BJPનું 100 ટકા મતદાન કરવાનું છે, પાકિસ્તાનથી મતદાર લાવોઃ કેશાજી ચૌહાણ


  • Published By :
  • Published Date : 2022-11-10 20:25:44

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જંગ હવે ખરાખરીની જામી છે. પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેટલા લોકોના નામ જાહેર થયા છે તેઓેએ લડવાની કામગીરીની શરૂઆત કરી દીધી છે. તેની વચ્ચે ભાજપના દિયોદર વિધાનસભા વિસ્તારના ઉમેદવાર કેશાજી ચૌહાણે કાર્યકર્તાઓને સંબોધતા નિવેદન આપ્યું હતું. 

જ્યાંથી લાવવા હોય ત્યાંથી મતદારો લાવોઃ કેશાજી ચૌહાણ 

ભાજપના દિયોદરના ઉમેદવાર કેશાજી ચૌહાણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, "મતદાર પાકિસ્તાનમાં હોય તો ત્યાંથી મતદાનના દિવસે લાવો પણ ભાજપનું સો ટકા મતદાન થવું જોઈએ. આપણા મતદારો પાસેથી ભીખ માગવી હોય તો ભીખ માગી લેવાની પણ ભાજપનું સો ટકા મતદાન થવું જોઈએ."    

ભાજપે જ્યારે સવારે પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી હતી ત્યારે દિયોદરના ઉમેદવાર તરીકે કેશાજી ચૌહાણના નામની જાહેરાત થઈ હતી. પોતાના નામની જાહેરાત થયા બાદ કેશાજી ચૌહાણ અંબાજી પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા. કેશાજી ચૌહાણે માતાજી પાસે ચૂંટણી લડવાના આશિર્વાદ લીધા હતા.  




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"