મતદારો સુધી પહોંચવા આવનાર સમયમાં કોંગ્રેસ નવા અભિયાનની કરશે શરૂઆત


  • Published By :
  • Published Date : 2022-12-22 10:54:36

એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી દેશભરમાં કોંગ્રેસને બેઠું કરવાની કોશિશ કરી રહ્યા છે. આવનાર સમયમાં કોંગ્રેસ 'હાથ સે હાથ જોડો અભિયાન' ચલાવાની છે. આ અભિયાન અંદાજીત ત્રણ મહિના સુધી ચાલવાનું છે જેમાં દરેક તાલુકા અને પંચાયતની બેઠક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાન 15 જાન્યુઆરી બાદ શરૂ કરવામાં આવશે.


આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસે શરૂ કરી તૈયારી 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો પર જીત મેળવી સંતોષ માનવો પડ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ કોંગ્રેસ નવેસરથી પાર્ટીને બેઠી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જે અંતર્ગત હાથ સે હાથ જોડો અભિયાન ચલાવવામાં આવશે.


2023માં શરૂ કરાશે હાથ સે હાથ અભિયાન 

આ યાત્રાને લઈ રાજીવ ભવન ખાતે બેઠક મળી હતી. રઘુ શર્માએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા કાશ્મીર પહોંચવાની છે. આ યાત્રાને 100 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આપણા રાષ્ટ્રને વિભાજીત કરી રહેલા આર્થિક, સામાજીત અને રાજકીય મુદ્દાઓ સામે ઉઠાવી રહ્યા છીએ. ફેબ્રુઆરી 2023માં હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવામાં આવશે જેમાં ગુજરાતના દરેક ગ્રામ પંચાયત અને મતાદન મથકો પર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.