દેશમાં સતત વધતા કોરોના કેસે વધારી ચિંતા, જાણો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કેટલા લોકો થયા સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-23 14:41:56

કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1300 જેટલા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે ત્રણ લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 7605 પર પહોંચી ગયો છે.  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

ધીમે ધીમે કોરોના ફરી દેશમાં પગ પેસારો કરી રહ્યો છે. એક સમય આવ્યો હતો જ્યારે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓછા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હતા. ગઈકાલે કોરોનાના 1100 જેટલા કેસ નોંધાયા હતા જ્યારે આજે 1300 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. 7605 એક્ટિવ કેસ હાલ દેશમાં છે. કોરોના સંક્રમણને કારણે ત્રણ લોકોના મોત થઈ ગયા છે. કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે લોકોના મોત થયા છે. કોરોનાને કારણે હજી સુધી પાંચ લાખ 30 હજાર 800 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 


પીએમએ બોલાવી હતી બેઠક     

મહત્વનું છે કે દેશમાં વધતા કોરોનાના કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થયું છે. આ મામલે વડાપ્રધાન મોદીએ બુધવારે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. મિટિંગમાં દેશમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધતા કેસને લઈ કેવી રીતે તૈયારીઓ શરૂ કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.