મતદારો સુધી પહોંચવા આવનાર સમયમાં કોંગ્રેસ નવા અભિયાનની કરશે શરૂઆત


  • Published By :
  • Published Date : 2022-12-22 10:54:36

એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી દેશભરમાં કોંગ્રેસને બેઠું કરવાની કોશિશ કરી રહ્યા છે. આવનાર સમયમાં કોંગ્રેસ 'હાથ સે હાથ જોડો અભિયાન' ચલાવાની છે. આ અભિયાન અંદાજીત ત્રણ મહિના સુધી ચાલવાનું છે જેમાં દરેક તાલુકા અને પંચાયતની બેઠક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાન 15 જાન્યુઆરી બાદ શરૂ કરવામાં આવશે.


આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસે શરૂ કરી તૈયારી 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો પર જીત મેળવી સંતોષ માનવો પડ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ કોંગ્રેસ નવેસરથી પાર્ટીને બેઠી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જે અંતર્ગત હાથ સે હાથ જોડો અભિયાન ચલાવવામાં આવશે.


2023માં શરૂ કરાશે હાથ સે હાથ અભિયાન 

આ યાત્રાને લઈ રાજીવ ભવન ખાતે બેઠક મળી હતી. રઘુ શર્માએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા કાશ્મીર પહોંચવાની છે. આ યાત્રાને 100 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આપણા રાષ્ટ્રને વિભાજીત કરી રહેલા આર્થિક, સામાજીત અને રાજકીય મુદ્દાઓ સામે ઉઠાવી રહ્યા છીએ. ફેબ્રુઆરી 2023માં હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવામાં આવશે જેમાં ગુજરાતના દરેક ગ્રામ પંચાયત અને મતાદન મથકો પર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.