દારૂબંધીને લઈ આરજેડી નેતાનું વિવાદસ્પદ નિવેદન, ભગવાન સાથે કરી દારૂની તુલના


  • Published By :
  • Published Date : 2022-12-04 08:49:09

દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી કાનૂન લાગુ છે. બિહારમાં પણ આ કાનૂન લાગુ છે. ત્યારે બિહાર સરકારમાં સામેલ થયેલા મહાગઠબંધનના નેતા રામબલી ચંદ્રવંશીએ દારૂબંધીને લઈ પોતાની સરકારને જ ઘેરાવામાં લઈ લીધા છે. તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું દારૂ ભગવાન જેવો છે. હોય છે દરેક જગ્યાએ પણ દેખાતો નથી. 

आरजेडी एमएलसी रामबली चंद्रवंशी (फाइल फोटो)

નેતાએ દારૂની તુલના ભગવાન સાથે કરી 

બિહારમાં દારૂબંધીને લઈ નેતાઓની અલગ-અલગ રાય છે. અનેક વખત દારૂબંધીને લઈ નિતીશ કુમારની સરકાર પર સવાલ ઉઠ્યા છે. આ નેતાના પહેલા ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ દારૂબંધીને લઈ અનેક વખત સવાલ કર્યા છે. ત્યારે આ વખતે આરજેડી એમએલસી રામબલી ચંદ્રવંશીએ દારૂની તુલના ભગવાન સાથે કરી દીધી છે. પોતાના વિવાદીત નિવેદનમાં તેમણે કહ્યું કે દારૂ ભગવાન જેવી છે. હોય છે દરેક જગ્યા પર માત્ર દેખાતી નથી. આ નિવેદનને કારણે વિવાદ છેડાઈ શકે છે. 

Bihar CM Nitish Kumar tests positive for Covid-19 - The Economic Times

બિહારમાં દારૂબંધી મુદ્દો નથી - આરજેડી એમએલસી નેતા  

ચૂંટણી પ્રચારથી આવતા સમયે રામબલીએ આવું અજીબો-ગરીબ નિવેદન આપ્યું હતું. જ્યારે તેમને ઝેરીલી દારૂ પીધા પછી થયેલા મોત અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ પ્રશ્નો જવાબ આપવાનો ટાળ્યો હતો. તેમણે કહ્યું કે મરવાના અનેક કારણ હોઈ શકે છે. માત્ર દારૂને જ કારણે જ મોત નથી થતી. ઉપરાંત એવું પણ કહ્યું કે ચૂંટણીના મુદ્દામાં દારૂબંધીનો સમાવેશ ન કરાવો જોઈએ.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.