રાહુલ ગાંધીને મળેલી સજાને લઈ કોંગ્રેસ કરશે વિરોધ! મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળી હતી બેઠક


  • Published By :
  • Published Date : 2023-03-24 10:07:27

મોદી અટકને લઈ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સુરત કોર્ટે ચૂકાદો આપ્યો હતો. જેમાં રાહુલ ગાંધીને દોષિત ગણાવ્યા હતા. બે વર્ષ સજાની જોગવાઈ કરવામાં આવી હતી. કોર્ટે સજા સામે અપીલ કરવા માટે રાહુલ ગાંધીને શરતી જામીન આપ્યા છે. કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસના  નેતાઓ એક્ટિવ મોડમાં આવી ગયા છે. કોંગ્રેસના નેતાઓએ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. દિલ્હીના કોંગ્રેસ મુખ્ય કાર્યાલય ખાતે સાંજના સમયે મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે જેમાં આ અંગે આગળ કેવી રીતે વધવું તે માટે રણનીતિ ઘડવામાં આવશે.   


સુરત કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષી ગણાવ્યા 

ગઈ કાલે સુરતની કોર્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ પોતાનો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે ઉપરાંત બે વર્ષની સજા પણ સંભળાવી છે. જે બાદ કોંગ્રેસના નેતાઓ લડી લેવાના મૂડમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીના સપોર્ટમાં કોંગ્રેસના નેતાઓ આવી ગયા હતા. આ મુદ્દે આગળ કેવી રીતે વધવું તે માટે મલ્લિકાર્જુન ખડગેના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવામાં આવી હતી. 



સોમવારે અનેક રાજ્યોમાં કોંગ્રેસ કરશે પ્રદર્શન 

ગુરૂવારે મલ્લિકાર્જુન ખડગેના ઘરે કોંગ્રેસના નેતાઓની બેઠક બોલાવામાં આવી હતી જેમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે શુક્રવારે વિજય ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત સોમવારે દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં આ વાતને લઈ વિરોધ કરવામાં આવશે. 


રાષ્ટ્રપતિ સાથે પણ કરી શકે છે મુલાકાત 

રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાને કોંગ્રેસ રાજનૈતિક મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે. આ મુદ્દાને લઈ આવનાર સમયમાં સમગ્ર દેશમાં પ્રદર્શન કરવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીને મળેલી સજાને ધ્યાનમાં રાખી કોંગ્રેસના નેતાઓએ મહત્વપૂર્ણ બેઠકો પણ યોજી હતી ઉપરાંત મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરવાના છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.