કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયાનું વિવાદાસ્પદ નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-08 16:09:13

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયાનું દ્વારકા ચૂંટણીની ટિકિટ વહેંચણી પહેલા નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા નિવેદન આપી રહ્યા છે કે કોંગ્રેસે ટિકિટ વહેંચણી વહેલા કરી દેવી જોઈએ જેથી રીસામણા-મનામણા કરી શકાય. મોડો નિર્ણય થવાના કારણે આંતરીક તકલીફો વચ્ચે ચૂંટણી લડવા માટે સ્થાનિક વિસ્તારોમાં તકલીફો થાય છે. કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરવામાં સમય વધારે લેતી હોય તેથી ચૂંટણી લડવી મુશ્કેલ બને છે. આ નિવેદન તેમણે ત્યારે આપ્યું છે જ્યારે હજુ દ્વારકા બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત નથી થઈ.

 

શું છે મૂળુ કંડોરિયા અને મેરામણ ગરિયાનો જૂથવાદ?

ગત વિધાનસભા ચૂંટણીમાં મેરામણ ગોરિયા દ્વારકાથી ચૂંટણી લડ્યા હતા. દ્વારકા બેઠક પર મેરામણ ગોરિયા પહેલા મૂળુ કંડોરિયાનું નામ નક્કી જ હતું અને અચાનક મેરામણ ગોરિયાનું નામ નક્કી થઈ જાય છે. ત્યાર બાદ મૂળુ કંડોરિયા નારાજ થઈ ગયા હતા અને મતદાન થયું હતું. 2017ની ચૂંટણીમાં દ્વારકા પરથી મેરામણ ગોરિયા હાર્યા હતા. આજે એવી જ પરિસ્થિતિ સામે આવીને ઉભી રહી છે કે દ્વારકા કોંગ્રેસના બે જૂથ સામસામે આવી ગયા છે. હજુ તો કોંગ્રેસે દ્વારકા બેઠક પરથી ઉમેદવારો નક્કી નથી કર્યા અને બંને નેતાઓ વચ્ચેનો આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે.

 

2014થી 2017 સુધી મેરામણ ગોરિયા હતા ધારાસભ્ય

2012માં ખંભાળિયાથી પૂનમબેન માડમ ધારાસભ્ય પદ માટેની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. લોકસભાની ચૂંટણી આવતા પૂનમબેન માડમનું ધારાસભ્ય પદ ખાલી પડ્યું હતું અને મેરામણ ગોરિયા પેટા ચૂંટણીમાં જીત્યા હતા અને ખંભાળિયા વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જો કે 2017માં મેરામણ ગોરિયા દ્વારકામાંથી લડ્યા હતા અને 5 હજારથી વધુ મતથી હાર્યા હતા. જો કે હવે કોંગ્રેસની નવી લિસ્ટમાં દ્વારકા વિધાનસભા ક્ષેત્રથી કોને ઉમેદવાર બનાવાશે તે જોવાનું રહેશે. 



 

 

 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"