લોકો સુધી પહોંચવા 26 જાન્યુઆરીથી કોંગ્રેસ નવા અભિયાનની કરશે શરૂઆત


  • Published By :
  • Published Date : 2022-12-04 15:56:43

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે ભારત જોડો યાત્રા સમાપ્ત થાય તે બાદ આગામી સમયમાં કોંગ્રેસ હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવાની છે. આ અભિયાનની શરૂઆત 26 જાન્યુઆરીથી કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત બ્લોક, પંચાયત અને બૂથ પર જઈ લોકો સાથે સંપર્ક બાંધવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. અભિયાનમાં રાહુલ ગાંધીનો એક પત્ર પણ આપવામાં આવશે. 

હાથ સે હાથ જોડો અભિયાનની કરાશે શરૂઆત

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા હાલ રાજસ્તાન નજીક પહોંચી છે. ત્યારે લોકો સુધી પહોંચવા કોંગ્રેસ આવનાર સમયમાં નવું અભિયાન શરૂ કરવાની છે. ભારત જોડો યાત્રાની સમાપ્તિ બાદ કોંગ્રેસ હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવાની છે. દેશભરમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાનથી જનસંપર્ક વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ અભિયાનની માહિતી આપતા કોંગ્રેસે કહ્યું કે 2 મહિના સુધી ચાલનાર આ અભિયાનમાં રાહુલ ગાંધીનો એક પત્ર પણ આપવામાં આવશે અને નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ આરોપ પત્ર પણ આપવામાં આવશે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.