BJPનું 100 ટકા મતદાન કરવાનું છે, પાકિસ્તાનથી મતદાર લાવોઃ કેશાજી ચૌહાણ


  • Published By :
  • Published Date : 2022-11-10 20:25:44

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જંગ હવે ખરાખરીની જામી છે. પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેટલા લોકોના નામ જાહેર થયા છે તેઓેએ લડવાની કામગીરીની શરૂઆત કરી દીધી છે. તેની વચ્ચે ભાજપના દિયોદર વિધાનસભા વિસ્તારના ઉમેદવાર કેશાજી ચૌહાણે કાર્યકર્તાઓને સંબોધતા નિવેદન આપ્યું હતું. 

જ્યાંથી લાવવા હોય ત્યાંથી મતદારો લાવોઃ કેશાજી ચૌહાણ 

ભાજપના દિયોદરના ઉમેદવાર કેશાજી ચૌહાણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, "મતદાર પાકિસ્તાનમાં હોય તો ત્યાંથી મતદાનના દિવસે લાવો પણ ભાજપનું સો ટકા મતદાન થવું જોઈએ. આપણા મતદારો પાસેથી ભીખ માગવી હોય તો ભીખ માગી લેવાની પણ ભાજપનું સો ટકા મતદાન થવું જોઈએ."    

ભાજપે જ્યારે સવારે પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી હતી ત્યારે દિયોદરના ઉમેદવાર તરીકે કેશાજી ચૌહાણના નામની જાહેરાત થઈ હતી. પોતાના નામની જાહેરાત થયા બાદ કેશાજી ચૌહાણ અંબાજી પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા. કેશાજી ચૌહાણે માતાજી પાસે ચૂંટણી લડવાના આશિર્વાદ લીધા હતા.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.