દારૂબંધીને લઈ આરજેડી નેતાનું વિવાદસ્પદ નિવેદન, ભગવાન સાથે કરી દારૂની તુલના


  • Published By :
  • Published Date : 2022-12-04 08:49:09

દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી કાનૂન લાગુ છે. બિહારમાં પણ આ કાનૂન લાગુ છે. ત્યારે બિહાર સરકારમાં સામેલ થયેલા મહાગઠબંધનના નેતા રામબલી ચંદ્રવંશીએ દારૂબંધીને લઈ પોતાની સરકારને જ ઘેરાવામાં લઈ લીધા છે. તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું દારૂ ભગવાન જેવો છે. હોય છે દરેક જગ્યાએ પણ દેખાતો નથી. 

आरजेडी एमएलसी रामबली चंद्रवंशी (फाइल फोटो)

નેતાએ દારૂની તુલના ભગવાન સાથે કરી 

બિહારમાં દારૂબંધીને લઈ નેતાઓની અલગ-અલગ રાય છે. અનેક વખત દારૂબંધીને લઈ નિતીશ કુમારની સરકાર પર સવાલ ઉઠ્યા છે. આ નેતાના પહેલા ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ દારૂબંધીને લઈ અનેક વખત સવાલ કર્યા છે. ત્યારે આ વખતે આરજેડી એમએલસી રામબલી ચંદ્રવંશીએ દારૂની તુલના ભગવાન સાથે કરી દીધી છે. પોતાના વિવાદીત નિવેદનમાં તેમણે કહ્યું કે દારૂ ભગવાન જેવી છે. હોય છે દરેક જગ્યા પર માત્ર દેખાતી નથી. આ નિવેદનને કારણે વિવાદ છેડાઈ શકે છે. 

Bihar CM Nitish Kumar tests positive for Covid-19 - The Economic Times

બિહારમાં દારૂબંધી મુદ્દો નથી - આરજેડી એમએલસી નેતા  

ચૂંટણી પ્રચારથી આવતા સમયે રામબલીએ આવું અજીબો-ગરીબ નિવેદન આપ્યું હતું. જ્યારે તેમને ઝેરીલી દારૂ પીધા પછી થયેલા મોત અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ પ્રશ્નો જવાબ આપવાનો ટાળ્યો હતો. તેમણે કહ્યું કે મરવાના અનેક કારણ હોઈ શકે છે. માત્ર દારૂને જ કારણે જ મોત નથી થતી. ઉપરાંત એવું પણ કહ્યું કે ચૂંટણીના મુદ્દામાં દારૂબંધીનો સમાવેશ ન કરાવો જોઈએ.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.