દારૂબંધીને લઈ આરજેડી નેતાનું વિવાદસ્પદ નિવેદન, ભગવાન સાથે કરી દારૂની તુલના


  • Published By :
  • Published Date : 2022-12-04 08:49:09

દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી કાનૂન લાગુ છે. બિહારમાં પણ આ કાનૂન લાગુ છે. ત્યારે બિહાર સરકારમાં સામેલ થયેલા મહાગઠબંધનના નેતા રામબલી ચંદ્રવંશીએ દારૂબંધીને લઈ પોતાની સરકારને જ ઘેરાવામાં લઈ લીધા છે. તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું દારૂ ભગવાન જેવો છે. હોય છે દરેક જગ્યાએ પણ દેખાતો નથી. 

आरजेडी एमएलसी रामबली चंद्रवंशी (फाइल फोटो)

નેતાએ દારૂની તુલના ભગવાન સાથે કરી 

બિહારમાં દારૂબંધીને લઈ નેતાઓની અલગ-અલગ રાય છે. અનેક વખત દારૂબંધીને લઈ નિતીશ કુમારની સરકાર પર સવાલ ઉઠ્યા છે. આ નેતાના પહેલા ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ દારૂબંધીને લઈ અનેક વખત સવાલ કર્યા છે. ત્યારે આ વખતે આરજેડી એમએલસી રામબલી ચંદ્રવંશીએ દારૂની તુલના ભગવાન સાથે કરી દીધી છે. પોતાના વિવાદીત નિવેદનમાં તેમણે કહ્યું કે દારૂ ભગવાન જેવી છે. હોય છે દરેક જગ્યા પર માત્ર દેખાતી નથી. આ નિવેદનને કારણે વિવાદ છેડાઈ શકે છે. 

Bihar CM Nitish Kumar tests positive for Covid-19 - The Economic Times

બિહારમાં દારૂબંધી મુદ્દો નથી - આરજેડી એમએલસી નેતા  

ચૂંટણી પ્રચારથી આવતા સમયે રામબલીએ આવું અજીબો-ગરીબ નિવેદન આપ્યું હતું. જ્યારે તેમને ઝેરીલી દારૂ પીધા પછી થયેલા મોત અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ પ્રશ્નો જવાબ આપવાનો ટાળ્યો હતો. તેમણે કહ્યું કે મરવાના અનેક કારણ હોઈ શકે છે. માત્ર દારૂને જ કારણે જ મોત નથી થતી. ઉપરાંત એવું પણ કહ્યું કે ચૂંટણીના મુદ્દામાં દારૂબંધીનો સમાવેશ ન કરાવો જોઈએ.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.