મતદારો સુધી પહોંચવા આવનાર સમયમાં કોંગ્રેસ નવા અભિયાનની કરશે શરૂઆત


  • Published By :
  • Published Date : 2022-12-22 10:54:36

એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી દેશભરમાં કોંગ્રેસને બેઠું કરવાની કોશિશ કરી રહ્યા છે. આવનાર સમયમાં કોંગ્રેસ 'હાથ સે હાથ જોડો અભિયાન' ચલાવાની છે. આ અભિયાન અંદાજીત ત્રણ મહિના સુધી ચાલવાનું છે જેમાં દરેક તાલુકા અને પંચાયતની બેઠક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાન 15 જાન્યુઆરી બાદ શરૂ કરવામાં આવશે.


આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસે શરૂ કરી તૈયારી 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો પર જીત મેળવી સંતોષ માનવો પડ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ કોંગ્રેસ નવેસરથી પાર્ટીને બેઠી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જે અંતર્ગત હાથ સે હાથ જોડો અભિયાન ચલાવવામાં આવશે.


2023માં શરૂ કરાશે હાથ સે હાથ અભિયાન 

આ યાત્રાને લઈ રાજીવ ભવન ખાતે બેઠક મળી હતી. રઘુ શર્માએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા કાશ્મીર પહોંચવાની છે. આ યાત્રાને 100 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આપણા રાષ્ટ્રને વિભાજીત કરી રહેલા આર્થિક, સામાજીત અને રાજકીય મુદ્દાઓ સામે ઉઠાવી રહ્યા છીએ. ફેબ્રુઆરી 2023માં હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવામાં આવશે જેમાં ગુજરાતના દરેક ગ્રામ પંચાયત અને મતાદન મથકો પર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.