કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયાનું વિવાદાસ્પદ નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-08 16:09:13

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયાનું દ્વારકા ચૂંટણીની ટિકિટ વહેંચણી પહેલા નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા નિવેદન આપી રહ્યા છે કે કોંગ્રેસે ટિકિટ વહેંચણી વહેલા કરી દેવી જોઈએ જેથી રીસામણા-મનામણા કરી શકાય. મોડો નિર્ણય થવાના કારણે આંતરીક તકલીફો વચ્ચે ચૂંટણી લડવા માટે સ્થાનિક વિસ્તારોમાં તકલીફો થાય છે. કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરવામાં સમય વધારે લેતી હોય તેથી ચૂંટણી લડવી મુશ્કેલ બને છે. આ નિવેદન તેમણે ત્યારે આપ્યું છે જ્યારે હજુ દ્વારકા બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત નથી થઈ.

 

શું છે મૂળુ કંડોરિયા અને મેરામણ ગરિયાનો જૂથવાદ?

ગત વિધાનસભા ચૂંટણીમાં મેરામણ ગોરિયા દ્વારકાથી ચૂંટણી લડ્યા હતા. દ્વારકા બેઠક પર મેરામણ ગોરિયા પહેલા મૂળુ કંડોરિયાનું નામ નક્કી જ હતું અને અચાનક મેરામણ ગોરિયાનું નામ નક્કી થઈ જાય છે. ત્યાર બાદ મૂળુ કંડોરિયા નારાજ થઈ ગયા હતા અને મતદાન થયું હતું. 2017ની ચૂંટણીમાં દ્વારકા પરથી મેરામણ ગોરિયા હાર્યા હતા. આજે એવી જ પરિસ્થિતિ સામે આવીને ઉભી રહી છે કે દ્વારકા કોંગ્રેસના બે જૂથ સામસામે આવી ગયા છે. હજુ તો કોંગ્રેસે દ્વારકા બેઠક પરથી ઉમેદવારો નક્કી નથી કર્યા અને બંને નેતાઓ વચ્ચેનો આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે.

 

2014થી 2017 સુધી મેરામણ ગોરિયા હતા ધારાસભ્ય

2012માં ખંભાળિયાથી પૂનમબેન માડમ ધારાસભ્ય પદ માટેની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. લોકસભાની ચૂંટણી આવતા પૂનમબેન માડમનું ધારાસભ્ય પદ ખાલી પડ્યું હતું અને મેરામણ ગોરિયા પેટા ચૂંટણીમાં જીત્યા હતા અને ખંભાળિયા વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જો કે 2017માં મેરામણ ગોરિયા દ્વારકામાંથી લડ્યા હતા અને 5 હજારથી વધુ મતથી હાર્યા હતા. જો કે હવે કોંગ્રેસની નવી લિસ્ટમાં દ્વારકા વિધાનસભા ક્ષેત્રથી કોને ઉમેદવાર બનાવાશે તે જોવાનું રહેશે. 



 

 

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.