લોકો સુધી પહોંચવા 26 જાન્યુઆરીથી કોંગ્રેસ નવા અભિયાનની કરશે શરૂઆત


  • Published By :
  • Published Date : 2022-12-04 15:56:43

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે ભારત જોડો યાત્રા સમાપ્ત થાય તે બાદ આગામી સમયમાં કોંગ્રેસ હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવાની છે. આ અભિયાનની શરૂઆત 26 જાન્યુઆરીથી કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત બ્લોક, પંચાયત અને બૂથ પર જઈ લોકો સાથે સંપર્ક બાંધવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. અભિયાનમાં રાહુલ ગાંધીનો એક પત્ર પણ આપવામાં આવશે. 

હાથ સે હાથ જોડો અભિયાનની કરાશે શરૂઆત

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા હાલ રાજસ્તાન નજીક પહોંચી છે. ત્યારે લોકો સુધી પહોંચવા કોંગ્રેસ આવનાર સમયમાં નવું અભિયાન શરૂ કરવાની છે. ભારત જોડો યાત્રાની સમાપ્તિ બાદ કોંગ્રેસ હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવાની છે. દેશભરમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાનથી જનસંપર્ક વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ અભિયાનની માહિતી આપતા કોંગ્રેસે કહ્યું કે 2 મહિના સુધી ચાલનાર આ અભિયાનમાં રાહુલ ગાંધીનો એક પત્ર પણ આપવામાં આવશે અને નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ આરોપ પત્ર પણ આપવામાં આવશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.