બેઠક બોલાવામાં આવી હતી જેમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે શુક્રવારે વિજય ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત સોમવારે દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં આ વાતને લઈ વિરોધ કરવામાં આવશે. 


રાષ્ટ્રપતિ સાથે પણ કરી શકે છે મુલાકાત 

રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાને કોંગ્રેસ રાજનૈતિક મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે. આ મુદ્દાને લઈ આવનાર સમયમાં સમગ્ર દેશમાં પ્રદર્શન કરવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીને મળેલી સજાને ધ્યાનમાં રાખી કોંગ્રેસના નેતાઓએ મહત્વપૂર્ણ બેઠકો પણ યોજી હતી ઉપરાંત મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરવાના છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.