BJPનું 100 ટકા મતદાન કરવાનું છે, પાકિસ્તાનથી મતદાર લાવોઃ કેશાજી ચૌહાણ


  • Published By :
  • Published Date : 2022-11-10 20:25:44

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જંગ હવે ખરાખરીની જામી છે. પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેટલા લોકોના નામ જાહેર થયા છે તેઓેએ લડવાની કામગીરીની શરૂઆત કરી દીધી છે. તેની વચ્ચે ભાજપના દિયોદર વિધાનસભા વિસ્તારના ઉમેદવાર કેશાજી ચૌહાણે કાર્યકર્તાઓને સંબોધતા નિવેદન આપ્યું હતું. 

જ્યાંથી લાવવા હોય ત્યાંથી મતદારો લાવોઃ કેશાજી ચૌહાણ 

ભાજપના દિયોદરના ઉમેદવાર કેશાજી ચૌહાણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, "મતદાર પાકિસ્તાનમાં હોય તો ત્યાંથી મતદાનના દિવસે લાવો પણ ભાજપનું સો ટકા મતદાન થવું જોઈએ. આપણા મતદારો પાસેથી ભીખ માગવી હોય તો ભીખ માગી લેવાની પણ ભાજપનું સો ટકા મતદાન થવું જોઈએ."    

ભાજપે જ્યારે સવારે પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી હતી ત્યારે દિયોદરના ઉમેદવાર તરીકે કેશાજી ચૌહાણના નામની જાહેરાત થઈ હતી. પોતાના નામની જાહેરાત થયા બાદ કેશાજી ચૌહાણ અંબાજી પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા. કેશાજી ચૌહાણે માતાજી પાસે ચૂંટણી લડવાના આશિર્વાદ લીધા હતા.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.