મતદારો સુધી પહોંચવા આવનાર સમયમાં કોંગ્રેસ નવા અભિયાનની કરશે શરૂઆત


  • Published By :
  • Published Date : 2022-12-22 10:54:36

એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી દેશભરમાં કોંગ્રેસને બેઠું કરવાની કોશિશ કરી રહ્યા છે. આવનાર સમયમાં કોંગ્રેસ 'હાથ સે હાથ જોડો અભિયાન' ચલાવાની છે. આ અભિયાન અંદાજીત ત્રણ મહિના સુધી ચાલવાનું છે જેમાં દરેક તાલુકા અને પંચાયતની બેઠક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાન 15 જાન્યુઆરી બાદ શરૂ કરવામાં આવશે.


આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસે શરૂ કરી તૈયારી 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો પર જીત મેળવી સંતોષ માનવો પડ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ કોંગ્રેસ નવેસરથી પાર્ટીને બેઠી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જે અંતર્ગત હાથ સે હાથ જોડો અભિયાન ચલાવવામાં આવશે.


2023માં શરૂ કરાશે હાથ સે હાથ અભિયાન 

આ યાત્રાને લઈ રાજીવ ભવન ખાતે બેઠક મળી હતી. રઘુ શર્માએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા કાશ્મીર પહોંચવાની છે. આ યાત્રાને 100 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આપણા રાષ્ટ્રને વિભાજીત કરી રહેલા આર્થિક, સામાજીત અને રાજકીય મુદ્દાઓ સામે ઉઠાવી રહ્યા છીએ. ફેબ્રુઆરી 2023માં હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવામાં આવશે જેમાં ગુજરાતના દરેક ગ્રામ પંચાયત અને મતાદન મથકો પર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.