કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયાનું વિવાદાસ્પદ નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-08 16:09:13

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયાનું દ્વારકા ચૂંટણીની ટિકિટ વહેંચણી પહેલા નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા નિવેદન આપી રહ્યા છે કે કોંગ્રેસે ટિકિટ વહેંચણી વહેલા કરી દેવી જોઈએ જેથી રીસામણા-મનામણા કરી શકાય. મોડો નિર્ણય થવાના કારણે આંતરીક તકલીફો વચ્ચે ચૂંટણી લડવા માટે સ્થાનિક વિસ્તારોમાં તકલીફો થાય છે. કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરવામાં સમય વધારે લેતી હોય તેથી ચૂંટણી લડવી મુશ્કેલ બને છે. આ નિવેદન તેમણે ત્યારે આપ્યું છે જ્યારે હજુ દ્વારકા બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત નથી થઈ.

 

શું છે મૂળુ કંડોરિયા અને મેરામણ ગરિયાનો જૂથવાદ?

ગત વિધાનસભા ચૂંટણીમાં મેરામણ ગોરિયા દ્વારકાથી ચૂંટણી લડ્યા હતા. દ્વારકા બેઠક પર મેરામણ ગોરિયા પહેલા મૂળુ કંડોરિયાનું નામ નક્કી જ હતું અને અચાનક મેરામણ ગોરિયાનું નામ નક્કી થઈ જાય છે. ત્યાર બાદ મૂળુ કંડોરિયા નારાજ થઈ ગયા હતા અને મતદાન થયું હતું. 2017ની ચૂંટણીમાં દ્વારકા પરથી મેરામણ ગોરિયા હાર્યા હતા. આજે એવી જ પરિસ્થિતિ સામે આવીને ઉભી રહી છે કે દ્વારકા કોંગ્રેસના બે જૂથ સામસામે આવી ગયા છે. હજુ તો કોંગ્રેસે દ્વારકા બેઠક પરથી ઉમેદવારો નક્કી નથી કર્યા અને બંને નેતાઓ વચ્ચેનો આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે.

 

2014થી 2017 સુધી મેરામણ ગોરિયા હતા ધારાસભ્ય

2012માં ખંભાળિયાથી પૂનમબેન માડમ ધારાસભ્ય પદ માટેની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. લોકસભાની ચૂંટણી આવતા પૂનમબેન માડમનું ધારાસભ્ય પદ ખાલી પડ્યું હતું અને મેરામણ ગોરિયા પેટા ચૂંટણીમાં જીત્યા હતા અને ખંભાળિયા વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જો કે 2017માં મેરામણ ગોરિયા દ્વારકામાંથી લડ્યા હતા અને 5 હજારથી વધુ મતથી હાર્યા હતા. જો કે હવે કોંગ્રેસની નવી લિસ્ટમાં દ્વારકા વિધાનસભા ક્ષેત્રથી કોને ઉમેદવાર બનાવાશે તે જોવાનું રહેશે. 



 

 

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.