બળાત્કારના ખોટા કેસમાં નિવૃત્ત અધિકારીને ફસાવવા રચાયું કાવતરૂ, પાંચ લોકોની કરાઈ ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-02-13 14:35:18

ગુજરાતમાં પૂર્વ આઈપીએસ અને નિવૃત્ત ડીજીપી કક્ષાના અધિકારીને ખોટી રીતે ફસાવવા તેમજ બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર એક બનાવટી એફિડેવિટ વાયરલ થઈ હતી જેને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળખળાટ વ્યાપી ઉઠ્યો હતો. આ સમગ્ર મામલે ગૃહ વિભાગની સૂચના બાદ એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કાર્યવાહીના ભાગરૂપે ભાજપના નેતા, બે પત્રકાર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.  


સોશિયલ મીડિયા પર બનાવટી એફિડેવિટ થઈ વાયરલ 

ખોટા બળાત્કારના કેસમાં બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત ડીજીપીને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ કરાઈ હતી. જાતિય શોષણના કેસમાં ખોટી રીતે ફસાવવા અને તેમને બદનામ કરવા એક બનાવટી એફિડેવિટ બનાવામાં આવી હતી. આ એફિડેવિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એટીએસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી. ખોટી રીતે ફસાવવા મામલે 5ની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ભાજપના નેતા, 2 પત્રકાર સહિત 5 લોકોનો સમાવેશ થાય છે. 


પાંચ લોકો સામે કરાઈ કાર્યવાહી 

મળતી માહિતી અનુસાર ભાજપના નેતાએ ગાંધીનગરના પત્રકારો સાથે મળીને આખું ષડયંત્ર રચ્યું હતું. મહિલા પર દબાણ કરીને દુષ્કર્મનું સોગંદનામું કરી અધિકારીને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પત્રકારોએ આ માટે 5 લાખ રુપિયા લીધા હતા. જો કે આ મામલામાં 8 કરોડની ખંડણી માગવામાં આવી હતી. જેમના નામ આશુતોષ અને કાર્તિક જાની હોવાનું સામે આવ્યું છે. 


દુષ્કર્મનું ખોટું સોગંદનામું બનાવી પૈસા પડાવવાની હતી ચાલ 

આ સિવાય ભાજપ ઓબીસી મોરચાના સ્થાનિક નેતા કાવતરાનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. મહિલા સાથે દુષ્કર્મનું ખોટું સોગંદનામું બનાવીને પૈસા પડાવવાની યોજના બનાવવામાં આવી હતી. એફિડેવિટ વાયરલ કરવા માટે અને ન્યુઝપેપરમાં છપાવવા માટે પૈસા લીધા હતા. જે લોકોની ધરપકડ કરવામાં આવી તેમાં જી.કે પ્રજાપતિ, આશુતોષ, કાર્તિક જાની સહિત પાંચ લોકો સામે પગલાં લીધા છે.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.