દેશમાં સતત વધતા કોરોના કેસે વધારી ચિંતા, જાણો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કેટલા લોકો થયા સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-23 14:41:56

કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1300 જેટલા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે ત્રણ લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 7605 પર પહોંચી ગયો છે.  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

ધીમે ધીમે કોરોના ફરી દેશમાં પગ પેસારો કરી રહ્યો છે. એક સમય આવ્યો હતો જ્યારે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓછા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હતા. ગઈકાલે કોરોનાના 1100 જેટલા કેસ નોંધાયા હતા જ્યારે આજે 1300 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. 7605 એક્ટિવ કેસ હાલ દેશમાં છે. કોરોના સંક્રમણને કારણે ત્રણ લોકોના મોત થઈ ગયા છે. કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે લોકોના મોત થયા છે. કોરોનાને કારણે હજી સુધી પાંચ લાખ 30 હજાર 800 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 


પીએમએ બોલાવી હતી બેઠક     

મહત્વનું છે કે દેશમાં વધતા કોરોનાના કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થયું છે. આ મામલે વડાપ્રધાન મોદીએ બુધવારે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. મિટિંગમાં દેશમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધતા કેસને લઈ કેવી રીતે તૈયારીઓ શરૂ કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.