દેશમાં સતત વધતા કોરોના કેસે વધારી ચિંતા, જાણો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કેટલા લોકો થયા સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-23 14:41:56

કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1300 જેટલા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે ત્રણ લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 7605 પર પહોંચી ગયો છે.  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

ધીમે ધીમે કોરોના ફરી દેશમાં પગ પેસારો કરી રહ્યો છે. એક સમય આવ્યો હતો જ્યારે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓછા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હતા. ગઈકાલે કોરોનાના 1100 જેટલા કેસ નોંધાયા હતા જ્યારે આજે 1300 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. 7605 એક્ટિવ કેસ હાલ દેશમાં છે. કોરોના સંક્રમણને કારણે ત્રણ લોકોના મોત થઈ ગયા છે. કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે લોકોના મોત થયા છે. કોરોનાને કારણે હજી સુધી પાંચ લાખ 30 હજાર 800 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 


પીએમએ બોલાવી હતી બેઠક     

મહત્વનું છે કે દેશમાં વધતા કોરોનાના કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થયું છે. આ મામલે વડાપ્રધાન મોદીએ બુધવારે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. મિટિંગમાં દેશમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધતા કેસને લઈ કેવી રીતે તૈયારીઓ શરૂ કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.