કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાનો કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-14 15:28:28

અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર વટવા વિધાનસભા ક્ષેત્ર અને જમાલપુર ખાડિયા વિધાનસભા ક્ષેત્રના લોકોએ વિવિધ માગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો. 


ઈમરાન ખેડાવાલા સામે NSUIનો વિરોધ

અમદાવાદના એનએસયુઆઈના કાર્યકર્તાઓએ જમાલપુર ખાડિયા વિસ્તારમાં ઈમરાન ખેડાવાલાને કોંગ્રેસે રીપીટ કરતા વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓની માગણી છે કે ઈમરાન ખેડાવાલા ભલે સ્થાનિક હોય પણ તેમના સિવાય અન્ય વ્યક્તિને મોકો આપવામાં આવે. ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપવા બદલ એનએસયુઆઈએ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે ભરતસિંહ સોલંકીએ પાંચ કરોડમાં ટિકિટ વેંચી છે.  પ્રદેશ કાર્યાલય પર પહોંચી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ તોડફોડ કરીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના નામના નારા લગાવ્યા હતા અને કોંગ્રેસ કાર્યાલયના ગેટ પર સ્પ્રે છાંટીને લખાણો કર્યા હતા. કાર્યકર્તાઓની માગણી હતી કે જમાલપુર ખાડિયા પર ઈમરાન ખેડાવાલાની જગ્યાએ અન્ય કોઈ નેતાને ઉમેદવાર બનાવવામાં આવે.  


વટવાના સ્થાનિકોનો વિરોધ 

વટવા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. વટવા બેઠક પર બળવંતસિંહ ગઢવીની જગ્યાએ સ્થાનિક વ્યક્તિને ટિકિટ અપાય તેવી માગ સાથે વટવાના સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. વટવા વિધાનસભા વિસ્તારના ચારસો જેટલા કાર્યકર્તાઓએ પોતાના રાજીનામા સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા હતા. તેમણે માગણી કરી હતી કે બળવંતસિંહ ગઢવીની જગ્યાએ તેમની પાર્ટી કોઈ અન્ય સ્થાનિક વ્યક્તિને ઉમેદવાર બનાવે. બળવંતસિંહ ગઢવી બહારના વ્યક્તિ હોવાના કારણે સ્થાનિક લોકોએ રાજીનામા સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.