બળાત્કારના ખોટા કેસમાં નિવૃત્ત અધિકારીને ફસાવવા રચાયું કાવતરૂ, પાંચ લોકોની કરાઈ ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-02-13 14:35:18

ગુજરાતમાં પૂર્વ આઈપીએસ અને નિવૃત્ત ડીજીપી કક્ષાના અધિકારીને ખોટી રીતે ફસાવવા તેમજ બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર એક બનાવટી એફિડેવિટ વાયરલ થઈ હતી જેને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળખળાટ વ્યાપી ઉઠ્યો હતો. આ સમગ્ર મામલે ગૃહ વિભાગની સૂચના બાદ એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કાર્યવાહીના ભાગરૂપે ભાજપના નેતા, બે પત્રકાર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.  


સોશિયલ મીડિયા પર બનાવટી એફિડેવિટ થઈ વાયરલ 

ખોટા બળાત્કારના કેસમાં બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત ડીજીપીને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ કરાઈ હતી. જાતિય શોષણના કેસમાં ખોટી રીતે ફસાવવા અને તેમને બદનામ કરવા એક બનાવટી એફિડેવિટ બનાવામાં આવી હતી. આ એફિડેવિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એટીએસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી. ખોટી રીતે ફસાવવા મામલે 5ની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ભાજપના નેતા, 2 પત્રકાર સહિત 5 લોકોનો સમાવેશ થાય છે. 


પાંચ લોકો સામે કરાઈ કાર્યવાહી 

મળતી માહિતી અનુસાર ભાજપના નેતાએ ગાંધીનગરના પત્રકારો સાથે મળીને આખું ષડયંત્ર રચ્યું હતું. મહિલા પર દબાણ કરીને દુષ્કર્મનું સોગંદનામું કરી અધિકારીને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પત્રકારોએ આ માટે 5 લાખ રુપિયા લીધા હતા. જો કે આ મામલામાં 8 કરોડની ખંડણી માગવામાં આવી હતી. જેમના નામ આશુતોષ અને કાર્તિક જાની હોવાનું સામે આવ્યું છે. 


દુષ્કર્મનું ખોટું સોગંદનામું બનાવી પૈસા પડાવવાની હતી ચાલ 

આ સિવાય ભાજપ ઓબીસી મોરચાના સ્થાનિક નેતા કાવતરાનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. મહિલા સાથે દુષ્કર્મનું ખોટું સોગંદનામું બનાવીને પૈસા પડાવવાની યોજના બનાવવામાં આવી હતી. એફિડેવિટ વાયરલ કરવા માટે અને ન્યુઝપેપરમાં છપાવવા માટે પૈસા લીધા હતા. જે લોકોની ધરપકડ કરવામાં આવી તેમાં જી.કે પ્રજાપતિ, આશુતોષ, કાર્તિક જાની સહિત પાંચ લોકો સામે પગલાં લીધા છે.      




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .