કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયાનું વિવાદાસ્પદ નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-08 16:09:13

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયાનું દ્વારકા ચૂંટણીની ટિકિટ વહેંચણી પહેલા નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા નિવેદન આપી રહ્યા છે કે કોંગ્રેસે ટિકિટ વહેંચણી વહેલા કરી દેવી જોઈએ જેથી રીસામણા-મનામણા કરી શકાય. મોડો નિર્ણય થવાના કારણે આંતરીક તકલીફો વચ્ચે ચૂંટણી લડવા માટે સ્થાનિક વિસ્તારોમાં તકલીફો થાય છે. કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરવામાં સમય વધારે લેતી હોય તેથી ચૂંટણી લડવી મુશ્કેલ બને છે. આ નિવેદન તેમણે ત્યારે આપ્યું છે જ્યારે હજુ દ્વારકા બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત નથી થઈ.

 

શું છે મૂળુ કંડોરિયા અને મેરામણ ગરિયાનો જૂથવાદ?

ગત વિધાનસભા ચૂંટણીમાં મેરામણ ગોરિયા દ્વારકાથી ચૂંટણી લડ્યા હતા. દ્વારકા બેઠક પર મેરામણ ગોરિયા પહેલા મૂળુ કંડોરિયાનું નામ નક્કી જ હતું અને અચાનક મેરામણ ગોરિયાનું નામ નક્કી થઈ જાય છે. ત્યાર બાદ મૂળુ કંડોરિયા નારાજ થઈ ગયા હતા અને મતદાન થયું હતું. 2017ની ચૂંટણીમાં દ્વારકા પરથી મેરામણ ગોરિયા હાર્યા હતા. આજે એવી જ પરિસ્થિતિ સામે આવીને ઉભી રહી છે કે દ્વારકા કોંગ્રેસના બે જૂથ સામસામે આવી ગયા છે. હજુ તો કોંગ્રેસે દ્વારકા બેઠક પરથી ઉમેદવારો નક્કી નથી કર્યા અને બંને નેતાઓ વચ્ચેનો આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે.

 

2014થી 2017 સુધી મેરામણ ગોરિયા હતા ધારાસભ્ય

2012માં ખંભાળિયાથી પૂનમબેન માડમ ધારાસભ્ય પદ માટેની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. લોકસભાની ચૂંટણી આવતા પૂનમબેન માડમનું ધારાસભ્ય પદ ખાલી પડ્યું હતું અને મેરામણ ગોરિયા પેટા ચૂંટણીમાં જીત્યા હતા અને ખંભાળિયા વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જો કે 2017માં મેરામણ ગોરિયા દ્વારકામાંથી લડ્યા હતા અને 5 હજારથી વધુ મતથી હાર્યા હતા. જો કે હવે કોંગ્રેસની નવી લિસ્ટમાં દ્વારકા વિધાનસભા ક્ષેત્રથી કોને ઉમેદવાર બનાવાશે તે જોવાનું રહેશે. 



 

 

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.