BJPનું 100 ટકા મતદાન કરવાનું છે, પાકિસ્તાનથી મતદાર લાવોઃ કેશાજી ચૌહાણ


  • Published By :
  • Published Date : 2022-11-10 20:25:44

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જંગ હવે ખરાખરીની જામી છે. પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેટલા લોકોના નામ જાહેર થયા છે તેઓેએ લડવાની કામગીરીની શરૂઆત કરી દીધી છે. તેની વચ્ચે ભાજપના દિયોદર વિધાનસભા વિસ્તારના ઉમેદવાર કેશાજી ચૌહાણે કાર્યકર્તાઓને સંબોધતા નિવેદન આપ્યું હતું. 

જ્યાંથી લાવવા હોય ત્યાંથી મતદારો લાવોઃ કેશાજી ચૌહાણ 

ભાજપના દિયોદરના ઉમેદવાર કેશાજી ચૌહાણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, "મતદાર પાકિસ્તાનમાં હોય તો ત્યાંથી મતદાનના દિવસે લાવો પણ ભાજપનું સો ટકા મતદાન થવું જોઈએ. આપણા મતદારો પાસેથી ભીખ માગવી હોય તો ભીખ માગી લેવાની પણ ભાજપનું સો ટકા મતદાન થવું જોઈએ."    

ભાજપે જ્યારે સવારે પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી હતી ત્યારે દિયોદરના ઉમેદવાર તરીકે કેશાજી ચૌહાણના નામની જાહેરાત થઈ હતી. પોતાના નામની જાહેરાત થયા બાદ કેશાજી ચૌહાણ અંબાજી પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા. કેશાજી ચૌહાણે માતાજી પાસે ચૂંટણી લડવાના આશિર્વાદ લીધા હતા.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.