કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાનો કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-14 15:28:28

અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર વટવા વિધાનસભા ક્ષેત્ર અને જમાલપુર ખાડિયા વિધાનસભા ક્ષેત્રના લોકોએ વિવિધ માગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો. 


ઈમરાન ખેડાવાલા સામે NSUIનો વિરોધ

અમદાવાદના એનએસયુઆઈના કાર્યકર્તાઓએ જમાલપુર ખાડિયા વિસ્તારમાં ઈમરાન ખેડાવાલાને કોંગ્રેસે રીપીટ કરતા વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓની માગણી છે કે ઈમરાન ખેડાવાલા ભલે સ્થાનિક હોય પણ તેમના સિવાય અન્ય વ્યક્તિને મોકો આપવામાં આવે. ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપવા બદલ એનએસયુઆઈએ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે ભરતસિંહ સોલંકીએ પાંચ કરોડમાં ટિકિટ વેંચી છે.  પ્રદેશ કાર્યાલય પર પહોંચી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ તોડફોડ કરીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના નામના નારા લગાવ્યા હતા અને કોંગ્રેસ કાર્યાલયના ગેટ પર સ્પ્રે છાંટીને લખાણો કર્યા હતા. કાર્યકર્તાઓની માગણી હતી કે જમાલપુર ખાડિયા પર ઈમરાન ખેડાવાલાની જગ્યાએ અન્ય કોઈ નેતાને ઉમેદવાર બનાવવામાં આવે.  


વટવાના સ્થાનિકોનો વિરોધ 

વટવા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. વટવા બેઠક પર બળવંતસિંહ ગઢવીની જગ્યાએ સ્થાનિક વ્યક્તિને ટિકિટ અપાય તેવી માગ સાથે વટવાના સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. વટવા વિધાનસભા વિસ્તારના ચારસો જેટલા કાર્યકર્તાઓએ પોતાના રાજીનામા સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા હતા. તેમણે માગણી કરી હતી કે બળવંતસિંહ ગઢવીની જગ્યાએ તેમની પાર્ટી કોઈ અન્ય સ્થાનિક વ્યક્તિને ઉમેદવાર બનાવે. બળવંતસિંહ ગઢવી બહારના વ્યક્તિ હોવાના કારણે સ્થાનિક લોકોએ રાજીનામા સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.