દેશમાં સતત વધતા કોરોના કેસે વધારી ચિંતા, જાણો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કેટલા લોકો થયા સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-23 14:41:56

કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1300 જેટલા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે ત્રણ લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 7605 પર પહોંચી ગયો છે.  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

ધીમે ધીમે કોરોના ફરી દેશમાં પગ પેસારો કરી રહ્યો છે. એક સમય આવ્યો હતો જ્યારે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓછા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હતા. ગઈકાલે કોરોનાના 1100 જેટલા કેસ નોંધાયા હતા જ્યારે આજે 1300 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. 7605 એક્ટિવ કેસ હાલ દેશમાં છે. કોરોના સંક્રમણને કારણે ત્રણ લોકોના મોત થઈ ગયા છે. કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે લોકોના મોત થયા છે. કોરોનાને કારણે હજી સુધી પાંચ લાખ 30 હજાર 800 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 


પીએમએ બોલાવી હતી બેઠક     

મહત્વનું છે કે દેશમાં વધતા કોરોનાના કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થયું છે. આ મામલે વડાપ્રધાન મોદીએ બુધવારે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. મિટિંગમાં દેશમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધતા કેસને લઈ કેવી રીતે તૈયારીઓ શરૂ કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.